Translate

Search This Blog

Saturday, January 30, 2016

માનસ રાજઘાટ

રામ કથા

માનસ રાજઘાટ

રાજઘાટ 

દિલ્હી

શનિવાર, ૩૦-૦૧-૨૦૧૬ થી રવિવાર, ૦૭-૦૨-૨૦૧૬

મુખ્ય પંક્તિ

पनिघट परम मनोहर नाना। 

तहाँ न पुरुष करहिं अस्नाना।।

राजघाट सब बिधि सुंदर बर। 

मज्जहिं तहाँ बरन चारिउ नर।।

राजघाट सब प्रकारसे सुन्दर और श्रेष्ठ हैं, जहाँ चारों वर्णोंके पुरुष स्नान करते हैं। 



શનિવાર, ૩૦-૦૧-૨૦૧૬

ચેતનાના બે પ્રકાર હોય છે, સુષુપ્ત ચેતના અને જાગૃત ચેતના.

આત્મા મરતો નથી જેને આપણે આત્મ ચેતના કહીએ છીએ.

ગાંધી બાપુ રાજઘાટ ઉપર જાગૃત છે, કંઈક જોવા માટે જાગી રહ્યા છે.

આજે કુષ્ઠ રોગ નિવારણ દિવસ પણ છે.

આજના કુષ્ટ રોગ નિવારણના દિવસે આપણા મનનો કુષ્ઠ રોગ મટી જાય અને ઈષ્ઠ રોગ લાગુ પડી જાય તો સારું.

રામ ચરિત માનસમાં રાજઘાટ શબ્દ એક વાર વપરાયો છે.

તુલસીનો રાજઘાટ વિશિષ્ઠ રાજઘાટ છે.

સત્ય રૂપી ધર્મને પામવા માટેનો રસ્તો અહિંસા છે.

રાજઘાટ રાજ ધર્મ શીખવા માટેની પીઠ છે.

મહાભારત પ્રમાણે ૧૦ વ્યક્તિઓને ધર્મ ન સમજાય.

ભોગમાં અતિ લિપ્ત રહેનારને ધર્મ ન સમજાય.

વિક્ષિપ્ત દશાવાળાને ધર્મ ન સમજાય.

થાકી ગયેલ વ્યક્તિને ધર્મ ન સમજાય.

વારંવાર ક્રોધ કરનાર વ્યક્તિને ધર્મ ન સમજાય.

જેની ભૂખ શાંત નથી થઈ તેવી વ્યક્તિને ધર્મ ન સમજાય.

જે બહું જ ગતિથી દોડે છે, જેને બહું જલ્દી છે તેવી વ્યક્તિને ધર્મ ન સમજાય.

જે બહું લોભી છે તેને ધર્મ ન સમજાય.

જે કામના ગ્રસ્ત છે તેને ધર્મ ન સમજાય.

રામ રાજ્યની પંચાયતનમાં ભરત, લક્ષ્મણ, જાનકી, શત્રુઘ્ન અને હનુમાનજી છે.

ભરત એ જલ તત્વ છે. ગોપી પણ જલ તત્વ છે.

જલ તત્વ એટલે કારૂણ્ય, સંવેદના.

લક્ષ્મણ અગ્નિ તત્વ છે, તેજ તત્વ છે.

રાષ્ટ્ર નાયક તપસ્વી તેમજ તેજસ્વી હોવો જોઈએ.

જાનકી પૃથ્વી તત્વ છે.

હનુમાન વાયુ તત્વ છે. વાયુ તત્વ એટલે ગતિ, વાયુ તત્વ એટલે જીવન. વાયુ વિના જીવન શક્ય નથી.

શત્રુઘ્ન આકાશ તત્વ છે. શબ્દ આકાશમાંથી ઉત્પન્ન થઈ આકાશમાં જ સમાઇ જાય છે, મૌન થઈ જાય છે.

આકાશ મૌન છે અને શત્રુઘ્ન પણ મૌન છે.

શત્રુઘ્નમાં ગગન ગાંભીર્ય છે.

શામ, દામ, દંડ અને ભેદ રાજનીતિમાં હોવા જોઈએ.

શામ, દામ, દંડ અને ભેદ ગુરૂ પ્રીતિમાં હોય.

ગુરૂ પાસે શામ હોય, શામ એટલે સમાધાન, શાંતિ, વિશ્રામ. ગુરૂ પાસે સમાધાન, શાંતિ, વિશ્રામ મળે.

દામ એટલે રસ્સી, પૈસા, ધન

ગુરૂ પાસે દૈવી સંપદા હિય છે.

ગુરૂ આપણને પ્રેમના બંધનામાં બાંધે.

ગુરૂ પાસે દંડ હોય પણ તે દંડ મારવા માટે નહીં પણ આપણને તારવા માટે હોય છે. ગુરૂ  દંડનો એક છેડો પોતાની પાસે રાખે અને બીજો છેડો આશ્રિતને પકડાવે અને તેના સહારે આશ્રિત તરી જાય.

ગુરૂની દંડ નીતિ એવિ હોય છે કે અપરાધ આશ્રિત કરે અને તેનો દંડ ગુરૂ ભોગવે અને તે પણ સદભાવથી ભોગવે.

ગુરૂ મોટાં મોટાં ભેદ - રહસ્ય ખોલે છે. ગુરૂ એ એક એવું ભેદી તત્વ છે જેને સમજવું બહું અઘરું છે. તેથી તો ગવાયું છે કે ગુરૂ તારો પાર ન પાયો.


રવિવાર, ૩૧-૦૧-૨૦૧૬

ગાંધી બાપુએ કરેલ માનસનો અર્થ નીચે પ્રમાણે છે.

માનસ = મ + આ + ન + સ જ્યાં મ નો અર્થ થાય છે મર્યાદા, આ નો અર્થ થાય છે આદર, ન નો અર્થ થાય છે નમ્રતા અને સ નો અર્થ થાય છે સમતા.

રાજઘાટ એ રાજધર્મની વિદ્યાપીઠ છે.

શ્રવણ જો આપણા અનુભવમાં આવે, આપણા જીવનમાં ઊતરે તો તેવું શ્રવણ આપણી સંપદા છે.

રાષ્ટ્ર નાયકનાં ૪ લક્ષણ છે - રૂપ, શીલ, બલ અને તેજ.

આ વાત તુલસી માનસમાં વર્ણવે છે.

सोक  बिकल  सब  रोवहिं  रानी।  
रूपु  सीलु  बलु  तेजु  बखानी॥

सब  रानियाँ  शोक  के  मारे  व्याकुल  होकर  रो  रही  हैं।  वे  राजा  के  रूप,  शील,  बल  और  तेज  का  बखान  कर ........

ગ્રહથી પરમાત્મા બળવાન છે, તેથી ગ્રહની પાસે જવા કરતાં પરમાત્માના શરણમાં જવું વધારે યોગ્ય છે.

ગુરૂના અનુગ્રહથી બળવાન અન્ય કંઈ જ નથી.

પોતાના તેમજ પ્રજાના ગુણ દોષ જે જાણે છે તે રાજા છે.

