Translate

Search This Blog

Wednesday, July 27, 2016

ભગવાનની કથા સાંભળે એને રોજ સરસ્વતીસ્નાન છે, ત્રિવેણીસ્નાન છે

ભગવાનની કથા સાંભળે એને રોજ સરસ્વતીસ્નાન છે, ત્રિવેણીસ્નાન છે

  • મારા જીવનના નિચોડનાં ત્રણ સૂત્રો છે -  સત્ય, પ્રેમ અને કરુણા. સત્ય હંમેશાં લેવાય, પ્રેમ હંમેશાં દેવાય ને કરુણામાં હંમેશાં જિવાય


‘રામચરિત માનસ’ની ‘ઉત્તરકાંડ’ આ ચોપાઇમાં લખ્યું છે-
મન કામના સિદ્ધિ નર પાવા.
જે યહ કથા કપટ તજિ ગાવા.
કહહિં સુનહિં અનુમોદન કરહીં.
તે ગોપદ ઇવ ભવનિધિ તરહીં.





  • અહીં ચોખવટ કરવી છે કે અહીંયા ‘નર’ એ કેવળ પુરુષવાચક શબ્દ નથી, ‘નર’ એ મનુષ્યવાચક શબ્દ છે. 



  • ‘કહહિં સુનહિં અનુમોદન કરહીં.’ તો જે આ કથાને કપટ છોડીને ગાશે એની મનોકામના સિદ્ધ થશે. 



  • કપટ છોડીને કહેવી એટલે ગુરુને ભૂલીને ન કહેવી. જેની પાસેથી સાંભળ્યું હોય એનું ઋણ સ્વીકારીને કથા કહેવી. કો’કનાં સૂત્રો આપણા નામે ન ચડાવાય! નહીંતર કથાનું કથન કપટી છે. અને પછી ‘સુનહિં’. શ્રવણ પણ કપટમુક્ત હોવું જોઇએ, કાંઇક મેળવવા માટે હું ગમે ત્યાં સાંભળું, મને કાંઇકનું કાંઇક મળે!


  • સત્ય હંમેશાં લેવાય, પ્રેમ હંમેશાં દેવાય અને કરુણામાં હંમેશાં જિવાય. 

  • અનુમોદન હર્ષિત થઇને આપવું, એને સપોર્ટ પ્રેમથી આપવો.



  • તમે કથા એક વખત ધ્યાન દઇને કપટ છોડીને સાંભળી લો ને તો તમે નવ દિવસ સુધી ગંગાસ્નાન કર્યું છે. આ કહેતાં મને જરાય તકલીફ નથી, કારણ કે મારી સાથે તુલસી પ્રમાણ માટે બેઠો છે-


સકલ લોક જગ પાવનિ ગંગા.



  • ભગવાનની કથા સાંભળે એને રોજ સરસ્વતી સ્નાન છે, રોજ ત્રિવેણી સ્નાન છે. 



  • તો, આવા આવા જેને મનોરથો હશે એ કપટ છોડીને રામકથા ગાશે તો એની મનોકામના રામકથા સિદ્ધ કરશે. અને સિદ્ધિ આઠ પ્રકારની હોય છે. સિદ્ધિ એટલે આઠ પ્રકારની શુદ્ધિ, એનું નામ સિદ્ધિ. મારા અને તમારામાં ‘રામાયણ’ના પાઠ કરતાં કરતાં આઠ પ્રકારની પવિત્રતા આવે એ અષ્ટસિદ્ધિ અને નવ પ્રકારની ભક્તિ આવે એ નવનિધિ.


અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા.
અસ બર દીન્હ જાનકી માતા.



  • પહેલી શુદ્ધિ તનશુદ્ધિ. 
  • બીજી છે માનવીના મનની શુદ્ધિ. ‘મંગલ કરનિ કલિ મલ હરનિ તુલસી કથા રઘુનાથ કી.’

  • ત્રીજી શુદ્ધિ ધનની શુદ્ધિ. ભગવત્ સંબંધી કોઇ કાર્યમાં, બીજાના શુભ માટે થયેલા આયોજનમાં જો રૂપિયો વપરાય તો એ ધનની શુદ્ધિ છે. 
  • ‘રામાયણ’થી માણસના ચિત્તની શુદ્ધિ થાય છે. ચિત્ત પવિત્ર બને છે. ચિત્તના વિક્ષેપો દૂર થાય છે. 
  • પાંચમી શુદ્ધિનું નામ છે અહંકારની શુદ્ધિ. માણસનો અહંકાર ધીરે ધીરે વિગલિત થાય, 
  • અને છઠ્ઠી શુદ્ધિ છે વચનશુદ્ધિ. 
  • સાતમી શુદ્ધિ છે નયનશુદ્ધિ, દૃષ્ટિ ચોખ્ખી થાય. ‘રામાયણ’ પોતે સદગુરુ છે. એ મને ને તમને દિવ્યદૃષ્ટિ આપે. 
  • અને છેલ્લે ‘રામાયણ’ની કથાથી આખા કુળની શુદ્ધિ થાય છે.

(સંકલન : નીતિન વડગામા)


Read full article at Sunday Bhaskar.


Monday, July 25, 2016

માનસ સુક્રાત

રામ કથા 

માનસ સુક્રાત

Intercontinental Athenaeum Hotel,

Athens, Greece

શનિવાર, ૨૩-૦૭-૨૦૧૬ થી રવિવાર, ૩૧-૦૭-૨૦૧૬

મુખ્ય વિચારની પંક્તિ


सुकृत पुंज मंजुल अलि माला। 

ग्यान बिराग बिचार मराला॥
--------------------------------१-३६/७

अरथ धरम कामादिक चारी। 

कहब ग्यान बिग्यान बिचारी॥

---------------------------------------१-३६/९

પ્રસન્નતા પૂણ્ય છે, અપ્રસન્નતા પાપ છે.

જ્ઞાન, વૈરાગ્ય અને વિચાર એ ત્રણ હંસ છે. મરાલ એટલે હંસ

હંસ ત્રણ હોય, ૧ હંસ, ૨ રાજ હંસ અને ૩ પરામ હંસ

વિચાર પરમ હંસ છે.
જ્ઞાન હંસ છે.
વૈરાગ્ય રાજ હંસ છે.
પરમ હંસી વિચારમાં જ્ઞાન અને વૈરાગ્ય આવી જાય.
સુક્રાતે સત્યનો માર્ગ લીધો તો ઝેર પીવું પડ્યું, મીરાએ પ્રેમનો માર્ગ લીધો તો ઝેર પીવું પડ્યું, શંકરે કરૂણા કરી અને ઝેર પીધું.
સત્ય, પ્રેમ અને કરૂણાનો માર્ગ લેનારે ઝેર પીવું પડે છે.
સદ્‌ગુરૂ - બુદ્ધ પુરૂષ સમ્રાટ હોય છે. અને આ સમ્રાટનું સામ્રાજ્ય પૃથ્વી છે. આમ સદ્‍ગુરૂ ક્ષમા રૂપી પૃથ્વીનો માલિક છે. પૃથ્વી ઉપર જળનો ભાગ ત્રણ ભાગમાં છે. આ સમ્રાટ જે કરૂણા મૂર્તિ છે તે તેનું જળ તત્વ છે. આ સમ્રાટને ત્રણ રાણીઓ છે - શાંતિ, સુમતિ અને પવિત્રતા અને આ રાણીઓ સદાય સમ્રાટ પાસે રહે છે.
આ સમ્રાટને એક પુત્ર છે જેનું નામ આત્મ બોધ છે અને એક પુત્રી છે જેનું નામ સ્મૃતિ છે.
વિચાર યાત્રા શ્રેષ્ઠ યાત્રા છે.
"હું કશું જ જાણતો નથી" એવું જાણી લેવું એ શ્રેષ્ઠ બુદ્ધિમતા છે.
આત્માની ઉન્નતિ વિવેક અને સચ્ચાઈ - સત્યથી જ થાય.

