Translate

Search This Blog

Sunday, October 30, 2016

Festival of lights

Dear All the viewers of my blog

On this auspicious festival of lights let us exchange CASH: wherein

C-Care

A-Affection

S-Smiles

H-Hugs

And

Let us Light a lamp of love!

Blast a chain of sorrow!

Shoot a rocket of prosperity!

Fire a flowerpot of happiness!

Let us Pray The Great Almighty to bestow us

Shanti,

Shakti,

Sampati,

Swarup,

Saiyam,

Saadgi,

Safalta,

Samridhi,

Sanskar,

Swaasth,

Sanmaan,

Saraswati,

SNEH.

May millions of lamps illuminate our life with endless joy, prosperity, health & wealth and what not forever.


Amritgiri Goswami & Family


Sunday, October 23, 2016

સમયસર જાગે એ શિષ્ય છે, જગાડી દે એ સદ્દગુરુ છે

સમયસર જાગે એ શિષ્ય છે, જગાડી દે એ સદ્દગુરુ છે


  • તમારી કોઈ સાધના, તમારું ભજન, તમારું સ્મરણ કે તમારી કોઈ પણ વિદ્યાને જોઈને જ્યારે કોઈ સદ્દગુરુના મુખ પર મુસ્કુરાહટ આવી જાય અને એમનો હાથ ઉપર ઊઠી જાય તો સમજવું કે તમારી કલાને કોઈની નજર ન લાગી જાય એટલા માટે એ તમારી નજર ઉતારી રહ્યા છે.
  • રામકથા કેવળ બૌદ્ધિક સ્તરે નથી સાંભળીશ શકાતી, હાર્દિક સ્તરે સાંભ‌ળવી પડે છે. જ્યાં સુધી તમે એને સદ્દગુરુ નહીં સમજો ત્યાં સુધી રસ નહીં પામી શકો. એ સદ્દગુરુ છે. એને પુસ્તક માનો તો પણ એમાં રામ છે, પરંતુ એને ચેતન સમજો. એ ગ્રંથ તમારી સામે રહસ્ય ખોલશે. એ ચેતનાથી સભર શાસ્ત્ર છે. સાક્ષાત્ ગુરુ છે.‘રામચિરત માનસ’ ચૈતન્ય છે. 
  • જ્યારે  આશ્રિતને કોઈની નજર લાગે છે ત્યારે સદ્દગુરુની ભુજા બહુ જ લાંબી થઈ જાય છે. ગુરુ એ જ કામ કરે છે. સાધના કરનારાની, કોઈપણ વિદ્યાના ઉપાસકની રક્ષા એના ગુરુ કરે છે. એ અંધશ્રદ્ધા નથી. એ તુલસીના શ્રદ્ધાજગતનું સત્ય છે. 
  • તુલસીનું શિવતત્ત્વ કેવું છે?


પ્રભુ સમરથ સર્બગ્ય સિવં સકલ કલા ગુન ધામ.
જોગ ગ્યાન બૈરાગ્ય નિિધ પ્રનત કલપતરુ નામ.