રાજઘાટના ૪ ખુણા છે જે નીચે પ્રમાણે ૪ સંકેત કરે છે.


રાજઘાટનો એક ખુણો અભેદ છે જે કોઇ જાતિ, વર્ણ કે ધર્મનો ભેદ નથી તેવું દર્શાવે છે.


રાજઘાટનો બીજો ખુણો અભય છે.

સત્યની કૂખે જન્મેલ બેટો અભય છે.

Click here ગાંધીજીના અગિયાર વ્રતો to read more.



રાજઘાટનો ત્રીજો ખુણો અમન છે, શાતિ છે, નિરવેરતા છે.


રાજઘાટનો ચોથો ખુણો અવધ છે જે દર્શાવે છે કે અહીં કોઇનો વધ ન થાય જે અહિંસા તરફ સંકેત કરે છે.


આધ્યાત્મ જગતમાં પણ આ ચાર ખુણા - અભેદ, અભય, અમન અને અવધ હોવા જોઇએ.


સોમવાર, ૦૧-૦૨-૨૦૧૬
રાજઘાટ એ ભૂમિ છે અને રામઘાટ એ ભૂમિકા છે.

આપણી યાત્રા રાજઘાટથી રામઘાટની છે.

રામ ચરિત માનસ સંકેતાત્મક છે, સંવેદનાત્મક છે, સત્યાત્મક છે, શાસ્ત્રાત્મક છે....

રાજનીતિ અને રાજધર્મ અલગ છે.

રાજ ધર્મ સત્ય, પ્રેમ, કરૂણાથી ભરપુર છે.

ગાંધીની લાઠી કોઇ ઉપર પ્રહાર કરવા કે કોઇના પ્રહારાને રોકવા માટે નથી પણ પણ આઝાદ ભારતનો અદ્રશ્ય ત્રિરંગો ફરકાવવા માટે હતી.ગાંધીની લાઠી ઉપર એક અદ્રશ્ય ત્રિરંગો  ચોવિસે કલાક ફરકે છે.

સૌજન્ય સહ : http://www.morpichh.in/2015/11/blog-post_21.html

પોતડી ,ચશ્માં અને એક લાકડી 
જે હજારો તોપને ભારે પડી !

સત્યને સ્હેવો પડ્યો'તો રંગભેદ !
લાલપીળી થઈ ઉઠી'તી એ ઘડી

છાપ આખા વિશ્વ પર પાડી ગઈ !
દાંડી યાત્રાએ ગયેલી ચાખડી .

પાંચ ફૂટની સાદગી શું વિસ્તરી ?
આખી આ દુનિયા પડી ગઈ સાંકડી !

અંધ-શ્રધ્ધાથી ગુલામી દૂર થઈ 
બાંધી'તી વિશ્વાસની નાડાછડી !

રેંટીયામાં કાળને કાંતી લીધો !
કાળને એની સમજ પણ ના પડી

ઘરના બે ટુકડા થયા,સળગ્યા પછી
બંધ આંખોમાં અહિંસા તરફડી

મોક્ષને પામી ત્રણેત્રણ ગોળીઓ !
ચામડીના તીર્થમાં એ જઈ ચડી !

-ભાવેશ ભટ્ટ (પાઠક)

राजधरम  सरबसु  एतनोई।  

जिमि  मन  माहँ  मनोरथ  गोई॥

રાજાનું મન, લોભીનું ધન, દુર્જનનો મનોરથ અને સ્ત્રીનું ચરિત્ર કોઇની સમજમાં આવતું નથી. અહીં સ્ત્રીના ચારિત્રની વંદના છે, ટીકા નથી.

પાંચ કન્યા

કસ્તુરબા


રાણી લક્ષ્મીબાઇ


મહારાણી મીરા


ગંગાસતી


સોનલમા


ચાર કુમાર

આદિ શંકર


સ્વામી વિવેકાનંદ


સ્વામી રામતિર્થ


બુલ્લેશાહ


૮ અનર્થ


મદ


અહંકાર


આળસ


બુદ્ધિની ભ્રષ્ટતા


કલેશ


ધર્મથી વિમુખતા


નિદ્રા - બેહોશી


સુખ કંથા

રાજનીતિમાં રાજ ધર્મ ન હોય તો તેવી રાજનીતિમાં ૮ અનર્થ પેદા થાય.

રાજધર્મ પતિ છે અને રાજનીતિ પત્ની છે. રાજધર્મ વિનાની રાજનીતિ વિધવા છે.

नहिं कोउ अस जनमा जग माहीं। 

प्रभुता पाइ जाहि मद नाहीं॥

जगत में ऐसा कोई नहीं पैदा हुआ, जिसको प्रभुता पाकर मद न हो.

શાંતિ પ્રાપ્ત કરવા માટે મંથન કરવું પડે - પરિશ્રમ કરવો પડે અને અહંકારને તોડવો પડે. રાજા જનક હળ ચલાવે છે ત્યારે તેમને જાનકી પ્રાપ્ત થાય છે અને ભગવાન રામ અહંકારના ધનુષ્યને તોડે છે ત્યારે તેમને જાનકી પ્રાપ્ત થાય છે. જાનકી શાંતિ છે.

સ્વાસ્થ્ય, સંકલ્પ, જ્ઞાન અને પ્રેમ અખંડ ન રહે.

 હું કશું જ નથી જાણતો તેવું કહેનાર જ જાણકાર છે અને હું જાણું છું તેવું કહેનાર કશું જ જાણતો નથી.

પરમાત્મા પરીક્ષાનો વિષય નથી પણ પ્રતિક્ષાનો વિષય છે. (સતીનું સીતાનું રૂપ ધારણ કરી પરીક્ષા કરવાનો પ્રસંગ)

મજબુરી માણસને  ખોટું બોલવા પ્રેરે.

માણસ મગરુરીમાં ખોટું બોલે.

માણસ મજબુતીમાં ખોટું બોલે. (એવી રીતે બોલે કે જાણે તે ખોટું બોલવામાં પારંગત છે.)

બૌદ્ધિકનું જુઠ મજબુતીનું જુઠ છે.

મંગળવાર, ૦૨-૦૨-૨૦૧૬
રામ ચરિત માનસમાં તુલસીદાસજી ચાર ઘાટ વર્ણવે છે.

પૂર્વ દિશાનો ઘાટ શરણાગતિનો ઘાટ છે, ગૌ ઘાટ છે જ્યાં પ્રધાન વક્તા ગોસ્વામી તુલસીદાસજી છે અને શ્રોતા પોતાનું શઠ મન છે.

પશ્રિમ દિશામાં કૈલાશ ઘાટ છે, જે જ્ઞાન ઘાટ છે, સંતો તેને રાજઘાટ પણ કહે છે. અહીં ભગવાન શંકર વક્તા છે અને પાર્વતી શ્રોતા છે.

ઉત્તર દિશામાં ઉપાસના ઘાટ છે જ્યાં બાબા ભુસુડી વક્તા છે અને ખગ રાજ ગરૂડ શ્રોતા છે.