सचिव  बिरागु  बिबेकु  नरेसू।  

बिपिन  सुहावन  पावन  देसू॥


सचिव  सत्य  श्रद्धा  प्रिय  नारी।  

माधव  सरिस  मीतु  हितकारी॥

કવિની કૃતિનો સંકેત હંમેશાં પરમાત્મા તરફ હોય છે.
વાત્સલ્ય, આદર, વિશેષ ગુણ કે કર્મના કારણે મળેલ ખિતાબ અને સદ્‌ગુરૂની કૃપાને પચાવવી અઘરી છે અને જે આ પચાવી જાણે છે તે બહું પ્રસન્ન રહે છે.

સુક્રાત ગ્રીસના મહાવીર છે.

मातु पिता गुर प्रभु कै बानी। 

बिनहिं बिचार करिअ सुभ जानी॥

ગુરૂ ENT Specialist છે.

ગુરૂ આપણા કાનનો કચરો સાફ કરે છે જેથી આપણે શુભ સાંભળી શકીએ.
ગુરૂ આપણી સ્વર્ગની કામનાને - આપણી વધારે પડતી કામનાઓનો નાશ કરે છે, સ્વર્ગીય કામનાઓનો નાશ કરે છે. નાકનો એક અર્થ સ્વર્ગ થાય છે.
ગુરૂ કંઠી ન પહેરાવે પણ કંઠને રીપેર કરે, કંઠને સુકંઠ બનાવે.
બુદ્ધિમાન હોવા છતાં બાળક માફક જીવે તે પૂંજ છે, પૂણ્ય છે.
પોતાનું પાપ કબુલ કરી લેવું તે પણ પૂણ્ય છે.
બુદ્ધ પુરૂષની 'હા' માં વેદ હોય અને 'ના' માં વેદના હોય.
બુદ્ધ પરૂષની ના તેના આશ્રિત માટે લાભદાયી હોય છે.
બુદ્ધ પુરૂષના ચરણની સ્મૃતિથી - ચરણના સ્મરણથી પણ અહલ્યાનો ઉદ્ધાર થઈ જાય.
માધ્યમ માર્ગ બનવું જોઇએ. બાધક ન બનવું જોઈએ.
ગુરૂ માર્ગ બને પણ બાધક ન બને.
બેઈમાનીથી પૈસા મળશે પણ પરમેશ્વર નહીં મળે.
જે કરીબ છે તે કબીર છે અને જે કબીર છે તે કરીબ છે.
બીજાનું સત્ય જો આપણને ઉપયોગી ન હોય તે તેવું સત્ય ન સાંભળવું.
બીજાનું સત્ય જો હલકી કક્ષાનું હોય તો તેવું સત્ય ન સાંભળવું.
અતિ વ્યસ્તતા દારિદ્ર છે.
તુલનાત્મક અને ભાવનાત્મક તુલના એ ભ્રમ છે. તુલનામાં વાસ્તવિકતા હોવી જોઇએ.
આધ્યાત્મ સ્વયં સિદ્ધ છે જ્યારે વિજ્ઞાન પ્રયોગાત્મક સિદ્ધ છે.
જે પવિત્ર છે તેને દેવતા કબુલ કરે છે, દેવતા સ્વીકારે છે પણ જેને દેવતા સ્વીકારી લે તે પવિત્ર ન પણ હોય.
બુદ્ધ પુરૂષની નજીક કોઈ હોતું નથી અને બુદ્ધ પુરૂષ કોઈનાથી દૂર પણ નથી હોતો.
બુદ્ધ પુરૂષ કરૂણાવશ બીજાનું શારીરિક દુઃખ પોતાના ઉપર લઈ લેવા સક્ષમ હોય છે અને તેથી જ સમર્પિત આશ્રિત પોતાનું દુઃખ પોતાના બુદ્ધ પુરૂષને જણાવતો નથી.
ચાર ઉત્તમ માનવીય ગુણ
૧ સમજદારી
જે બોલવામાં ચાલવામાં, ખાવાપીવામાં, એક બીજા સાથે કરવામાં આવતા વ્યવહારમાં વિવેક રાખે તે સમજદાર છે.
જે વિવેકમાં રહે, મર્યાદામાં રહે, સંતાપ ન કરે તે સમજદાર છે. સંતાપથી મુક્ત રહેવું જોઈએ.
૨ નિષ્પક્ષતા
નિષ્પક્ષતા બીજો ઉત્તમ માનવીય ગુણ છે.
૩ આત્મ સંયમ
આત્મ સંયમ ત્રીજો ઉત્તમ માનવીય ગુણ છે.
જે કામ ક્રોધ લોભને સમ્યક રાખે તે આત્મ સંયમી છે.
૪ બીજાને સન્માન
બીજાને સન્માન આપવું એ ચોથો ઉત્તમ માનવીય ગુણ છે.



Saturday, July 23, 2016

Ram Katha, Athens, Greece



Intercontinental Athenaeum Hotel,
Athens, Greece.
(Syngrou Avenue 89-93, Athens 117 45, Greece)

KATHA TIMINGS:
Saturday, July 23rd: 4.00 pm onwards
Sunday July 24th to July 31st: 9.30 am to 1.30 pm




  • TV BROADCAST:

Live on Aastha



  • Live Telecast of Shri Ram Katha Morari Bapu from Athens, Greece at 06.20 pm, Saturday, July 23, 2016.




  • Live Telecast of Shri Ram Katha Morari Bapu from Athens, Greece at 12.00 noon, Sunday, July 24, 2016 onwards.


Source Link: http://www.aasthatv.com/index.php/schedules/aastha-india/5392-24-july-2016


Tuesday, July 19, 2016

સદગુરુ સાધક માટે અદ્વિતીય હોય છે, અજોડ હોય છે

The article displayed below is reproduced here with the courtsy of Divya Bhaskar - a leading Gujarati daily.


સદગુરુ સાધક માટે અદ્વિતીય હોય છે, અજોડ હોય છે


‘રામચરિત માનસ’માં ગોસ્વામીજી મંગલાચરણ કરે છે ત્યારે એમાં પહેલાં ભગવતી સરસ્વતી અને ગણેશજીની વંદના કરે છે. વ્યક્તિના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવાં જોઇએ. એટલા માટે ત્યાર પછી શિવ અને પાર્વતીની વંદના કરે છે. અને ત્યારબાદ મંગલાચરણના મંત્રોમાં મુખ્યભાવે ગુરુની વંદના આવી છે. અને તમે બરાબર જોજો, એક-એક શ્લોકમાં ગોસ્વામીજીએ બે-બેની વંદના કરી છે. પહેલા શ્લોકમાં ‘વન્દે વાણીવિનાયકૌ’ વાણી અને વિનાયક અને બીજા શ્લોકમાં ‘ભવાનીશંકરૌ વન્દે’, શિવ અને પાર્વતીની વંદના.

ચોવીસ ગુરુનો મતલબ છે, જેવી રીતે પરમાત્માના ચોવીસ અવતાર છે એવી રીતે ગુરુ પણ ચોવીસ રૂપે પ્રગટ થઈ જાય છે

ત્રીજા શ્લોકને છોડી દઇએ તો ચોથા શ્લોકમાં કવીશ્વર અને કપીશ્વરની વંદના તથા પાંચમા શ્લોકમાં સીતા અને રામની સાથે વંદના કરી. આગળ અને પાછળ બે-બેની વંદના એક સાથે કરી, પરંતુ જ્યારે ગુરુની વંદના આવી ત્યારે કેવળ ગુરુની જ વંદના કરી, કેમ કે ગોસ્વામીજીનું કહેવું કે ગુરુ અદ્વિતીય છે, ગુરુ અજોડ છે. એના પરથી તમે સમજી શકશો કે ગોસ્વામીજીના જીવનમાં ગુરુનો મહિમા કેવો હતો. જ્યાં સુધી સાધકને પોતાના ગુરુમાં અદ્વિતીયતા દેખાય નહીં ત્યાં સુધી સાધક ગુરુને સમજ્યો નથી અથવા ગુરુએ દરવાજો તો ખોલ્યો પરંતુ સાધકને બોલાવ્યો નથી. એ બે બાબતો હોઇ શકે.