  • શિવ પ્રભુ પણ છે, વિભુ પણ છે, શંભુ પણ છે, પરંતુ લઘુ છે. 
  • હે પ્રભુ, આપ સમાન વિશ્વમાં કોઈ સમર્થ નથી. જીવ ક્યારેય સમર્થ નથી હોતો, શિવ જ સમર્થ છે. અથવા તો શિવરૂપ સદ્દગુરુ સમર્થ છે. આપણે ક્યારેય સમર્થ નથી હોતા. સદ્દગુરુ સમર્થ હાેય છે. આપ ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેને જાણનારા સર્વજ્ઞ છો. સદ્દગુરુ એ છે જે સર્વજ્ઞ છે. પાર્વતીએ કહ્યું, સમસ્ત કલાનું ધામ છો. જોગ, યોગના ભંડાર છો. આપનું નામ લેનારાઓને માટે આપ કલ્પતરુ છો.
  • એક વસ્તુ યાદ રાખજો કે, આપણે ક્યારેય પૂર્ણ નહીં થઈ શકીએ. અહીં પૂર્ણ થવાની વ્યવસ્થા નથી. અહીં આપણે ખાલી થઈ શકીએ છીએ. 
  • સદ્દગુરુ પાસે એવી રીતે જાઓ. ફરિયાદમુક્ત, આગ્રહમુક્ત ચિત્ત લઈને જાઓ. 
  • સદ્દગુરુ ધર્મ નથી આપતા, એ ધર્મસાર આપે છે. સદ્દગુરુ ધર્મનું મૂળ છે, પરંતુ એ પોતાના આશ્રિતને ધર્મરૂપી મૂળ નથી આપતા, ધર્મનું ફૂલ આપે છે, ધર્મની ખુશ્બૂ આપે છે. 
  • સ્ફટિકની માળા, તુલસીની માળા, રુદ્રાક્ષની માળા, એ ત્રણ માળાઓ તો સ્થૂળ છે. બે માળાઓ સૂક્ષ્મ છે. પહેલી સૂક્ષ્મ માળા છે, મનની માળા. પોતાના મનની માળા. 
  • તો, આખરી સૂક્ષ્મતમ માળા છે, શ્વાસની માળા. સ્મૃતિ, કેવળ પરમની જ સ્મૃતિ. જે પાપ-પુણ્ય બંનેથી ઉપર ઊઠી ગયા છે એમની સ્મૃતિ થાય. એમની સુરતા થાય. અધ્યાત્મજગતનો એક બહુ સુંદર શબ્દ છે ‘સુરતા’. ગુજરાતીમાં એક પદ છે -


જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે.
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે.


  • સદગુરૂ ક્યારેય વાસી નથી થતા, ક્યારેય જૂના નથી થતા. બીજે દિવસે એ જુદા જ હોય છે. નિત્ય નૂતનતા સદૂગુરુની ઓળખ છે.  
  • સદૂગુરુ ક્યારેય કોઈને અર્થ નથી આપતા, સદ્દગુરુ પરમાર્થ આપે છે. સદ્‌ગુરુ કામ નથી આપતા રતિ આપે છે. કાં તો એ કામ પૂર્ણ કરી દે અથવા તો આપણને નિષ્કામ કરી દે. સદૂગુરુ મોક્ષ નથી આપતા, મોક્ષનું સુખ આપે છે. એ એવી ભક્તિ પકડાવી દે છે કે એમના વિના મોક્ષનો અનુભવ નથી થતો. તો, જેમનામાં બધું જ હોય એવા કોઈ સદ્દગુરુ મળે. આપણી પાત્રતા જોઈને એ વરસી પડે. 
  • સમયસર જાગી જાય એ બંદા છે અને સમયસર જગાડી દે એ ખુદા છે. એ જ તો છે ગુરુ અને શિષ્યનું અંતર. સમયસર જાગી જાય એ શિષ્ય છે, સમયસર જગાડી દે એ સદ્દગુરુ છે.


સંકલન : નીતિન વડગામા

Read full article at Sunday Bhaskar.