દક્ષિણ દિશામાં કર્મના ઘાટ, પંચાતયીના ઘાટ ઉપર પરમ જ્ઞાની મુનિ યાજ્ઞવલ્ક વક્તા છે અને ભરદ્વાજ મુનિ શ્રોતા છે.

શરણાગતિના ઘાટ સિવાયના ત્રણેય ઘાટ ઉપર ચાલતી કથામાં શરૂઆત નાથ શબ્દથી થાય છે.

ઉત્તર દિશા

नाथ कृतारथ भयउँ मैं तव दरसन खगराज।

आयसु देहु सो करौं अब प्रभु आयहु केहिं काज।।

हे नाथ ! हे पक्षिराज ! आपके दर्शन से मैं कृतार्थ हो गया। आप जो आज्ञा दें, मैं अब वही करूँ। हे प्रभो ! आप किस कार्य के लिये आये हैं?।।



उत्तर दिसि सुंदर गिरि नीला। 

तहँ रह काकभुसुंडि सुसीला।।

राम भगति पथ परम प्रबीना। 

ग्यानी गुन गृह बहु कालीना।।

उत्तर दिशा में एक सुन्दर नील पर्वत है। वहाँ परम सुशील काकभुशुण्डिजी रहते हैं।।वे रामभक्ति के मार्ग में परम प्रवीण हैं, ज्ञानी हैं, गुणों के धाम हैं, और बहुत कालके हैं।

આશ્રિત ગુરૂને નથી શોધતો પણ ગુરૂ યોગ્ય આશ્રિતને શોધે છે.

દક્ષિણ દિશા

नाथ एक संसउ बड़ मोरें। 

करगत बेदतत्त्व सबु तोरें॥

हे नाथ! मेरे मन में एक बड़ा संदेह है, वेदों का तत्त्व सब आपकी मुट्ठी में है (अर्थात्‌ आप ही वेद का तत्त्व जानने वाले होने के कारण मेरा संदेह निवारण कर सकते हैं).

પશ્રિમ ઘાટ

बिस्वनाथ मम नाथ पुरारी।

त्रिभुवन महिमा बिदित तुम्हारी॥

(पार्वतीजी ने कहा-) हे संसार के स्वामी! हे मेरे नाथ! हे त्रिपुरासुर का वध करने वाले! आपकी महिमा तीनों लोकों में विख्यात है।

પૂર્વ દિશા

અહીં ગોસ્વામીજી પ્રધાન વક્તા છે અને શઠ મન શ્રોતા છે. આ શરણાગતિનો ઘાટ છે, ગૌ ઘાટ છે.

અહીં કથાની શરુઆત નાથ શબ્દથી નથી થતી. કારણ કે નાથ શબ્દ શ્રોતા માટે વપરાય છે અને અહીં શ્રોતા મન હોવાથી તેને નાથ સંબોધન નથી કરાતું.

कहउँ कथा सोइ सुखद सुहाई। 

सादर सुनहु सुजन मन लाई॥

મંદિરમાં દર વર્ષે તેનો પાટોત્સવ ઉજવાય છે તેવી રીતે રાજઘાટનો પણ પ્રતિ વર્ષ પાટોત્સવ ઉજવાવો જોઈએ.

રાજઘાટ ઉપર ચાલતી રામ કથા એ રાજઘાટનો પાટોત્સવ છે.

વિશ્વાસના વટ વૃક્ષ નીચે વિશ્રામ કરીએ તો વિશ્રામનું સ્થળ ઘડીએ ઘડીએ બદલવું ન પડે.

चातक कोकिल कीर चकोरा। 

कूजत बिहग नटत कल मोरा॥

पपीहे, कोयल, तोते, चकोर आदि पक्षी मीठी बोली बोल रहे हैं और मोर सुंदर नृत्य कर रहे हैं॥

ચાતક
શિક્ષણ પદ્ધતિમાં ચાતક વૃત્તિ હોવી જોઈએ. ચાતકનું એક જ લક્ષ્ય હોય છે.

કોકિલ

શિક્ષણ પદ્ધતિમાં કોકિલની માફક વિદ્યાર્થી ગાતો હોવો જોઇએ.

શિક્ષકોએ ઊઠ બેસ કરાવવાની જગાએ નૃત્ય કરાવવું જોઇએ.

સાદગીમાં પણ એક ઊર્જા હોય છે.

બ્રહ્મ ચર્ચા સાંભળવાથી ક્રમશઃ બ્રહ્મચર્ય તરફ જવાશે.

ગાંધીજીના વિચારોમાં વિવેક પૂર્ણ અસહમતિ પણ ગાંધી વંદના છે.

સત્ય, પ્રેમ, કરૂણાનો સુધા સ્વાદ ચખવાડવાથી બીજા સ્વાદ છૂટી જાય.

શુભ કારો કરવામાં સત્તાપક્ષ અને વિપક્ષ ન હોવા જોઇએ.

જ્યાં કોમળતા અને કમજોરી હોય તે જ જીવન છે,..........લાઓત્સુ

ગાંધી બાપુનાં સૂત્રોમાં નવદર્શન જરૂરી છે.

દુનિયા નિર્વસ્ત્ર કરી શકે પણ નગ્ન ન કરી શકે. નગ્નતા તો સહજતા છે.

દુનિયા નગ્નને શું નગ્ન કરવાની?

આસન જે આવડે તે કરો પણ દુશાસન ન કરો.

દેશને એટમ બોમ્બની જરૂર નથી પણ આતમ બોમ્બની જરૂર છે. ........ વિનોબા ભાવે

ગાંઘીજીએ શાંતિ માટે કદમ ઊઠાવ્યું છે. .........આઈન્સટાઇન

सचिव  बिरागु  बिबेकु  नरेसू।  

बिपिन  सुहावन  पावन  देसू॥

રાજઘાટમાં ગાંઘીજીની સમાધિ ઉપર જ્યોતિ જલે છે.

રાજઘાટ એ બે શબ્દોથી બને છે, રાજ + ઘાટ

રાજ શબ્દના અનેક અર્થ થાય છે જેમ કે રાજ એટલે પરમાત્મા, શંકર જે પોતે જ પરમાત્મા છે, મંત્ર, અંધારૂં, કડિયો વગેરે

ઘાટ શબ્દના પણ અનેક અર્થ થાય છે જેમ કે ઘાટ એટલે ચહેરો, સિક્કલ, એક ઓઢણીનું નામ, પર્વતમાં બનાવેલ રસ્તો વગેરે

રાજાના ૮ રૂપ છે અને તેમની આઠ નીતિ છે.


  1. ચંદ્ર - ચંદ્રાંશ નીતિ
  2. સૂર્ય
  3. અગ્નિ
  4. પવન
  5. ઈન્દ્ર - ભેદ નીતિ
  6. વરૂણ
  7. યમ - દંડ નીતિ
  8. કુબેર - દામ નીતિ 

બુધવાર, ૦૩-૦૨-૨૦૧૬

સપ્તર્ષિના તારાઓમાં વિવેકાનંદ એક ઋષિ તારો છે.

ગાંધીજી પણ એક ઋષિ તારો છે અને તે અગત્સયનો તારો છે, કુંભજ ઋષિ છે.