ગુરુ અજોડ હોય છે. ગુરુ બહુ મોટો આશ્રય છે. ગુરુવંદનામાં ગુરુઆશ્રયથી ગોસ્વામીજી ગુરુદર્શનનો આરંભ કરે છે. જેવી રીતે કોઇ બગીચામાં સમજદાર ખેડૂત પુષ્પનાં બીજ ચારેબાજુ વેરી દે એવી રીતે મારા ગોસ્વામીજીએ ‘માનસ’નાં બધાં કાંડોમાં ગુરુતત્ત્વનાં બીજ વાવી દીધાં છે. ગુરુજનોનું કેટલું મોટું જગત છે! કેટલો બધો મહિમા છે ગુરુજનોનો!

‘ભાગવતજી’માં દત્ત ભગવાને ચોવીસ ગુરુ કર્યા છે, એનો મતલબ શું? દત્તને ગુરુ જ કરવા હતા તો ચોવીસ જ શા માટે કર્યા? શુકદેવજીને, ભગવાન વેદવ્યાસને ચોવીસનો અંક કેમ પસંદ પડ્યો? એ અકસ્માત છે કે યોગ છે? કે પછી એની પાછળ કોઇ વિધિવત્ ગણિત છે? એ યોગ અને અકસ્માતની વાત નથી, એ વિધિવત્ ગણિત છે. ચોવીસ ગુરુનો મતલબ છે, જેવી રીતે પરમાત્માના ચોવીસ અવતાર છે એવી રીતે ગુરુ પણ ચોવીસ રૂપે પ્રગટ થઇ જાય છે. એટલા માટે તો ગુરુને આપણે પરબ્રહ્મ કહ્યા છે, ગુરુ નરરૂપ હરિ છે.

આ વિશ્વમાં ગુરુ જેવું પરસ્પર વિરોધાભાસી વ્યક્તિત્વ કોઇ પેદા થયું નથી, છે નહીં અને થશે પણ નહીં. એક જ વ્યક્તિત્વ તદ્દન વિરોધી હોય છે અને એગુરુ હોય છે. એટલા માટે ગુરુ અજોડ છે, નિરુપમ છે. એક જ વ્યક્તિમાં જમીન-આસમાનનું અંતર તમે જોઇ શકશો. એ રહસ્ય ગોસ્વામીજી ગુરુને નરરૂપ હરિ કહીને ખોલે છે. તમને ગુરુમાં પૂરી નિષ્ઠા હશે તો તમે એક બાજુથી જોશો તો તમને લાગશે કે એ મનુષ્ય છે. એ આપણા જેવા છે. કપડાં પહેરે છે, ખાય છે, પીએ છે, સૂએ છે. અને બીજા એંગલથી જોશો તો લાગશે કે નહીં, એ મનુષ્ય નથી, એ પરમાત્મા છે.

એક જ વ્યક્તિત્વમાં કેટલો બધો વિરોધાભાસ તમને જોવા મળશે! આ કેવળ ભારતીય અધ્યાત્મજગતમાં જ સંભવ છે. ક્યારેક-ક્યારેક તમને લાગશે કે એ નર છે. તો ક્યારેક-ક્યારેક લાગશે કે ના, ના, એ નરરૂપ હરિ છે. એ સાક્ષાત્ પ્રભુ છે. એટલા માટે ગોસ્વામીજી સિદ્ધ કરવા માગે છે કે ગુરુ અદ્વિતીય છે. એમના જેવું બીજું કોઇ નથી.

ગુરુ સાધક માટે અજોડ છે. અને તુલસીદાસજીનો અભિપ્રાય તો એવો છે કે જો કોઇને ગુરુની પહેલાં ઈશ્વર મળી જાય તો પણ એ ઇશ્વરને સારી રીતે પામી શકતા નથી. સદગુરુનો આશ્રય બહુ જ આવશ્યક છે. ભગવાન તો મળી જાય છે. ‘રામાયણ’માં ઘણા લોકોને ભગવાન મળ્યા પરંતુ મળ્યા બાદ પ્રભુ ઉપર સંશય થઇ ગયો. ઘણા લોકોને ભગવાનનાં દર્શન થયાં અને પછી તેઓ અહંકારી થઇ ગયા. સીધા ભગવાન મળવાથી શું ફાયદો? કદાચ એટલા માટે જ આપણે ત્યાં ભક્તોએ ગાયું છે કે-

ગુરુ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગું પાય,
બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય.

ગોવિંદને પૂર્ણરૂપે કોણ બતાવી શકે છે? ગુરુ જ બતાવી શકે છે. એમ જ ભગવાન મળી જાય તો સીધી ક્યાં ખબર પડે છે?

હું વિદેશી મહાપુરુષોને વાંચી રહ્યો હતો, એમાં સોક્રેટિસે એક વચન કહ્યું છે, પરંતુ એ અધૂરું છે. પૂરેપૂરું કોઇ સૂત્ર શીખવું હોય તો હિન્દુસ્તાનમાં જ આવવું પડે છે. સોક્રેટિસે કહ્યું કે ગુરુ એક દાયણ છે, બાળકને જન્મ આપનારી નર્સ છે. એટલે કે એ કહેવા માગતા હતા કે ગુરુ જન્મ આપી દે છે. દ્વિજ બનાવી દે છે. પરંતુ એ પૂરું નથી. નવો જન્મ ક્યારે થાય છે? જ્યારે આપણે મરી જઇએ છીએ ત્યારે. તો આ દેશની સંસ્કૃતિ કહેશે કે ગુરુ કેવળ દાયણ નથી. એ પહેલાં મારે છે, પછી પેદા કરે છે. પહેલાં અહંકારને, સંદેહને, સંશયને, ભ્રમને પૂરેપૂરાં ખતમ કરી નાખે છે અને પછી નવો જન્મ આપે છે. તેઓ પુનર્જીવિત કરે છે. ગુરુ પહેલાં મારે છે. અને મારવા પડે છે. એ આવશ્યક છે. પહેલાં તો એની હસ્તી મિટાવી દેવામાં આવે છે અને પછી એ ભૂમિકાએથી કોઇ દિવ્ય પુષ્પ ખીલી જાય છે. ગુરુજનોનું આ કાર્ય છે.

તો, સદગુરુ સાધક માટે અદ્વિતીય હોય છે, અજોડ હોય છે. અને સાધકનો ભાવ અનન્ય હોય તો શું નથી થઇ શકતું? સંત નામદેવના જમાનાની પ્રસિદ્ધ કથા છે. એક વૃદ્ધ માતાજીએ સંકલ્પ કર્યો કે મારે અગિયારસો બ્રાહ્મણોને ભોજન કરાવવું છે. એ વાત નામદેવે સાંભળી. નામદેવ ગુરુ હતા. સદગુરુની ભૂમિકાએ પહોંચી ગયા હતા એ મહાપુરુષ. નામદેવ પોતાની સાથે એક બાળકને લઇને એ વૃદ્ધ માતાજીને ઘેર આવે છે અને ભિક્ષા માગે છે. માતાજીએ ભોજન બનાવ્યું. એમના મનમાં તો અગિયારસો બ્રાહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ હતો. નામદેવજીને ભોજન પીરસી દીધું.

નામદેવજીએ બ્રહ્માર્પણ કરીને ભોજન કર્યું. એક પતરાળામાં ભોજન કર્યું હતું. જ્યારે ભોજન પૂરું થયું ત્યારે બુદ્ધિ કામ ન કરે એવી એક ઘટના બની! આ દંતકથા નથી, સંતકથા છે. પોતાની સાથે જે બાળક હતો એને કહ્યું કે બેટા, ભોજન થઇ ગયું છે, પતરાળું ઉઠાવી લો. બાળક જ્યારે એ પતરાળું ઉઠાવે છે તો બીજું પતરાળું પડ્યું હતું! નામદેવ મુસ્કુરાય છે. બાળક અને વૃદ્ધ માતાજી હેરાન છે કે આ શું વાત છે? એમને થયું કે એ પતરાળાં એક સાથે રહી ગયાં હશે. બીજું ઉઠાવ્યું અને બાજુમાં રાખ્યું તો ત્રીજું પડ્યું હતું!