Sunday, October 16, 2016

ગાય એ રાષ્ટ્રનો શણગાર પણ છે અને રાષ્ટ્રની સુરક્ષા પણ છે

ગાય એ રાષ્ટ્રનો શણગાર પણ છે અને રાષ્ટ્રની સુરક્ષા પણ છે


  • ઘરમાં એક ગાય વસી જાય તાે બધા દેવતાઓ વસી જાય, બધા ઋષિ-મુનિ વસી જાય, બધી ઔષધિઓ વસી જાય, બધા મંત્ર એના ઘરમાં ચક્કર લગાવે!
  • ‘રામકથા કલી કામદ ગાયા.’ સુરધેનુ કે કામધેનુ, જેનો નિવાસ સ્વર્ગમાં છે અે એક શ્રદ્ધાજગતની ગાય છે. 
  • ગાય સર્વધર્મ સમન્વયનું જીવંત પ્રમાણ છે. 
  • ગાય આપણો આત્મા છે. આત્મા હાેવાને નાતે ગાય પ્રિય હોવી જોઈએ. 
  • ગાય વિશ્વનાે આત્મા છે. ગાય લોકો માટે છે, લોકો દ્વારા પૂજિત છે, સેવિત છે. ગાય દ્વારા રાષ્ટ્ર સમૃદ્ધ છે.
  • ગાય સર્વ ધર્મમયી છે. ગાય સર્વ દેવમયી છે. ગાય સર્વ ઔષધમયી છે. ગાય સ‌‌‌‌‌ર્વ વિદ્યામયી છે. પંચગવ્યમાં કેટલું બધું બળ છે! ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી, ગૌમૂત્ર અને ગોબર પંચગવ્ય છે.
  • દરેક ગામમાં એક ગૌશા‌ળા, એક ધર્મશાળા, એક વ્યાયામશા‌ળા હોવી જોઈએ. દરેક ગામમાં એક પાઠશાળા હોવી જોઈએ અને ભોજનશા‌‌ળા હોવી જોઈએ. ગામમાં આ પાંચ લક્ષણ છે. 
  • ગાય આપણો શણગાર પણ છે અને સુરક્ષા પણ છે. ગાય એ રાષ્ટ્રનો શણગાર પણ છે અને રાષ્ટ્રની સુરક્ષા પણ છે. શૃંગનો અર્થ છે ઊંચામાં ઊંચી વસ્તુ. 
  • બધા સંપન્ન પરિવારે ગાયને આજીવન દત્તક લેવી જોઈએ. 
  • સુરધેનુનાં કેટલાંક લક્ષણો છે. એને દોહવી નથી પડતી. એ આપોઆપ જ દૂધ દે છે. રામકથા સુરધેનુ છે.
  • ગુરુકૃપાથી આપોઆપ જ અધિકારી પાત્ર પાસે એ દૂધ દેવા લાગે છે. 
  • શરત એક જ છે કે, ભરોસાનું પાત્ર લઈને કોઈ સાધકે આવવું જોઈએ. 
  • રામકથાનું પણ કોઈ પ્રતિબિંબ નથી, જે છે એ બિંબ જ છે. પ્રતિબિંબ ભ્રમ પેદા કરે છે. જે તત્ત્વત: છે જ નહીં, એ પ્રતિબિંબને કોઈ પકડી નથી શકતું, કોઈ મારી નથી શકતું, કોઈ કાપી નથી શકતું.
  • સુરધેનુ વિશિષ્ટ ચારો ખાય છે એ સુરધેનુનું ત્રીજું લક્ષણ છે. એ વિશિષ્ટ ખેતરમાં વિશિષ્ટ ચારો ખાય છે, આમ–તેમ બીજાનાં ખેતરોમાં મોઢું નથી નાખતી! આક્રમણ નથી કરતી. રામકથારૂપી સુરધેનુ પણ બીજાનાં ખેતરમાં મોઢું નથી નાખતી. એ કેવળ ઋષિમુનિઓ કે સાધુસંતોના ખેતરમાં જ ઘૂમ્યા કરે છે. કોઈ પદપ્રતિષ્ઠિત હોય કે કોઈ પ્રતિષ્ઠાવાન હોય એના ખેતરમાં રામકથા મોઢું નથી નાખતી!
  • સુરધેનુનું આગળનું એક લક્ષણ છે કે એ ક્યારેય વસૂકતી નથી.
  • ‘રામચરિત માનસ’રૂપી સુરધેનુ ક્યારેય બીમાર નથી થતી. એ રોગિષ્ઠ નથી થતી. 
  • ‘માનસ’ના વર્ણન મુજબ એ ગાય તમામ માનસિક રોગોનો ઉપચાર છે. ‘રામચરિત માનસ’નું અંતિમ પ્રકરણ, ખગરાજ ગરુડનો અંતિમ પ્રશ્ન, અને એ રોગનો ઉપચાર ‘રામચરિત માનસ’રૂપી સુરધેનુએ કર્યો છે અને એ બિલકુલ આયુર્વેદિક શાસ્ત્ર પ્રમાણે છે. બિલકુલ આરોગ્યપ્રદ છે. ગૌની સેવા આપણા માટે સુરધેનુ બની શકે છે. ‘સેવા’ શબ્દ ‘પૂજા’થી પણ ઊંચો છે.
  • ‘માનસ’રૂપી સુરધેનુ માનસિક રોગોનો ઇલાજ કરે છે તેમજ ગોબર અને ગોમૂત્ર આયુર્વેદ મુજબ ઔષધિઓનું કેન્દ્રબિંદુ બને છે, 
  • ‘રામચરિત માનસ’માં શ્રદ્ધાને ગાય કહી છે. આ પંચગવ્યની પૂર્તિ પણ ‘માનસ’રૂપી કલિ કામદ ગાય પૂરી કરે છે. 