ગાંધીજી ફક્ત આપણા આદર્શ જ ન બની રહે પણ આપણા વ્યવહારમાં, આચારમાં પણ રહે.

ગાંધીજીના વિચાર જીવનમાં ઊતારવાથી જીવનમાં ઘણો વિશ્રામ મળશે.

કુંભજ વિચારધારા નિર્માણ અને નિર્વાણની વિચારધારા છે.

રામ વનવાસ દરમ્યાન ૩ ઋષિને મળે છે - ભરદ્વાજ, વાલ્મીકિ અને કુંભજ.

સ્વાર્થના માર્ગના નિષ્ણાતને માર્ગ ન પૂછાય પણ પરમાર્થના માર્ગના નિષ્ણાતને માર્ગ પૂછાય.

भरद्वाज मुनि बसहिं प्रयागा। 

तिन्हहि राम पद अति अनुरागा॥

तापस सम दम दया निधाना। 

परमारथ पथ परम सुजाना॥

भरद्वाज मुनि प्रयाग में बसते हैं, उनका श्री रामजी के चरणों में अत्यंत प्रेम है। वे तपस्वी, निगृहीत चित्त, जितेन्द्रिय, दया के निधान और परमार्थ के मार्ग में बड़े ही चतुर हैं.

જીવનનો માર્ગ અનુરાગીને પૂછવો.

તપસ્વીને જીવનનો માર્ગ પૂછવો.

જે નીંદા અને અસ્તુતિને સમચિત સહન કરે તે તપસ્વી છે.

જે પોતે ગુન્હેગાર ન હોય તો પણ સહન કરે તે તપસ્વી છે, જે ક્ષમા કરે તે તપસ્વી છે.

ઈશ્વર શાંત છે અને બુદ્ધ પુરૂષ તેનાથી પણ વધારે શાંત છે.

बालमीकि  मन  आनँदु  भारी।  

मंगल  मूरति  नयन  निहारी॥


सुनहु  राम  अब  कहउँ  निकेता।  

जहाँ  बसहु  सिय  लखन  समेता॥

जिन्ह  के  श्रवन  समुद्र  समाना।  

कथा  तुम्हारि  सुभग  सरि  नाना॥

हे  रामजी!  सुनिए,  अब  मैं  वे  स्थान  बताता  हूँ,  जहाँ  आप,  सीताजी  और  लक्ष्मणजी  समेत  निवास  कीजिए।  जिनके  कान  समुद्र  की  भाँति  आपकी  सुंदर  कथा  रूपी  अनेक  सुंदर  नदियों  से-॥2॥

भरहिं  निरंतर  होहिं  न  पूरे।  

तिन्ह  के  हिय  तुम्ह  कहुँ  गुह  रूरे॥

लोचन  चातक  जिन्ह  करि  राखे।  

रहहिं  दरस  जलधर  अभिलाषे॥3॥

निरंतर  भरते  रहते  हैं,  परन्तु  कभी  पूरे  (तृप्त)  नहीं  होते,  उनके  हृदय  आपके  लिए  सुंदर  घर  हैं  और  जिन्होंने  अपने  नेत्रों  को  चातक  बना  रखा  है,  जो  आपके  दर्शन  रूपी  मेघ  के  लिए  सदा  लालायित  रहते  हैं,॥3॥
निदरहिं  सरित  सिंधु  सर  भारी।  

रूप  बिंदु  जल  होहिं  सुखारी॥

तिन्ह  कें  हृदय  सदन  सुखदायक।  

बसहु  बंधु  सिय  सह  रघुनायक॥4॥

तथा  जो  भारी-भारी  नदियों,  समुद्रों  और  झीलों  का  निरादर  करते  हैं  और  आपके  सौंदर्य  (रूपी  मेघ)  की  एक  बूँद  जल  से  सुखी  हो  जाते  हैं  (अर्थात  आपके  दिव्य  सच्चिदानन्दमय  स्वरूप  के  किसी  एक  अंग  की  जरा  सी  भी  झाँकी  के  सामने  स्थूल,  सूक्ष्म  और  कारण  तीनों  जगत  के  अर्थात  पृथ्वी,  स्वर्ग  और  ब्रह्मलोक  तक  के  सौंदर्य  का  तिरस्कार  करते  हैं),  हे  रघुनाथजी!  उन  लोगों  के  हृदय  रूपी  सुखदायी  भवनों  में  आप  भाई  लक्ष्मणजी  और  सीताजी  सहित  निवास  कीजिए॥4॥

  
जसु  तुम्हार  मानस  बिमल  हंसिनि  जीहा  जासु।

मुकताहल  गुन  गन  चुनइ  राम  बसहु  हियँ  तासु॥128॥

आपके  यश  रूपी  निर्मल  मानसरोवर  में  जिसकी  जीभ  हंसिनी  बनी  हुई  आपके  गुण  समूह  रूपी  मोतियों  को  चुगती  रहती  है,  हे  रामजी!  आप  उसके  हृदय  में  बसिए॥128॥
  
प्रभु  प्रसाद  सुचि  सुभग  सुबासा।  

सादर  जासु  लहइ  नित  नासा॥

तुम्हहि  निबेदित  भोजन  करहीं।  

प्रभु  प्रसाद  पट  भूषन  धरहीं॥1॥

जिसकी  नासिका  प्रभु  (आप)  के  पवित्र  और  सुगंधित  (पुष्पादि)  सुंदर  प्रसाद  को  नित्य  आदर  के  साथ  ग्रहण  करती  (सूँघती)  है  और  जो  आपको  अर्पण  करके  भोजन  करते  हैं  और  आपके  प्रसाद  रूप  ही  वस्त्राभूषण  धारण  करते  हैं,॥1॥

ગાંધીજીનો રામ રાજ્યના નિર્માણમાં યોગદાન

અસ્પૃશ્યતા નિવારણ

બેરોજગારી નિવારણ

પરતંત્રા નાબુદી

અંધ શ્રદ્ધા અને વહેમની નાબુદી

શિક્ષા પદ્ધતિમાં સુધારા વગેરે

મો. ક. ગાંધીને મહાત્માનો ઘાટ આપવામાં કોનો કોનો ફાળો છે?

મો. ક. ગાંધીને મહાત્માનો ઘાટ આપવામાં ૧ તેમની જન્મભૂમિ પોરબંદર, ૨ તેમની જન્મ જનની - જન્મદાત્રી અને તેમની આચાર્યા રંભા.

મોહનથી મહાત્મા બનવામાં ફાળો આપનાર મહાનુભાવો

ગોપાલ કૃષ્ણ ગોખલે
શઠની સામે પણ સદભાવ રાખવાનો ગોખલેનો ભાવ ગાંધીજી પકડે છે.

ગાંધીજી ગોખલેને ગંગા કહે છે.

મહત્મા ટોલ્સ્ટોય

મહાત્મા રસ્કિન

હેન્રી ઠારો

શ્રીમદ રાજચંદ્ર 
શ્રીમદ રાજચંદ્ર એ જ્યોતિ છે જે ચાર ઘાટને વધું પ્રકાશિત કરે છે.


ગુરૂવાર, ૦૪-૦૨-૨૦૧૬

જીવનના પણ ઘણા ઘાટ છે.