એમ કરતાં-કરતાં અગિયારસો પતરાળાં નીકળ્યાં! અને વૃદ્ધ માતાજી રડી પડી કે બાબા, આ શું છે? તો નામદેવે કહ્યું કે, અગિયારસો માણસોને ભોજન કરાવવાનો તારો સંકલ્પ હતો ને? એક સદગુરુને ભોજન કરાવી દો, તમારો સંકલ્પ પૂરો. આવા પહોંચેલા સદગુરુને ભોજન કરાવવાથી કોણ જાણે કેટલાયે ભંડારા થઇ જાય છે! કોણ જાણે કેટલા લંગર લાગી જાય છે! કોણ જાણે કેટલી ચોરાસી થઇ જાય છે! કોણ જાણે કેટલાય પિતૃઓનું તર્પણ થઇ જાય છે! આવા ગુરુ હોય છે અદ્વિતીય. આવા ગુરુ હોય છે અજોડ

(સંકલન : નીિતન વડગામા)



Read full article at its source link.

સત્ સત્‌ પ્રણામ ગુરૂદેવ

Guru Purnima, गुरु पूर्णिमा, ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા
જય ગુરુ દેવ

આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ((મંગળવાર, અષાડ સુદ ૧૫, સંવત ૨૦૭૨, તારીખ ૧૯ જુલાઈ ૨૦૧૬) મારા ગુરુજી પૂજ્ય બ્રહ્માનંદપુરીજી મહારાજના ચરણોમાં સત્‌ સત્‌ વંદન

શંકરમ્‌ શંકરાચાર્યમ્‌ કેશવમ્‌ બાદરાયણમ્‌


સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તૌ પુનઃ પુનઃ



કૃતે વિશ્વગુરુર્બ્રહ્મા ત્રેતાયાં ઋષિસતમઃ


દ્વાપરે વ્યાસ એવ સ્યાત કલાવત્ર ભવામ્યહમ્‌


गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वररः ।


गुरु साक्षात्‌ परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॥


ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર : |


ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ : ||

_________________________________________________________________________________
પૂજ્ય મોરારી બાપુએ "માનસ સુંદરકાંડ" રામ કથા દરમ્યાન વર્ણવેલ ગુરૂ વિશેના કેટલાક અંશ અત્રે પ્રસ્તુત છે.

  • ગુરૂના ૫ પ્રકાર છે.


ત્રિભુવન ગુરૂ - અવ્યક્ત ગુરૂ
જે ગુરૂ હોવા છતાં ય ન હોવાનો ભાસ થાય, જે અવ્યક્ય રહે તે અવ્યક્ત ગુરૂ છે જે ત્રિભુવન ગુરૂ છે.
तुम्ह त्रिभुवन गुर बेद बखाना। आन जीव पाँवर का जाना॥

જગદ્‌ગુરૂ
जगद्‌गुरु च शास्वतम्‌
આપણે જગદ્‌ગુરૂની પૂજા કરિએ છીએ.
પૂજા સસ્તી છે જ્યારે પ્રેમ મોંઘો છે.

સદ્‌ગુરૂ

સદ્‌ગુરૂને આપણે પ્રેમ કરીએ છીએ.


ધર્મ ગુરૂ
આપણે ધર્મ ગુરૂથી ડરીએ છીએ.

કૂલગુરૂ
કૂલગુરૂને આપણે પ્રેમ નથી કરતા પણ આપણે ઈચ્છીએ છીએ કે કૂલગુરૂ દક્ષિણા લઈને જતા રહે તો સારું.


  • ગુરૂ દ્વાર જવાથી ૫ વસ્તુની પ્રાપ્તિ થાય.


ગુરૂ દ્વારે જવાથી આપણને આપણા વિષાદથી મુક્તિ મળે, આપણો વિષાદ પ્રસાદમાં પરિવર્તિત થઇ જાય.

ગુરૂ દ્વારે જવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય અને એવી વિદ્યા પ્રાપ્ત થાય કે જે આપણને બંધનમાં ન નાખે.


ગુરૂ દ્વારે જવાથી આપણા વિવેકમાં વર્ધન થાય.

ગુરૂ દ્વારે જવાથી આપણો વિશ્વાસ દ્રઢ થાય.

ગુરૂ દ્વારે જવાથી આપણા સંશયો નાશ પામે.
 ગુરૂ શિષ્યનો સંબંધ RELATIONSHIP મુક્ત સંબંધ છે.


  • ગુરૂ પંચમુખી છે.


ગુરૂ ગુરૂ મુખ હોય, હોવા જોઈએ. ગુરૂના મુખેથી ગુરૂ વાણી જ નીકળે.
ગુરૂ પાસે સંત કથા હોય, દંત કથા ન હોય.

ગુરૂ ગો મુખ - ગાય જેવા રાંક હોવા જોઈએ. 
જેમ ગોમુખમાંથી ગંગાનો પ્રવાહ નીકળે છે તેમ ગુરૂના ગોમુખેથી ગંગા જેવી પવિત્ર વાણી નીકળે, ગંદકી ન નીકળે.

ગુરૂ આંતરમુખ હોય.

ગુરૂ સન્મુખ હોય, આપણી સામે હોય.

ગુરૂ વેદમુખી હોય. 
_________________________________________________________________________________
 बंदउँ गुरु पद कंज कृपा सिंधु नररूप हरि।
महामोह तम पुंज जासु बचन रबि कर निकर॥5॥

भावार्थ:-मैं उन गुरु महाराज के चरणकमल की वंदना करता हूँ, जो कृपा के समुद्र और नर रूप में श्री हरि ही हैं और जिनके वचन महामोह रूपी घने अन्धकार का नाश करने के लिए सूर्य किरणों के समूह हैं॥5॥
चौपाई : 
 बंदऊँ गुरु पद पदुम परागा। सुरुचि सुबास सरस अनुरागा॥
अमिअ मूरिमय चूरन चारू। समन सकल भव रुज परिवारू॥1॥
भावार्थ:-मैं गुरु महाराज के चरण कमलों की रज की वन्दना करता हूँ, जो सुरुचि (सुंदर स्वाद), सुगंध तथा अनुराग रूपी रस से पूर्ण है। वह अमर मूल (संजीवनी जड़ी) का सुंदर चूर्ण है, जो सम्पूर्ण भव रोगों के परिवार को नाश करने वाला है॥1॥
 सुकृति संभु तन बिमल बिभूती। मंजुल मंगल मोद प्रसूती॥
जन मन मंजु मुकुर मल हरनी। किएँ तिलक गुन गन बस करनी॥2॥
भावार्थ:-वह रज सुकृति (पुण्यवान्‌ पुरुष) रूपी शिवजी के शरीर पर सुशोभित निर्मल विभूति है और सुंदर कल्याण और आनन्द की जननी है, भक्त के मन रूपी सुंदर दर्पण के मैल को दूर करने वाली और तिलक करने से गुणों के समूह को वश में करने वाली है॥2॥
 श्री गुर पद नख मनि गन जोती। सुमिरत दिब्य दृष्टि हियँ होती॥
दलन मोह तम सो सप्रकासू। बड़े भाग उर आवइ जासू॥3॥
भावार्थ:-श्री गुरु महाराज के चरण-नखों की ज्योति मणियों के प्रकाश के समान है, जिसके स्मरण करते ही हृदय में दिव्य दृष्टि उत्पन्न हो जाती है। वह प्रकाश अज्ञान रूपी अन्धकार का नाश करने वाला है, वह जिसके हृदय में आ जाता है, उसके बड़े भाग्य हैं॥3॥
 उघरहिं बिमल बिलोचन ही के। मिटहिं दोष दुख भव रजनी के॥
सूझहिं राम चरित मनि मानिक। गुपुत प्रगट जहँ जो जेहि खानिक॥4॥
भावार्थ:-उसके हृदय में आते ही हृदय के निर्मल नेत्र खुल जाते हैं और संसार रूपी रात्रि के दोष-दुःख मिट जाते हैं एवं श्री रामचरित्र रूपी मणि और माणिक्य, गुप्त और प्रकट जहाँ जो जिस खान में है, सब दिखाई पड़ने लगते हैं-॥4॥
दोहा : 
 जथा सुअंजन अंजि दृग साधक सिद्ध सुजान।
कौतुक देखत सैल बन भूतल भूरि निधान॥1॥
भावार्थ:-जैसे सिद्धांजन को नेत्रों में लगाकर साधक, सिद्ध और सुजान पर्वतों, वनों और पृथ्वी के अंदर कौतुक से ही बहुत सी खानें देखते हैं॥1॥
चौपाई : 
 गुरु पद रज मृदु मंजुल अंजन। नयन अमिअ दृग दोष बिभंजन॥
तेहिं करि बिमल बिबेक बिलोचन। बरनउँ राम चरित भव मोचन॥1॥
भावार्थ:-श्री गुरु महाराज के चरणों की रज कोमल और सुंदर नयनामृत अंजन है, जो नेत्रों के दोषों का नाश करने वाला है। उस अंजन से विवेक रूपी नेत्रों को निर्मल करके मैं संसाररूपी बंधन से छुड़ाने वाले श्री रामचरित्र का वर्णन करता हूँ॥1॥

_________________________________________________________________________________

  • Guru Purnima Sandesh from Pujya Shree Rameshbhai Oza, Bhaishree.