સાત્ત્વિક શ્રદ્ધા ધેનુ સુહાઈ.
જૌં હરિકૃપા હૃદય બસ આઈ.

‘માનસ’કાર કહે છે, સાત્ત્વિક શ્રદ્ધા ગાય છે. એ ગાય હૃદયરૂપી ગૌશાળામાં રહે છે. શ્રદ્ધાની ગૌશાળા માનવીનું હૃદય છે, બુદ્ધિ નથી, ખોપરી નથી. તો શ્રદ્ધા આપણી ગાય છે.

સંકલન : નીતિન વડગામા


Read full article at Sunday Bhaskar.



Sunday, October 9, 2016

એકવીસમી સદીમાં અહિંસારૂપેણ માની આવશ્યકતા છે

એકવીસમી સદીમાં અહિંસારૂપેણ માની આવશ્યકતા છે



  • મા છે જ અહિંસક. એનું જે મૂળરૂપ છે એ કરુણાની મૂર્તિ છે. એકવીસમી સદીમાં એ રૂપને આપણે કેન્દ્રમાં મૂકવું જોઈએ
  • અને મા અહિંસારૂપેણ ન હતી એવું કોઇ દિવસ ન માનશો. એ તો મૂળમાં અહિંસારૂપેણ જ છે, હતી અને રહેશે. કોઇ વિશેષ કારણોને લીધે એમણે ખડગ ધારણ કર્યું હશે, એમણે ત્રિશૂલ ધારણ કર્યું હશે. 
  • મારી મા ચામુંડા ભગવતીએ જ્યારે-જ્યારે ખડગ અને ત્રિશૂલ લીધાં હશે ત્યારે એને એવું લાગ્યું હશે, સમાજના દેહને એક રોગ લાગુ પડ્યો છે! સમાજમાં વિગ્રહને, સમાજના શરીરને ઘણી અકારણ વસ્તુઓ અડી ગઇ છે. અને એણે ઓપરેશન કરવું જોઇએ, તેથી ક્યારેક ચંડમુંડ માટે, ક્યારેક રક્તબીજ મહિષાસુર માટે, ક્યારેક રાવણ માટે, એ ઓપરેશન માટે જ શસ્ત્રો લીધાં છે. 
  • રામચરિત માનસમાં ભવાનીનું જ ભવન છે, એમાં ક્યાંય હથિયાર નથી-