અંતઃકરણીય ઘાટ પણ છે એવું આદિ શંકર કહે છે.

મહાત્મા ગાંધીજીના અંતઃકરણીય ઘાટ કયા કયા છે?

મન, બુદ્ધિ, ચિત અને અહંકાર એ ચાર આંતર ઘાટ છે અને તેનો કોઈ આકાર નથી, આકૃતિ નથી, રૂપ નથી.

આજ કાલ બધા ઘાટ અસ્વચ્છ છે અને તેના માટે સ્વચ્છતા અભિયાનનિ જરૂર છે.

ધ્યાન દ્વારા આંતર ઘાટ સ્વચ્છ થાય પણ ધ્યાન કરવું અઘરૂં છે.

ગાંધીજી કઠોર હતા પણ તેમની કઠોરતા પાછળ કોઈ ખરાબ ભાવ નથી.

ગાંધીજીનો મનનો ઘાટ સ્વચ્છ છે, નિર્મલ છે.

રાજાએ પૃથ્વીની રક્ષા કરવી જોઈએ, પ્રજાનું પાલન કરવું જોઈએ અને રાજધાનીનું પણ પાલન કરવું જોઈએ.

આશ્રિતોની રાજધાની તેમના બુદ્ધ પુરૂષનો આશ્રમ છે.

પ્રેમનગરની રાજધાની દિલ છે.

तुम्ह  मुनि  मातु  सचिव  सिख  मानी।  

पालेहु  पुहुमि  प्रजा  रजधानी॥


तुम  तो  मुनि  वशिष्ठजी,  माताओं  और  मन्त्रियों  की  शिक्षा  मानकर  तदनुसार  पृथ्वी,  प्रजा  और राजधानी का  पालन  (रक्षा)  भर  करते  रहना॥


વસુધૈવ કુટુંબક્મ્‌ એવું મુનિ કહે છે.

ઈન્સાન વૈશ્વિક નાગરિક હોવો જોઈએ............... રજનીશ

મુનિઓનો મત લઈ વિશ્વનું પાલન કરવું જોઈએ.

પ્રજાનું પાલન કરવા મા ની શિખામણ લેવી જોઈએ કારણ કે મા જ પાલન કેવી રીતે કરવું તે સારી રીતે જાણે છે.

સિયાસતે મા બની પ્રજા પાલન કરવું જોઈએ.

સચિવના માર્ગદર્શન હેઠળ રાજધાનીનું પાલન કરવું જોઈએ.

સત્ય સચિવ બને, રાજા ન બને.


सचिव  सत्य  श्रद्धा  प्रिय  नारी।  

माधव  सरिस  मीतु  हितकारी॥

उस  राजा  का  सत्य  मंत्री  है,  श्रद्धा  प्यारी  स्त्री  है  और  श्री  वेणीमाधवजी  सरीखे  हितकारी  मित्र  हैं।


सचिव  बिरागु  बिबेकु  नरेसू।  

बिपिन  सुहावन  पावन  देसू॥3॥

विवेक  उसका  राजा  है  और  वैराग्य  मंत्री  है॥

સચિવ ત્યાગ વૃત્તિવાળો હોવો જોઈએ.

સાહસ કરે તે શિષ્ય.

વ્રત મનની સફાઈનાં સાધન છે.

દ્વૈષ મુક્ત એકતા વેદનો આખરિ મંત્ર છે.

બુદ્ધિનો ઘાટ

સત્યમાં બહુંમતિ જોવાની ન હોય. ઘણી વખત બહું મત કહે તે અસત્ય હોય અને ફક્ત એક કહે તે સત્ય હોય.

યજ્ઞ, દાન, તપથી બુદ્ધિનો ઘાટ શુદ્ધ થાય.

સ્વાહા બુદ્ધિને શુદ્ધ કરે, વાહ વાહ નહીં.

जनकसुता जग जननि जानकी। 

अतिसय प्रिय करुनानिधान की॥

ताके जुग पद कमल मनावउँ। 

जासु कृपाँ निरमल मति पावउँ॥4॥

भावार्थ:-राजा जनक की पुत्री, जगत की माता और करुणा निधान श्री रामचन्द्रजी की प्रियतमा श्री जानकीजी के दोनों चरण कमलों को मैं मनाता हूँ, जिनकी कृपा से निर्मल बुद्धि पाऊँ॥

શ્રમ યજ્ઞ, ભૂદાન યજ્ઞ, આરોગ્ય યજ્ઞ વગેરે દ્વારા બુદ્ધિ શુદ્દ થાય.

સુર્પંખાનું સાધન શુદ્ધ ન હતું તેથી તેને શિક્ષા મળી.

ચિતની શુદ્ધતા

એકાગ્રતા દ્વારા ચિત શુદ્ધ થાય.

અહંકાર

વૈશ્વિક અહંકારનું નામ શિવ છે.

શિવોહમ્‌ જ ગાંધીજીનો અહંકાર છે જે બધાનો ઉદ્દાર કરે છે. જીવોહમ્‌ નહીં.

રામનામથી મન, બુદ્ધિ, ચિત અને અહંકાર શુદ્ધ થાય.

રામનામનો કોઈ વિકલ્પ નથી.

સત્ય, પ્રેમ અને કરૂણાનો કોઈ વિકલ્પ નથી.

जासु  नाम  सुमिरत  एक  बारा।  

उतरहिं  नर  भवसिंधु  अपारा॥

Monday, January 18, 2016

એકવીસમી સદીને જરૂર છે શુદ્ધ-સાત્ત્વિક હૃદયધર્મની

એકવીસમી સદીને જરૂર છે શુદ્ધ-સાત્ત્વિક હૃદયધર્મની

ધર્મને હૃદયનો ધર્મ જ્યારે આપણે કહી રહ્યા છીએ ત્યારે હાનિ અને ગ્લાનિ એ હૃદયની બીમારી છે


  • હૃદયનો ધર્મ, એને પણ બે રોગ થાય છે, અને એ બે રોગનાં નામ ‘રામાયણ’માં લખ્યાં છે. એક તો ધર્મને હાનિ થાય એ એક રોગ છે અને બીજો રોગ જે ‘ગીતા’માં લખ્યો છે, જેનું તુલસીએ ટ્રાન્સલેશન કર્યું છે. ‘રામચરિતમાનસ’માં, એ છે ધર્મને ગ્લાનિ થાય. આ બે હૃદયના રોગ છે.



  • ધર્મના અંચળા પહેરીને જ્યારે દંભ પોષાય ત્યારે ધર્મને હાનિ થાય. ધર્મનો નાશ તો થશે જ નહીં, કારણ કે મારા ગુરુની કૃપાથી ચાલતી આ રામકથા પંચાવન વરસથી હું બોલી રહ્યો છું, એમાં જે ધર્મના નિચોડરૂપે મેં વિચાર્યું છે એ તો સત્ય, પ્રેમ અને કરુણા છે.