The significance of the pollen-like dust of Guru's holy feet

The pollen-like dust of Guru’s holy feet is as pious as the holy ashes spread on Lord Shankar’s body. One gains divine vision on remembering the lustre of the gems in the form of the nails on the Guru’s feet and revolution of Guru’s lotus feet.

The pollen-like dust of Guru’s holy feet is like an eye liner to clear the faults in our vision. Our mind will never be corrupted should we listen to Guru’s speech and commands. The balance of one’s eyes and ears is necessary to prevent the mind from being damaged.

Apply the eye liner of the pollen dust of Guru’s holy feet to the eyes and listen to Guru’s words through the ears. This is why in our Vedas, the demi-gods have prayed to the Rishis:

“Let us listen to talks that result in our welfare; may we receive the advice and teachings of our Sadguru in our ears”.

We must take refuge in Sadguru’s holy feet so that God resides in our eyes and ears and sins may not enter.

Sadguru is the steersman of our lifeboat. one who will steer our ship safely to the shore in the hurricanes of the ocean of our life is a Sadguru.

_________________________________________________________________________________
The article displayed below is with the courtesy of  Divya Bhaskar - a leading Gujarati daily.

  • ગુરૂ પૂર્ણિમાઃ જીવન સફળ બનાવવા આ 10 લોકોને પણ ગુરૂ સમાન માનજો


ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ ધર્મમાં ગુરૂને ભગવાનથી પણ મહાન માનવામાં આવ્યા છે કારણ કે, તે યોગ્ય અને અયોગ્ય વિશે તેમના વિદ્યાર્થીઓને જણાવે છે. શિષ્યોના શ્રેષ્ઠ કર્મોનો શ્રેય ગુરૂને જ જાય છે. મનુ સ્મૃતિ મુજબ માત્ર વેદોની શિક્ષા આપનાર જ ગુરૂ હોતો નથી. તે દરેક વ્યક્તિ જે આપણું યોગ્ય માર્ગદર્શન કરે, તેને પણ ગુરૂ સમાન જ માનવો જોઇએ. મનુ સ્મૃતિમાં 10 ગુરૂ જણાવવામાં આવ્યા છે જેમનું વર્ણન આ પ્રકારે છે.
શ્લોકઃ-
आचार्यपुत्रः शुश्रूषुर्ज्ञानदो धार्मिकः शुचिः।
आप्तःशक्तोर्थदः साधुः स्वाध्याप्योदश धर्मतः।।

આ શ્લોકમાં ગુરૂની શ્રેણિઓ વિશે જણાવવામાં આવ્યું છે કે, દસ શ્રેણીના વ્યક્તિ ધર્મ-શિક્ષા આપવાને યોગ્ય છે-

1. આચાર્ય પુત્ર એટલે ગુરૂનો પુત્ર
2. સેવા કરનાર એટલે કે, જુનો સેવન
3. જ્ઞાન આપનાર અધ્યાપક
4. ધર્માત્મા એટલે તે વ્યક્તિ જે ધર્મનું કાર્ય કરે છે.
5. પવિત્ર આચરણ કરનાર વ્યક્તિ એટલે કે, જે સારા કાર્યો કરે છે.
6. સત્ય બોલનાર
7. સમર્થ પુરૂષ એટલે કે, જે વ્યક્તિ પાસે તાકાત, પૈસા વગેરે હોય.
8. નોકરી આપનાર
9. પરોપકાર કરનાર એટલે અન્ય લોકોની મદદ કરનાર
10. ભલાઈ ઇચ્છનાર સગા-સંબંધી
1. સેવા કરનાર એટલે કે, જુનો સેવનઃ-

જુનો સેવક ક્યારેય પોતાના માલિકનું ખરાબ ઇચ્છતો નથી. તેની પ્રામાણિકતા ઉપર વિશ્વાસ કરી શકાય છે. જો જુનો સેવન આપણને કોઇ કામ કરવાથી રોકે અથવા આપણી ભલાઇ માટે કંઇ કહે તો તેમની વાતોને ગંભીરતાથી લેવી જોઇએ. તેની આ સલાહ કે વાતને ક્યારેય હવામાં ઉડાવી દેવી જોઇએ નહીં. બની શકે છે કે, તેની સલાહ આપણને કોઇ કામમાં આવી જાય. આવી સ્થિતિમાં જુના નોકરને પણ ગુરૂ સમાન જ સમજવો જોઇએ.

2. આચાર્ય પુત્ર એટલે ગુરૂનો પુત્ર-

આચાર્ય તે બ્રાહ્મણને કહે છે, જે શિષ્યનું મુંડન સંસ્કાર કરીને તેને પોતાની પાસે રાખી વેદનું જ્ઞાન તથા યજ્ઞ વગેરેની વિધિ શિખવાડે છે. આચાર્યનો પુત્ર પણ સન્માનીય હોય છે. જો આચાર્ય પુત્ર પણ સન્માનનીય હોય છે. જો આચાર્ય પુત્ર પણ આપણને શિક્ષા આપે તો તેને પણ ગુરૂ માનીને શિક્ષા લેવી જોઇએ. આ માટે આચાર્ય પુત્રને પણ ગુરૂની જ સમાન કહેવામાં આવે છે.

3.  જ્ઞાન આપનાર અધ્યાપક-

અધ્યાપક તે હોય છે જે આપણને વેદ-વિદ્યા વગેરેની શિક્ષા આપે છે. અધ્યાપક વિશે મનુ સ્મૃતિમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે-

य आवृणोत्यवितथं ब्रह्णा श्रवणावुभौ।
स माता स पिता ज्ञेयस्तं न द्रुह्योत्कदाचन।।

એટલે કે- તે બ્રાહ્મણ માતા-પિતાની સમાન સન્માનીય હોય છે, જે વેદ-વિદ્યાનો અભ્યાસ કરીને પોતાના શિષ્યના બંન્ને કાનને પવિત્ર કરે છે.

આ પ્રકારે જ્ઞાન આપનાર અધ્યાપક પણ સન્માનને યોગ્ય હોય છે.

4. ધર્માત્મા એટલે તે વ્યક્તિ જે ધર્મનું કાર્ય કરે છે-

ધર્માત્મા તે વ્યક્તિ હોય છે જે હમેશાં ધર્મના કામોમાં વ્યસ્ત રહે છે. ભૂલથી પણ કોઇ અન્ય વ્યક્તિનું હ્રદયને દુઃખ નથી આપતો અને બધા જ લોકોની મદદ કરે છે. આવા વ્યક્તિને પણ ગુરૂ સમાન જ માનવો જોઇએ કારણ કે, ધર્માત્મા ક્યારેય કોઇ ખોટી સલાહ આપતા નથી. જો ધર્માત્મા વ્યક્તિ ક્યારેય કોઇ સલાહ આપે તો તેને પણ ગુરૂની સમાન જ સમજીને તેનું પાલન કરવું જોઇએ.
5. પવિત્ર આચરણ કરનાર વ્યક્તિ એટલે કે, જે સારા કાર્યો કરે છે-

જો કોઇ વ્યક્તિ પવિત્ર આચરણ એટલે હમેશા સારા કામ કરનાર હોય તો તેની પાસેથી પણ શિક્ષા લેવી જોઇએ. સારા કામ કરનાર વ્યક્તિ ક્યારેય કોઇ અન્ય વ્યક્તિ વિશે ખરાબ વિચારશે નહીં અને જો આવો વ્યક્તિ કોઇ સલાહ આપે તો તેને પણ ગુરૂ સમજીને તેનો આદર કરવો જોઇએ.