ગઇ ભવાની ભવન બહોરી.
બંદી ચરન બોલી કર જોરી.
  • શાસ્ત્રોને જ્યારે કટ્ટરતાના વાઘા પહેરાવવામાં આવે છે ત્યારે શાસ્ત્રો પણ હિંસા કરવામાં કાંઇ બાકી રાખતાં નથી! 
  • આ યુનો સંસ્થાએ, આ વિશ્વસંસ્થાએ બીજી ઑક્ટોબર વિશ્વવંદ્ય ગાંધીબાપુના નામની સાથે અહિંસાદિનડિક્લેર કર્યો! સ્વાધ્યાયના પ્રણેતા, સ્વાધ્યાયનો કર્મ કરતો વિચાર જેમણે મહારાષ્ટ્રથી લઇને ગુજરાત-કચ્છમાં વધારે કર્યો, એવા બ્રહ્મલીન પૂજ્ય પાંડુરંગ દાદા, એમના મુખેથી ક્યારેક સાંભળ્યું છે કે એક હાથમાં તલવાર અને એક હાથમાં પવિત્ર કુરાન  જેવો ગ્રંથ લઇ ધર્મનો પ્રચાર ન થઇ શકે.
  • અને તેથી મારી વ્યાસપીઠ માતાને અહિંસારૂપેણ જોવા માગે છે. મા તું સ્વતંત્ર છો. તને એમ લાગે કે સમાજને ઓપરેશનની જરૂર છે ત્યારે મા તું તારા સંકલ્પમાંથી ઊભું કરી અને એ રોગોનું નિવારણ કરી શકીશ. પણ મા અમને એવી સદ્‌બુદ્ધિ આપ કે અમે તને અહિંસારૂપે જોઇએ. નવાં ગીતડાં રચવાં જોઇએ, જેના કેન્દ્રમાં અહિંસા હોય. કોઇ પણ સ્વરૂપનું સર્વાંગ દર્શન થવું જોઇએ.
  • તો બાપ, મા છે જ અહિંસક. રામ અહિંસક જ છે. કૃષ્ણ અહિંસક જ છે. પણ ક્યારેક મહાન ઓપરેશન કરવા પડ્યાં હશે. ક્યારેક ચંડમુંડ, ક્યારેક મહિષાસુર માટે. એનું જે મૂળરૂપ છે એ કરુણાની મૂર્તિ છે. 
  • પણ સત્ય પછીના ક્રમે ગાંધીએ કોઇ વસ્તુને મૂકી તો એ અહિંસા છે. અને તેથી જ-


સત્ય અહિંસા ચોરી ન કરવી,
વણજોતું નવ સંઘરવું.

  • આ દુનિયાનો શ્રેષ્ઠતમ ધર્મ કયો?’ કાગભુશુંડિ બોલ્યા છે-

પરમ ધર્મ શ્રુતિ બિદિ અહિંસા.
પર નિંદા સમ અઘ ન ગરીસા.
  • દેવસ્થાનોમાં હિંસા બંધ થાય. ધર્મને નામે હિંસા બંધ થાય. સીમાડા માટે હિંસા બંધ થાય. સમજણ કેળવવી રહી, કારણ કે યુગોથી ચાલતી હિંસાએ કોઇ પરિણામ નથી આપ્યું.
  • આ હું અને તમે વ્યક્તિગત જીવનમાં ન કરીએ કે મારું ગમે તેટલું બૂરું કર્યું હશે તો હું બદલો નહીં લઉં. હિંસા નહીં કરું. હું જાતે બલિદાન આપીશ. શેના બદલા લેવાના? 
  • હિંસા અનેક રીતે થઇ રહી છે સમાજમાં. આપણે આપણાથી શરૂઆત કરીએ, બસ! તો અહિંસાનું રૂપ આપણી સામે રહે. હિંસાનાં ત્રણ રૂપો તો જગજાહેર છે. જેને શાસ્ત્રીય રૂપ કહી શકાય. એક છે ખુદે કરેલી હિંસા. માણસ પોતે હિંસા કરે. ઘણા ખુદ ન કરે પણ બીજા પાસે કરાવે એ કારિત હિંસા. કારિત હિંસા પાછળ રહીને કરાવી નાખે, ‘તું આનું અપમાન કરી નાખજે. અમે નહીં બોલીએ. તું બોલી નાખજે!ત્રીજી હિંસાનું નામ છે અનુમોદિત હિંસા. પોતે હિંસા કરે પણ નહીં, કરાવે પણ નહીં અને કોઇક કરી હોય એને અનુમોદન આપી દે કે એ જ લાગના હતા!