  • ધર્મ સનાતન અને શાશ્વત છે, અને સત્ય જો ધર્મ છે, તો એનો નાશ ન થાય. પણ સત્યને થોડોક ક્યારેક ઘસારો થાય છે. સત્ય બૌદ્ધિક ન હોવું જોઇએ, સત્ય હાર્દિક હોવું જોઇએ. 
  •  જ્યારે ધર્મને નામે વ્યક્તિથી લઇને સમગ્ર વિશ્વનું પોષણ થવું જોઇએ એને બદલે શોષણ શરૂ થાય, એ વખતે ધર્મની ધજા ફરકતી નથી. ફફડતી હોય છે કે અમારા નામે શું શું થાય છે! 
  • ત્રીજું, આપણે આપણા મનઘટિત, આપણા બનાવેલા નેટવર્ક પ્રમાણે આપણે જે નવાનવા પંથને ધર્મનું નામ આપી દઇએ છીએ, એ ત્રીજી ધર્મની હાનિ છે.



  • સનાતન મૂલ્યો છે જે સત્ય પ્રેમ, કરુણા અને હું હંમેશાં કહું છું, સત્ય આપણા માટે હોવું જોઇએ. પ્રેમ બીજા માટે હોવો જોઇએ, પરસ્પર હોવો જોઇએ અને કરુણા આખા જગત માટે હોવી જોઇએ. 



  • ગગન સિદ્ધાંત, વ્યાસનું સૂત્ર છે આ, એટલે આપણે વ્યાસને કહીએ છીએ, ‘નમોસ્તુતે વ્યાસ વિશાલબુદ્ધે.’ 
  • તો, જ્યારે હું ને તમે દંભ કરીએ છીએ, પોષણની જગ્યાએ શોષણ કરીએ છીએ, આપણા બનાવેલા થોડા સ્વાર્થ માટે નાના-મોટા, જુદા જુદા ધર્મને નામે જે કંઇ સંકીર્ણતા નિર્મિત કરીએ છીએ, ત્યારે ધર્મને હાનિ થાય છે. અને આ હૃદયરૂપી ધર્મનો રોગ છે. 
  • બાપ, ધર્મની હાનિનું મારી વ્યાસપીઠની દૃષ્ટિએ ત્રીજું કારણ છે, ખાબોચિયાંને દરિયો કહેવાનાં ગોઠવાતાં નેટવર્કો! ધર્મ શાશ્વત છે. ધર્મ એક જ હોય.



  • ધર્મની ગ્લાનિ પણ ત્રણ રીતે થાય. 
  • એક, ધર્મનો મૂળ અર્થ હોય એને આપણે આપણા સ્વાર્થ માટે બદલી નાખીએ, એ ધર્મની ગ્લાનિનું પહેલું લક્ષણ. 
  • ધર્મની બીજી ગ્લાનિ, પોતાના કરતાં બીજાને હીન ગણવા.



  • ગુરુ બાયપાસ નથી કરતો, એ ડાયરેક્ટ સર્જરી કરી નાખે, 
  • તો પછી કૃષ્ણ શું કામ એવું બોલે છે, ‘હું ધર્મની સ્થાપના કરવા આવ્યો છું.’ ધર્મ શાશ્વત છે, એને સ્થાપવો શું? એને સ્થાપવો નહોતો, એને ધર્મની હાનિ અને ગ્લાનિને લીધે જે નળીઓ બ્લોક થઇ ગઇ હતી, એ સુધારી અને હૃદયનો ધર્મ સ્થાપિત કરવો હતો, હૃદયના ધર્મની સ્થાપના કરવી હતી. એકવીસમી સદીને જરૂર છે હૃદયધર્મની. 
  • (સંકલન : નીિતન વડગામા) 





Thursday, January 14, 2016

કરુણા એક દેશીય નહીં, વ્યાપક હોવી જોઈએ

કરુણા એક દેશીય નહીં, વ્યાપક હોવી જોઈએ



  • કરુણા વ્યાપક નથી રહેતી, જ્યારે માણસ ભૂખ્યો થાય છે. સત્તાનો ભૂખ્યો, પદનો ભૂખ્યો, પ્રતિષ્ઠાનો ભૂખ્યો, પદાર્થોનો ભૂખ્યો માણસ કરુણા ગુમાવે છે



  • તુલસીદાસજી ‘હરિ’ શબ્દની વ્યાખ્યા કરે ત્યારે ‘વ્યાપક’ શબ્દને જોડે છે-


હરિ વ્યાપક સર્વત્ર સમાના,
પ્રેમ તેં પ્રગટ હોઇહિં મૈં જાના.


  • ‘રામચરિતમાનસ’ના કૈલાસી વક્તા મહાદેવનું આ વક્તવ્ય છે ‘માનસ’માં હરિ એટલે વ્યાપક. કરુણા વ્યાપક હોવી જોઇએ. કરુણા એક દેશીય ન હોય. પ્રેમ પણ વ્યાપક હોવો જોઇએ, 


સબ નર કરહિ પરસ્પર પ્રીતિ.



  • કરુણા વ્યાપક નથી રહેતી, જ્યારે માણસ ભૂખ્યો થાય છે. સત્તાનો ભૂખ્યો, પદનો ભૂખ્યો, પ્રતિષ્ઠાનો ભૂખ્યો, પદાર્થોનો ભૂખ્યો માણસ કરુણા ગુમાવે છે. 
  • પરંતુ બાળકે ચોકલેટના ત્રણ ટુકડા કર્યા. એક ટુકડો અમેરિકન સૈનિકને આપ્યો, એક બીજા સૈનિકને આપ્યો અને પછી ત્રીજો વધ્યો અે પેલા બેયે લીધા પછી પોતે લીધો! આનું નામ છે કરુણા. આને તુલસી ‘હરિ’ કહે છે. હરિકથા એટલે કરુણાની કથા.


  •  જો આપણો સમાજ વિધવાને ‘ગંગાસ્વરૂપ’ કહેતો હોય તો પછી એના હાથે શું કામ શુભ કાર્યો ન થાય? વ્હાય? 


  • સત્ય જ્યાં હોય ત્યાંથી લઇ લો. 
  • ઘણા લોકો સત્ય બોલે છે, પણ બીજાનું સત્ય સ્વીકારી નથી શકતા! 
  • ભક્તો માટે બે વસ્તુ બહુ જ મહત્ત્વની છે, એક રાત ન હોય તો ભક્ત માટે બહુ દુ:ખ છે, અને બીજું, આંખમાં આંસુ ન હોય તો ભક્તો માટે પીડા છે. કરુણા જતી રહેશે તો થશે શું? 


ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે,
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.
છું મુક્તિનો ચાહક મને બંધન નથી ગમતાં,
કમળ બિડાય તે પહેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.

 (સંકલન : નીતિન વડગામા)
મોરારિબાપુ



Read full article at Sunday Bhaskar.




જમશેદજી ટાટાએ 23 નવેમ્બર, 1898 એ સ્વામી વિવેકાનંદને લખેલ પત્ર

The story is displayed here with the courtesy of Divya Bhaskar.

વિવેકાનંદ અને ટાટા વચ્ચે સાર્થક સંવાદ

  • સ્વામીજીની સ્પષ્ટ માન્યતા હતી કે વિજ્ઞાન અને ઉદ્યોગની પ્રગતિ વગર ભારતની પુનર્જાગૃતિ શક્ય નથી. 


  • ભારતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ જમશેદજી ટાટાને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ભારતે એક શક્તિશાળી રાષ્ટ્રના વિશ્વના નકશા ઉપર સ્થાન મેળવ્યું હોય તો તેણે જાપાનની જેમ અનુશાસનપ્રિય અને વિજ્ઞાનપ્રિય પણ બનવું પડશે. 
  • જમશેદજીએ 23 નવેમ્બર, 1898એ એક પત્ર સ્વામી વિવેકાનંદને લખ્યો હતો. 
  •  એ આ પત્રથી સ્પષ્ટ દેખાઇ આવે છે.


પ્રિય સ્વામી વિવેકાનંદ,

આશા છે, આપને જાપાનથી શિકાગો સુધીનો તમારો આ સહયાત્રી યાદ હશે જ.
આપે વ્યક્ત કરેલા વિચારો હજુ મારા મગજમાં પડઘાઇ રહ્યા છે. આપે કહેલું કે ભારતવર્ષમાં ત્યાગ, તપસ્યાની જે લાગણી ફરી જાગ્રત થઇ રહી છે, તેને રચનાત્મક કાર્યો દ્વારા વધારે સક્રિય બનાવવાનો આપણો હેતુ છે. મારી ધારણા પ્રમાણે જો એવાં આશ્રમો અથવા આવાસગૃહોની સ્થાપના કરવામાં આવે કે જ્યાં ત્યાગનું વ્રત ધારણ કરનારા લોકો સારું જીવન વ્યતીત કરે, તો ત્યાગભાવનાની આનાથી વધારે ઉપયોગિતા બીજી કઇ હોઇ શકે?  મારો વિચાર છે કે આ ધર્મયુદ્ધની જવાબદારી જો કોઇ યોગ્ય નેતા ઉપાડી લે, તો તેમાં ધર્મ અને વિજ્ઞાન, બંનેની ઉન્નતિ થશે અને આપણા દેશની ખ્યાતિ પણ ફેલાશે. એ અભિયાનને વિવેકાનંદ સિવાય બીજું કોણ નેતૃત્વ આપી શકે? આ દિશામાં જનજાગરણ ઉત્પન્ન કરવા માટે સૌ પ્રથમ આપ પોતાની ઓજસ્વી વાણીમાં એક પુસ્તક લખો, તેના પ્રકાશનના ખર્ચનો તમામ ભાર હું સહર્ષ ઉપાડી લઇશ. સસન્માન, આપનો જમશેદ એન. ટાટા.

Read full story at Divya Bhaskar.


Saturday, January 9, 2016

માનસ સાવધાન

રામ કથા 

માનસ સાવધાન

અંધેરી
મુંબઈ

શનિવાર, તારીખ ૦૯-૦૧-૨૦૧૬ થી રવિવાર, તારીખ ૧૭-૦૧-૨૦૧૬


મુખ્ય પંક્તિ


जनम एक दुइ कहउँ बखानी। 

सावधान सुनु सुमति भवानी॥

भावार्थ:-हे सुंदर बुद्धि वाली भवानी! मैं उनके दो-एक जन्मों का विस्तार से वर्णन करता हूँ, तुम सावधान होकर सुनो। 


  सावधान  सुनु  सुमुखि  सुलोचनि।  

भरत  कथा  भव  बंध  बिमोचनि॥

भावार्थ:-(वे  बोले-)  हे  सुमुखि!  हे  सुनयनी!  सावधान  होकर  सुनो।  भरतजी  की  कथा  संसार  के  बंधन  से  छुड़ाने  वाली  है।  


શનિવાર, ૦૯-૦૧-૨૦૧૬



રામ ચરિત માનસમાં સાવધાન શબ્દ ૧૧ વાર વપરાયો છે.

1
जनम एक दुइ कहउँ बखानी। 

सावधान सुनु सुमति भवानी॥


2
अस्तुति करत जोरि कर सावधान मतिधीर॥


3
सावधान  सबही  सनमानहिं।

सकल  सराहत  कृपानिधानहिं॥


4
सावधान  सुनु  सुमुखि  सुलोचनि।

भरत  कथा  भव  बंध  बिमोचनि॥


5
नवधा भगति कहउँ तोहि पाहीं।

सावधान सुनु धरु मन माहीं॥


6
सावधान मानद मदहीना।

धीर धर्म गति परम प्रबीना॥


7
सावधान मन करि पुनि संकर।

लागे कहन कथा अति सुंदर॥


8
नाथ इहाँ कछु कारन आना।

सुनहु सो सावधान हरिजाना।।


9
श्रुति पुरान कह नीति असि सावधान सुनु काग।।


10
नाथ मुनीस कहहिं कछु अंतर।

सावधान सोउ सुनु बिहंगब।।


11
सावधान होइ धाए जानि सबल आराति।

लागे बरषन राम पर अस्त्र सस्त्र बहुभाँति॥


આપણે ન આસ્તિક, ન નાસ્તિક પણ વાસ્તવિક રહેવું જોઈએ.


ધર્મનો સાર સત્ય, પ્રેમ, કરૂણા છે.

સાવધાન એ સંદેશ, ઉપદેશ અને આદેશનો ત્રિવેણી છે, ત્રિવેણી સ્નાન છે, ત્રિવેણી સંગમ છે.

ધર્મ એટલે નર્તન, હાસ્ય, ઈમાનદારી, પ્રસન્નતા, ગાયન વિ. છે.

જેનામાં સત્ય, પ્રેમ, કરૂણામાં નિષ્ઠા હોય તે ધર્મસાર જાણે છે.

ઋષિ મુનિઓએ ઈશ્વરને કાનથી સાંભળીને જાણ્યો છે.

વૈજ્ઞાનિક આંખથી જોઈને જાણે.

સાવધાન આપણા જીવનનો મંત્ર બની શકે છે અને જે સાવધાન હોય તેને સમાધાન મળી શકે છે.

ગુરૂના પ્રકાર


દિક્ષા ગુરૂ


દિશા ગુરૂ જે ફક્ત માર્ગદર્શન આપે તેમજ દક્ષિણા ન માગે.


વિદ્યા ગુરૂ


આશ્રય ગુરૂ


આધ્યાત્મ ગુરૂ

શ્રી એ માન વાચક શબ્દ છે.

શ્રી એ શોભા વાચક શબ્દ છે, પરમ સુંદરતા માટે વપરાય.

શ્રી એ ઐશ્વર્ય વાચક શબ્દ છે.

ગુરૂ એ એક વિચાર છે, વૃત્તિ છે, અસ્તિત્વ છે.

જેના હ્નદયમાં હરામ ન હોય પણ રામ હોય તે હનુમાન છે.

ભૂત પિશાચ નિકટ નહીં આવે એટલે ભૂત - ભૂતકાળની ઘટનાઓ અને પિશાચ એટલે ભવિષ્યની ચિંતાઓ નજીક નહીં આવે એવો છે.


રવિવાર, ૧૦-૦૧-૨૦૧૬

સાવધાનના બે સંદર્ભ છે, લૌકિક અને અલૌકિક.