6. સત્ય બોલનાર-

હમેશાં સાચું બોલનાર વ્યક્તિથી પણ શિક્ષા પ્રાપ્ત કરવી જોઇએ. સાચું બોલનાર વ્યક્તિ જો આપણું માર્ગદર્શન કરે અથવા કોઇ યોગ્ય સલાહ આપે તો તેને પણ ગુરૂ માનીને તેની વાતોને ગંભીરતાથી લેવી જોઇએ.

7. સમર્થ પુરૂષ એટલે કે, જે વ્યક્તિ પાસે તાકાત, પૈસા વગેરે હોય-

મનુ સ્મૃતિ મુજબ સમર્થ પુરૂષથી પણ જ્ઞાન લઇ લેવું જોઇએ કારણ કે, સમર્થ પુરૂષ પોતાના અંગત હિતો માટે ક્યારેય તમને ખોટી સલાહ આપશે નહીં. આવો વ્યક્તિ જો કોઇ વાત કહે તો તેને પણ ગુરૂ માનીને તેના પર પણ ગંભીરતાથી વિચાર કરવો જોઇએ.
 8. નોકરી આપનાર-

જે વ્યક્તિ નોકરી આપે છે તેની પાસેથી પણ શિક્ષા લેવામાં કોઇ હિચક રાખવી જોઇએ નહીં. સંકટની સ્થિતિમાં નોકરી આપનાર વ્યક્તિથી રાહ પણ લેવી જોઇએ. આવા વ્યક્તિ હમેશા સાચો રસ્તો જ જણાવશે. આ માટે તેને પણ ગુરૂ માનીને જ ચાલવું જોઇએ.

9. પરોપકાર કરનાર એટલે અન્ય લોકોની મદદ કરનાર-

જે વ્યક્તિ હમેશા અન્ય લોકોની મદદ કરવા માટે તૈયાર રહે છે તેને પણ ગુરૂ માનીને શિક્ષા તેની પાસેથી શિક્ષા લઇ શકાય છે. પરોપકાર કરનાર વ્યક્તિ હમેશા સાચો રસ્તો જ બતાવે છે.

10. ભલાઈ ઇચ્છનાર સગા-સંબંધી-

જેની સાથે આપણા ઘનિષ્ઠ સંબંધ હોય અને જે હમેશાં આપણી ભલાઇ ઇચ્છતા હોય, એવા સંબંધીઓને પણ ગુરૂ માનીને ચાલવું જોઇએ. આવા સંબંધીઓ જો કોઇ કામથી મનાઇ કરે અથવા કોઇ સલાહ આપે તો તેને ગુરૂની આજ્ઞા માનીને તેનું પાલન કરવું જોઇએ.

Read the article at its source link.

_________________________________________________________________________________




_________________________________________________________________________________

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily.


  • સત્યનું જ્ઞાન કરાવે એ ગુરુ, શિષ્ય એ છે જે ગુરુ પાસેથી સત્ય શું છે તે જાણી લે



ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગુરુ શબ્દમાં બે અક્ષર છે, જેમાં ‘ગુ’ અંધકાર- અજ્ઞાનને સૂચવે છે અને ‘રુ’ છે તે પ્રકાશ- જ્ઞાનનું સૂચન કરે છે. જેના જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનનું અંધારું દૂર થાય તે ગુરુ. પરમને પામવાનો મારગ સહેલો નથી. એ દિશામાં આગળ વધવામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. આધ્યાત્મિકતા શું છે અને તે દ્વારા કેવી રીતે ઈશ્વરપ્રાપ્તિ શક્ય બને તે ગુરુ સિવાય અન્ય કોઈ બતાવી ન શકે. આધ્યાત્મિક દિશામાં પ્રગતિ કરી એક ચોક્કસ મુકામ પર પહોંચવામાં ગુરુ ભોમિયાની ગરજ સારે છે. કબીરની એક સાખી જે ગુરુની સમજણ આ રીતે આપે છે:  

ગુરુ નામ હૈ ગમ્ય કા, શિષ સીખ લે સોય|
બિનુ પદ બિનુ મરજાદ નર, ગુરુ  શિષ નહીં કોય||

ગુરુ એ છે જે સત્યનું જ્ઞાન કરાવે અને શિષ્ય એ છે જે ગુરુ પાસેથી સત્ય શું છે તે જાણે-જાણી લે. ગુરુ અને શિષ્ય પોતપોતાનો ધર્મ જાણતા હોય અને એકબીજા માટે શું કરવાનું છે તેનાથી વિદિત હોય ત્યારે ઈષ્ટ પરિણામ પ્રાપ્ત થતું હોય છે.
ગુરુ સત્ય શું છે તેની પર અજવાળું કરી શિષ્યમાં આત્મજ્ઞાનની જ્યોત પ્રગટાવે છે. અજ્ઞાનનું અંધારું દૂર થાય છે ત્યારે સત્યનું દર્શન થાય થાય છે. સાચા ગુરુ દુર્લભ હોય છે. પથ્થરને હીરો સમજી સાચવીએ પણ સમય આવ્યે ખબર પડે કે આ તો પથ્થર છે ત્યારે? આવું ઘણા મહાપુરુષોના જીવનમાં પણ બન્યું છે. ગુરુ આત્મસાક્ષાત્કાર થવાની દિશામાં એક ડગલું પણ આગળ ન લઈ જાય ત્યારે શિષ્યને ગુરુની મર્યાદાઓની જાણ થાય ને સમજાય કે જેને ગુરુ તરીકે સ્થાપ્યા છે તે પથદર્શક બની શકે તેમ નથી. આતમરામ એ જ સાચો રામ છે એની પ્રતીતિ કરાવી આપે એવા માલમી ગુરુ સાંપડવા તે વિરલ છે. એ જ રીતે કોઈને ગુરુપદે સ્થાપતા પહેલાં પોતાની લાયકાત પણ સાચા ગુરુના શિષ્ય બનવા જેટલી સક્ષમ હોવી જોઈએ. એવું ન બને તો આંધળો આંધળાને દોરે એવી સ્થિતિ બની રહે છે. આ અંગે કબીરની સાખી છે:

જાકા ગુરુ હૈ આંધરા, ચેલા ખરા નિરંધ |  
અંધે કો અંધા મિલા, પડા કાલ કે ફંદ ||
સૌરાષ્ટ્રના સંત દાસી જીવણે એક પછી એક સત્તર ગુરુ કર્યા. જીવણસાહેબની આધ્યાત્મિક ભૂમિકા એટલી નક્કર હતી કે એમને આત્મજ્ઞાન સિવાય કંઈ ખપતું ન હતું. એટલે ગુરુ કરતા જ એમને ખ્યાલ આવી જતો કે સાચું મોતી પસંદ કરવા જતા ફટકિયું મોતી હાથમાં આવ્યું છે. છેવટે ભીમસાહેબ મળ્યા. એમણે ભીમસાહેબને નાણી જોયા. ભીમસાહેબ એમાં ખરા ઊતર્યા. એમણે જીવણસાહેબની ચેતનાનો તાર પરમ સાથે જોડાય એવું જ્ઞાન કરાવી આપ્યું.

નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ થયા ન હતા ત્યારની વાત. વીસ વર્ષના નરેન્દ્ર કોઈ પર ઝટ વિશ્વાસ મૂકે તેમ ન હતું. એ અત્યંત બૌદ્ધિક હતા અને દરેક બાબતને તર્કથી મૂલવવાની એમને ટેવ હતી. એવા સમયે એમને રામકૃષ્ણ મળ્યા. નરેન્દ્રએ સીધો તીર જેવો સવાલ કર્યો: ‘તમે ભગવાનને જોયા છે?’

રામકૃષ્ણે એક પળ પણ રોકાયા વગર કહ્યું: ‘હા, મેં ભગવાનને જોયા છે. હું તને જોઉં છું અને તું મને જુએ છે તે રીતે મેં એમને જોયા છે..’
‘તમે મને ભગવાનનાં દર્શન કરાવી શકો?’