  • ઘણા માણસો પોતે જાતે હિંસા દેખાય એમ ન કરે પણ ઉચ્ચારિત હિંસા કરતા હોય. કોઇને ધક્કો ન મારે પણ વેણ એવાં કાઢે કે ધક્કો મારી દે! દ્વેષબુદ્ધિથી તમે કોઇના માટે બોલો એ હિંસા છે. માણસ દ્વેષપૂર્વક ચિત્તથી વાણીનાં બાણ મારે એ ઉચ્ચારિત હિંસા છે. ઘણા માણસો ડાહ્યા હોય. બહુ ડાહ્યા તો ન કહેવાય. બહુ હોશિયાર હોય! એ શું આમ આમ આચરિત હિંસા પણ ન કરે, ઉચ્ચારિત ન કરે, વિચારણામાં હિંસા કરે કે આને કોક આંટી જાય! માનાં નોરતાંમાં હું અને તમે એવા વેણ ફરે અને આપણે બદલી નાખીએ એવા વ્રત નહીં પણ શિવ સંકલ્પ વ્રત કરીએ. કોઇની હિંસા ન થાય. ના કારિત, ના અનુમોદિત, ના ઉચ્ચારિત, ના આચારિત. આ જે દુર્ગા છે એને અહિંસા રૂપે આપણે જાગૃત કરીએ. એકવીસમી સદીમાં અહિંસારૂપેણ માની આવશ્યકતા છે.



(સંકલન : નીિતન વડગામા)

Sunday, October 2, 2016

માનસ દર્શન

To read more on "હરિનામથી મળે જીવનના કૂંજામાંથી પરમાત્માની અમૃતમયી પ્રસાદી" and  "ગાંધીનું વિચાર-ઉચ્ચાર-આચારનું સત્ય એ શિવતત્ત્વનું ત્રિપુંડ છે", visit epaper of Divya Bhaskar daily of Sunday Edition, page 8.


Saturday, October 1, 2016

માનસ માતૃ દેવો ભવઃ

રામ કથા

માનસ માતૃ દેવો ભવઃ


માતા વૈષ્ણવોદેવી

કટ્રા, (J & K)


શનિવાર, ૦૧-૧૦-૨૦૧૬ થી રવિવાર, ૦૯-૧૦-૨૦૧૬

મુખ્ય પંક્તિઓ


जगत मातु सर्बग्य भवानी। 

मातु सुखद बोलीं मृदु बानी॥

.................................१-७१/८

पारबती भल अवसरु जानी। 

गईं संभु पहिं मातु भवानी॥
.................................१-१०६/२



શનિવાર, ૦૧-૧૦૨૦૧૬



Read More on : "કાશ્મીરમાં તંગદિલનું વાતાવરણ હોવા છતાં વૈષ્ણોદેવીમાં આજથી શ્રીરામકથા માટે મોરારીબાપુ અડગ"

માતૃ શબ્દનો એક અર્થ આકાશ થાય છે.

મા અને માતૃત્વ આકાશ માફક અસિમ અને ઉદાર હોય.

માતૃ દેવો ભવ માં "મા" એ અસિમ તત્વ છે.

દેવ એટલે સાધુમ મુનિમ સંત જે સ્વાર્થી નથી પણ પરમાર્થી છે.

પાંચ દેવ છે.

૧ રામદેવ એટલે કે ભગવાન રામ

૨ નામ દેવ

૩જ્ઞાન દેવ

૪ કામદેવ

૫ મહાદેવ

ભવ એટલે વૃષભ, બળદ

દેવ એટલે કપાસની એક જાત છે.

મા આકાશ જેવી હોય.

મા સાધુ ચરિત કપાસ જેવી હોય.

મા વૃષભ - ધર્મ - કૃપાની વર્ષા કરે તેવી હોય.

મા ની કરૂણા અચલ અને 

મા સંકિર્ણ ન હોઈ શકે.

પહેલું નોરતુ મા શૈલજા મા નું હોય છે.

શૈલપુત્રી એટલે પર્વતની પુત્રી.

પર્વતની ઊંચાઈ ઉપર શીતલતા હોય છે. મા ની ઊંચાઈ ઉષ્મા આપે તેવી હોય, શીતલતા આપે તેવી હોય, દાહક ન હોય.

શૈલ પુત્રી મા પાર્વતીની ઊંચાઈ ધવલ છે, નિષ્કલંક છે, બેદાગ છે.જેમ પર્વત ઉપરથી ઝરણું વહે છે તેમ શૈલ પુત્રી વાત્સલ્ય, મમતા રૂપે કૃપા કરે છે.

રામ ચરિત માનસ પણ મા છે.
कलिमल हरनि बिषय रस फीकी । 

सुभग सिंगार भगति जुबती की ।।

दलनि रोग भव मूरि अमी की । 

तात मातु सब बिधि तुलसी की ।।

आरती श्री रामायण जी की........।।
રવિવાર, ૦૨-૧૦-૨૦૧૬

પ્રણામ બધાને કરો પણ સમર્પણ ફક્ત એક ને જ કરો. શરણાગતી તો એકની જ થાય.

સત્ય એ જ પરમેશ્વર ...... ગાંધીજી

સત્ય પૂર્ણ જીવનનું નામ રામ છે.

પ્રેમ પૂર્ણ જીવનનું નામ ચરિત છે.

કરૂણા પૂર્ણ જીવનનું નામ માનસ છે.

રામ ચરિત માનસ જ સત્ય, પ્રેમ અને કરૂણા છે, સત્ય્, પ્રેમ અને કરૂણાનો પર્યાય રામ ચરિત માનસ છે, સત્ય, પ્રેમ કરૂણાનો સગોત્રી શબ્દ રામ ચરિત માનસ છે.

પ્રેમ વચનાત્મક ન હોય પણ રચનાત્મક હોય.

પ્રેમની વ્યાખ્યા ન કરાય.

મા ભવાની જગતની માતા છે.

આખું જગત ૫ તત્વોનું બનેલું છે - પૃથ્વી, જલ, આકાશ, વાયુ અને તેજ. અને આ પાંચેય તત્વોની મા ભવાની છે.

રામ એ અનેક દુર્ગાઓનું સમન્વિત રૂપ છે.

રામ, કૃષ્ણ, નારાયણ મા છે.

પરમ તત્વમાં કોઈ જાતિ ભેદ (નર કે નારી) નથી.

પૃથ્વી સૂર્યમાંથી ઉત્મન્ન થયેલ છે, તે જ રીતે જલ, આકાશ, વાયુ અને તેજની માતા ભવાની છે.

जय जय गिरिबरराज किसोरी। 

जय महेस मुख चंद चकोरी॥

जय गजबदन षडानन माता। 

जगत जननि दामिनि दुति गाता॥3॥

नहिं तव आदि मध्य अवसाना। 

अमित प्रभाउ बेदु नहिं जाना॥

भव भव बिभव पराभव कारिनि। 

बिस्व बिमोहनि स्वबस बिहारिनि॥4॥

સાચો પુરૂષાર્થ અને વિવેક ભાઈ છે. (કાર્તિકેય અને ગણેશ)

વિવેક વિનાનો પુરૂષાર્થ સારું પરિણામ ન લાવે.

મા સર્વજ્ઞ છે.

જ્ઞાન એટલે જાણવું.

મન ચંચળ છે એટલે માનવી ઉપર ભરોંસો કરાય પણ મન ઉપર ન કરાય. મનનું બહું ધ્યાન રાખવું પડે.
સર્વજ્ઞમામ ૫ પડાવ છે.

સર્વજ્ઞ એટલે બધું જાણવું.

સર્વજ્ઞ ન બનો પણ સ્વજ્ઞ બનો, પોતાને જાણો.