‘હા.’ ને નરેન્દ્ર રામકૃષ્ણ તરફ ખેંચાયા. એકવાર રામકૃષ્ણે કહ્યું કે જેના મનમાં વૈરાગ્ય છે એના માટે પૈસા હાથનો મેલ છે. નરેન્દ્રને પરીક્ષા કરવાનું મન થયું. એમણે ગુરુદેવના બિછાના હેઠળ રૂપિયાનો સિક્કો મૂકી દીધો. રામકૃષ્ણ પથારીમાં સૂવા ગયા ને જાણે વીંછીએ ડંખ માર્યો હોય તેમ ઊભા થઈ ગયા. એમને ખ્યાલ આવી ગયો કે નરેન્દ્રએ એમની પરીક્ષા કરી છે ત્યારે એ ખુશ થયા.

ગુરુ કરતાં પહેલાં વિચાર કરવો પણ ગુરુ કર્યા પછી એ ઈશ્વરસમાન બની રહેવા જોઈએ. કારણ કે સદગુરુ સ્વયં સત્યસ્વરૂપ છે ને સત્યનું રહસ્ય પણ એ જ  બતાવે છે. ‘બલિહારી ગુરુ આપકી જિન્હેં ગોવિંદ દિયો બતાય.’ એ જ ગુરુની બલિહારી છે જે ગોવિંદ બતાવે છે. એટલે ગુરુ અત્યંત પૂજ્ય છે. એમની પૂજા કરતા રહેવી, જે ભગવાનની જ પૂજા છે. આ સંદર્ભે ફરી કબીરજીની સાખી યાદ કરીએ.

મૂલ ધ્યાન ગુરુરૂપ હૈ, મૂલ પૂજા ગુરુ પાંવ|  
મૂલ નામ ગુરુ વચન હૈ, મૂલ સત્ય સતભાવ ||
   Read full article at its source link.

_________________________________________________________________________________

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily.
  • કૃષ્ણ અને શંકરાચાર્ય, અંતરના મધુવનમાં માધવ નહીં મળે તો બીજે ક્યાં મળશે?



ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગુરુપૂર્ણિમા નિમિત્તે ભારતના બે જગદગુરુઓની વાત કરવી છે; યોગેશ્વર શ્રીકૃષ્ણ અને જગદગુરુ આદિ શંકરાચાર્ય. એક કર્મયોગી અને બીજા જ્ઞાનયોગી. શ્રીકૃષ્ણનું જીવન સપ્તરંગી મેઘધનુષ્ય જેવું છે તો શંકરાચાર્યનું નિર્ગુણ અને ચિદાનંદ શિવોહમ્ સ્વરૂપ! કાનો વાંસળી વગાડે, ટચલી આંગળીએ ગોવર્ધન તોળે, દ્રૌપદીનાં ચીર પૂરે અને જરૂર પડ્યે સુદર્શનચક્રથી સમરાંગણ કંપાવે. લાગણીઓના આવેશમાં તણાયેલો પાર્થ હથિયાર હેઠાં મેલે છે, ત્યારે શ્રીકૃષ્ણ હાકલ કરે છે, ‘છોડીને કાયરતા, થા ઊભો! હું તારી પડખે છું, ઉઠાવ ગાંડીવ, યુદ્ધ કર. વિજય તારો નિશ્ચિત છે!’ અને તેમણે બોલેલું પાળી બતાવ્યું. કૌરવોની સાપેક્ષમાં ટાંચાં સાધનો ધરાવતા પાંડવોનો જય થયો. મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો શ્રીકૃષ્ણ એટલે દૃષ્ટિ અથવા વિઝન અને અર્જુન એટલે ગતિશીલતા અથવા ડાઇનેમિઝમ. બેઉનો સરવાળો એટલે ડાઇનેમિક વિઝન!
બીજા મહાન ગુરુ છે, આદિ શંકરાચાર્ય. વેદનો વિજિગિષુ જીવનવાદ વિસરાવા માંડ્યો હતો, ત્યારે આર્ય સંસ્કૃતિના પુનરુત્થાન માટે તેમનું પ્રાકટ્ય થયું. ભારતની અનેકવાર પરિક્રમા કરી, સંપ્રદાયો વચાળેના વિવાદોને કોરાણે મુકાવ્યા અને ‘ન જુદો જીવ શિવથી’ જેવા અદ્વૈત દર્શન દ્વારા આધ્યાત્મિક શ્રદ્ધાને સીંચી. શ્રુતિ, ગીતા અને બ્રહ્મસૂત્રનું ઉત્તમ ભાષ્ય (સમજૂતી) આપ્યું. અધ્યાત્મના પાયાના ખ્યાલોને સચોટ રીતે રજૂ કર્યા. શંકરાચાર્યનું કવિત્ રસપ્રચુર અને અદભુત છે અને તત્ત્વજ્ઞાન તો અપરિમેય અને અજેય છે. ધર્મ-વિજ્ઞાનની બાબતમાં આજે જે કંઇ વાત માંડીએ છીએ, તેના પાયામાં શંકરનું ખેડાણ છે, તે રખે ભુલાય! જેમાં જ્ઞાનનિષ્ઠા, ચારિત્રનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠાનો ત્રિગુણયોગ થયો હોય તેવા મૌલિક નેતૃત્વની આજે તાતી જરૂર છે. એક બાજુ વ્યક્તિગત જીવનમાં ડગલે ને પગલે અનુભવાતા સંઘર્ષ અને તણાવનો ઉકેલ આણવાનો છે. બીજી બાજુ જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર, ત્રાસવાદ અને પ્રદૂષણ જેવી સમસ્યાઓને ભરી પીવા નવાં જીવનમૂલ્યો ખોળવાં અનિવાર્ય છે. ત્યારે માથે હાથ મૂકી બેસી રહ્યે ઓછું પરવડશે?

ભગવાન દત્તાત્રેયની પેઠે આંખ અને કાન ખુલ્લાં રાખીશું તો આસપાસમાં અનેક ગુરુઓ મળી રહેશે. સૂરજદાદાની નિયમિતતા હોય કે કરોળિયાનો ખંત, પળેપળ કોઇ નવી વાત લઇને આવે છે. અરે! કોઇ ન મળે તો અંતરાત્મા પોતે જ મોટો ગુરુ છે. તેને ખોળવાનો એક જ મારગ છે. જે સાચું લાગે તેમાં પૂરી નિષ્ઠાથી જોડાઇ જાઓ, આજે જ. ગુરુર્સાક્ષાત્ સ્વયં બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમ:!

Read the article at its source link.


_________________________________________________________________________________
આજના પાવન પર્વના પ્રસંગે વિશેષ વાચન માટેની લિંક્સ.



















































Monday, July 11, 2016

શાસ્ત્રો કે ધર્મગ્રંથોનું વાંચન નહીં, અવલોકન કરવું જોઈએ

શાસ્ત્રો કે ધર્મગ્રંથોનું વાંચન નહીં, અવલોકન કરવું જોઈએ

  • એવી કઈ સાત મર્યાદાઓનું આપણે પાલન કરીએ કે રોજ આપણે નવાં રહી શકીએ, રોજ સ્કૂર્ત રહી શકીએ?


  • માણસ રાેજ નવો હાેવો જોઈએ. ‘દિનદિને નવંનવં.’ ‘પ્રતિક્ષણ વર્ધમાનં.’ ‘રામચરિત માનસ’માં કહ્યું છે, ‘છન છન નવ અનુરાગ.’


  • ત્યારે ફરી એક વખત ભગવાન વેદનું સ્મરણ થાય, ‘સપ્તમર્યાદા: કવયસ્તતક્ષુ: ’ આ ભગવાન વેદનું વૈશ્વિક અમૃત વચન છે. 
  • સાત મર્યાદાઓ. એવી કઈ સાત મર્યાદાઓનું આપણે પાલન કરીએ કે રોજ આપણે નવાં રહી શકીએ, રોજ તાજાં રહી શકીએ, રોજ સ્કૂર્ત રહી શકીએ? 


  • શાસ્ત્રો કે ધર્મગ્રંથોનુ્ં વાંચન નહીં, અવલાેકન કરવું જોઈએ. વાંચવામાં અને અવલોકન કરવામાં બહુ જ અંતર છે. 
  • એક, મદ્યપાન ન કરવું. 
  • મદ્ય ઘણા પ્રકારનાં હોય છે. એનું પાન ન થાય એનું ધ્યાન રાખવું. આખી દુનિયામાં આપણે નથી જોતાં કે પૈસાનો મદ, પ્રતિષ્ઠાનો મદ! ખબર નહીં, કેટલાં કેટલાં મદ્ય આપણે પીને બેઠાં છીએ! પણ મદ્યપાનનો ત્યાગ કરવાે.


  • બીજું, દ્યૂતનો ત્યાગ, જુગારનો ત્યાગ. 
  • પણ મારે તો એટલું જ કહેવું છે બાપ, રોજ નવાં રહેવું હોય તો સામા માણસની સાથે કોઈ દિવસ રમત ન કરવી. કોઈ એવાં પત્તાં ન ફેંકવાં. સામો નંદવાય-ઘવાય એવા દ્યૂતથી મુક્ત રહેવું. પેલા દ્યૂતથી તો રહેવાનું જ, પણ આનાથી પણ મુક્ત રહેવું. 
  • ત્રીજું, શિકાર ન કરવો. 
  • પણ શિકાર ન કરવાે એટલે કોઈનું અપમાન ન કરવું. કોઈનો તેજો‌વધ થાય એવું કરવું નહીં. આપણે છેતરાઈ જવું. 
  • ચોથું, મારામારી ન કરવી, જે હાલતાં ને ચાલતાં આપણે કરતાં હોઈએ છીએ! ભગવાને કેવી ધરા ઉપરની વાત કરી! કોઈની સાથે મારામારી ન કરવી. અને ઘણાં માણસોને એવી ટેવ હોય, કાંઇ કામ ન હોય હવે પછી મારામારી કરવી! અને આવો કદાચ સંજોગ આવે બાપ, તો હસીને વાત કરવી. મુસ્કુરાઇને વાત કરવી.
  • વેદ ભગવાનની આ પાંચમી મર્યાદા છે, કોઈ દિવસ કોઈએ નારીનો અનાદર ન કરવો, એનું અપમાન ન કરવું. માતૃશરીરનું અપમાન ન કરવું. 
  • છઠ્ઠી મર્યાદા, કઠોરતાનો ત્યાગ કરવો. જીભથી, આંખથી, આપણા શરીરની કોઈ પણ ચેષ્ટાથી, એવી માનસિક રીતે પણ કઠોર ન રહેવું. તુલસીની એક ચોપાઈ છે- સરલ સુભાવ ન મન કટુલાઈ.જથા લાભ સંતોષ સદાઈ.
  • સાતમું સૂત્ર, કોઈ દિવસ કોઈની નિંદા ન કરવી, નિંદા સાંભળવી નહીં. બેસવું જ પડે એવી સભા હોય કે એમાં ઊઠીએ તોય અવિવેક જણાય, તો એમાં બહુ જ વિવેકપૂર્વક વિષયાંતર કરાવી નાખવું. કોઈની નિંદા થતી હોય ત્યાં આપણે ભાગ ન લેવો. મને એવું લાગ્યું છે કે, આ સાત મર્યાદાનું જતન જો આપણે કરીએ, તો આપણે રોજ નવાં, રોજ સ્ફૂર્ત, રોજ શ્રમમુક્ત રહી શકીએ.

(સંકલન : નીિતન વડગામા)


Read full article at Sunday Bhaskar.






ॐ અર્થાત્ ત્રણ અક્ષરોથી બન્યો છે, જે સર્વ વિદિત છે. अ उ म् । “अ” અર્થ છે ઉત્પન્ન થવું, “उ” નું તાતપર્ય છે ઉઠવું, ઉડવું અર્થાત્ વિકાસ, “म” નો અર્થ છે મૌન થઈ જવું અર્થાત્ “બ્રહ્મલીન” થઈ જવું. ॐ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ અને સંપૂર્ણ સૃષ્ટિનો દ્યોતક છે. સૃષ્ટિનો આ પ્રથમ અક્ષર અનેક શક્તિઓથી યુક્ત છે અને દરેક ભગવાનના મંત્રજાપની શરૂઆતમાં બોલવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ ॐ નું ઉચ્ચારણ ચમત્કારિક ફળ પ્રદાન કરે છે અને સદીઓથી ઉપયોગ થતો આવ્યો છે. પરંતુ હાલના અનેક રિસર્ચ બતાવે છે કે ઓમમાં શારીરિક રીતે સ્વસ્થ રહેવાની પણ સૌથી અસરકારક ચાવી છે. સાથે જ જીવનભર સ્વસ્થ રહેવા માટે પણ ॐ નું ઉચ્ચારણ કરવું લાભદાયી રહે છે.


Read full article at Divya Bhaskar. 

Sunday, July 3, 2016

રાજા દાનવીર, દમવીર, દયાવીર, દંડવીર અને દક્ષવીર હોવો જોઈએ

રાજા દાનવીર, દમવીર, દયાવીર, દંડવીર અને દક્ષવીર હોવો જોઈએ

  • ભાવનગરનરેશને અઢારસો પાદરના ધણી કહેવામાં આવે છે. 


  • આ બધાનાં મેં સરેરાશ પાંચ લક્ષણો કાઢ્યાં છે. પાંચ પ્રકારની વીરતા રાજામાં હોવી જોઇએ. એક, રાજા દાનવીર હોવો જોઇએ. 
  •  મારા ‘રામાયણ’માં અેવું લખ્યું છે કે કૈકેયીના ભવનમાં મહારાજા દશરથજી થોડાક મોહપાશમાં બંધાયા અને રામવનવાસ સર્જાયો અને એ સૂતા રહ્યા! દરવાજો ખૂલતો નથી, ત્યારે તુલસીના શબ્દો છે-


દ્વાર ભીર સેવક સચિવ કહહિં
ઉદિત રબિ દેખિ,
જાગેઉ અજહું ન અવધપતિ
કારનુ કવનુ બિસેષિ.


  • પ્રજા પ્રશ્ન પૂછે છે કે, સૂર્ય ઊગી ગયો છે અને હજી અમારા અવધપતિ જાગ્યા નથી? એના ઉપરથી હું એમ કહ્યા કરું કે, એક સમય એવો હતો કે આપણો રાજા ક્યારે સૂતો હોય એની પ્રજાને ખબર હોય. ક્યારે જાગે એની પ્રજાને ખબર હોય. શું ખાય છે એની પ્રજાને ખબર હોય. અને દરેક રાજાએ સૂર્યવંશીપણું ચરિતાર્થ કરવું જોઇએ.


  • બીજું, રાજા દમવીર હોય. દમ એટલે તાકાત, બળવાન માણસ, શૂરવીર. 
  •  એક વસ્તુ એમાંથી પકડાય કે એ ગરીબને પણ ગોતી લેશે. એ પ્રજાની બીમારીને પણ ગોતી લેશે, કારણ કે એનામાં નોંધવાની એક કળા છે. એટલે મારી દૃષ્ટિએ રાજા દમવીર હોવો જોઇએ જ.


  • ત્રીજું, રાજા દયાવીર હોય. એની નમ્રતા, ઋજુતા હોય. સાહેબ, આ બહુ અઘરું છે. 


  • ચોથું લક્ષણ, રાજા દંડવીર હોય, દોષ હોય એને દંડ આપવાનો. 
  • પાંચમું લક્ષણ, રાજા દક્ષવીર હોવો જોઇએ. દક્ષવીર એટલે જેનામાં દક્ષતા હોય, કૌશલ્ય હોય,
  • ખેડૂત આવે છે. વાત કરે છે. મહારાજા અેને બેસાડીને સાંભળે છે. મહારાજાની આંખમાં ભેજ છે. સેક્રેટરીને બોલાવીને કીધું કે, બળદની જેટલી કિંમત થતી હોય એ અને ટ્રેનની ટિકિટ આને આપો.(સંકલન : નીિતન વડગામા)

Read full article at Sunday Bhaskar.