સાવધાનના લૌકિક સંદર્ભનો અર્થ આપણા દૈનિક કાર્ય કલાપમાં સવચેતી રાખવી, જાગૃત રહેવું છે.

અલૌકિક સાવધાનીનો સંદર્ભ આધ્યાત્મિક સાવધાનીનો છે.

પોષ્ટમેન સંદેશ આપે, ધર્માચાર્ય ઉપદેશ આપે અને આધ્યાત્મિક પુરૂષ - બુદ્ધ પુરૂષ આદેશ આપે.

આપને જન્મો જન્મથી સહજ છીએ અને આપણી આ સહજતા ખોવાઈ ન જાય તે માટે આપણે સાવધાન રહેવું જોઇએ.

સહજતા તો આપણું સ્વરૂપ છે.

સાવધાન એટલે awarness, જાગૃતિ, ન સ્વપ્ન કે ન નીંદની સ્થિતિ.

આપણે કેટલી ઊંઘ લેવી, કેટલાં અને કેવાં સ્વપ્નો જોવાં એમાં જાગૃતિ રાખવી એ સાવધાની છે.

આપણે માન, બુદ્ધિ, ચિત અને અહંકારના લીધે અસહજ બની ગયા છીએ.

આપણે મન, બુદ્ધિ, ચિત અને અહંકારમાં સાવધાન રહેવાની જરૂર છે.

ગુંજા એટલે ચણોઠી.

ગુંજાનો સંસ્કૃત અર્થ ચિંતન થાય છે.

પ્રભુને આપણું ગુંજન - ચિંતન પસંદ છે.

કથા એ સહચિંતન છે, સમૂહ ચિંતન છે.ચિંતનથી સ્નેહ પ્રગટ થાય એવું શ્રીમન મહાપ્રભુજીનું કથન છે.

સ્નેહથી પ્રણય પ્રગટ થાય અને પ્રણય એટલે આપને જેની સાથે સ્નેહ કર્યો છે તેમાં પુરો ભરોંસો.

પ્રણયમાંથી માન - અભિમાન - ગૌરવ પ્રગટ થાય.

માનમાંથી રાગ પ્રગટ થાય.

રાગમાંથી અનુરાગ પ્રગટ થાય.

અનુરાગમાંથી મહાભાવ પ્રગટ થાય.

મહાભાવમાંથી ઉન્માદભાવ પ્રગટ થાય.


  • મનથી સાવધાન કરતી પંક્તિ


सावधान मन करि पुनि संकर। 

लागे कहन कथा अति सुंदर॥


  • બુદ્ધિથી સાવધાન કરતી પંક્તિ



  • અહંકારથી સાવધાન કરતી પંક્તિ


सावधान मानद मदहीना। 

धीर धर्म गति परम प्रबीना॥

ચિતનો સંબંધ આંખ સાથે છે.

મનનો સંબંધ વાણી સાથે છે.

ચિતથી સાવધાન એટલે ચક્ષુથી સાવધાન.

सावधान  सुनु  सुमुखि  सुलोचनि।  

भरत  कथा  भव  बंध  बिमोचनि॥

મન સંકલ્પ વિકલ્પ પેદા કરી અસહજતા પેદા કરે છે.

મહાપ્રભુજી લગ્ન કર્યા પછી સાવધાન થવાનુમ કહે છે, લગ્ન પછી સાવધાન કરે છે અને કહે છે કે લગ્ન કર્યા પછી અનુકૂળ હોય ત્યારે ઠાકોરજીની સેવા કર.

સેવાના ૩ ફળ છે.

ઉદ્‌વેગ, પ્રતિબંધ અને ભોગ સેવામાં બાધક છે.

અન્ન, ઔષધિ અને વિદ્યા દરેકને નિઃશુલ્ક પ્રાપ્ત થવાં જોઈએ.

जहाँ सुमति तहँ संपति नाना। 
जहाँ कुमति तहँ बिपति निदाना॥

जनकसुता जग जननि जानकी। 
अतिसय प्रिय करुनानिधान की॥
ताके जुग पद कमल मनावउँ। 
जासु कृपाँ निरमल मति पावउँ॥

સીતા એટલે સહનશીલતા.

વિવેકથી સહન કરે તેની બુદ્ધિ સુમતિ કહેવાય.

જય અને વિજયમાં જય એટલે બહારનો જયજયકાર અને વિજ્ય એટલે અંદરનો ભીતરી જયજયકાર.

સંપત્તિ કરતાં હરિની સ્મૃતિ અનેક ઘણી વધારે મુલ્યવાન છે.

બુદ્ધ પુરૂષ પહેરે તે ગુણાતિત માળા છે.

રાજા મહારાજા પહેરે તે પ્રતિષ્ઠાની માળા છે.

પ્રતિષ્ઠિત વ્યક્તિના સન્માન કરવા માટે પહેરાવાતી માળા સન્માનની માળા છે.

કોઇ વ્યક્તિને તેના શુભ કામના માટે પહેરાવાતી માળા આશીર્વાદનિ માળા છે.

વરમાળા

શબને ચઢાવાતી માળા એ એવો સંકેત કરે છે કે શબ હવે નિર્વિકાર, નિષ્કામ થઈ ગયેલ છે.

બહારવટીયાને ડરના માર્યા પહેરાવાતી માળા પણ છે.

નીચેના ૬ સમયે ક્રોધ ન કરવો.


સવારે જાગીને


રાત્રે સુતી વખતે


ભોજન કરતા સમયે


ભજન કરતી વખતે


કામ કાજ માટે જતી વખતે


કામ કાજ પુરૂ કરી ઘેર આવીને


મંગળવાર, ૧૨-૦૧-૨૦૧૬

જે અંતઃકરણથી સાવધાન થાય છે તેને અંતઃકરણની પ્રવૃત્તિઓનો અવાજ સંભળાય છે.

ઘણી વખતે પ્રત્યક્ષ જોયેલ પ્રમાણ પણ ખોટાં હોય છે - આભાસી હોય છે. દા. ત. મૃગજળ કે જે આભાસી હોય છે.

અનુમાન પ્રમાણ - દા. ત. ઘૂમાડો હોય તો આગ હોઈ શકે.

અંતઃકરણની પ્રવૃત્તિ શ્રેષ્ઠ પ્રમાણ છે.

માનવી મન, બુદ્ધિ, ચિત અને અહંકારથી બંધાયેલો છે તેથી આ ૪ થી સાવધાન થનારને સાચું પ્રમાણ મળશે.

પ્રાર્થના, પૂજા પાઠ કરતી વખતે શું સાવધાની રાખવી જોઈએ?

अस्तुति करत जोरि कर सावधान मतिधीर॥

પહેલી જાગૃતિ મન પ્રસન્ન હોય તે છે.

જ્યારે મન પ્રસન્ન હોય ત્યારે જ પૂજા પાઠ કરવા જોઈએ.

પૂજા યંત્રવત્‌ ન થવી જોઈએ.

મન ૩ કારણથી અપ્રસન્ન થાય છે.


જ્યારે મનની મરજી મુજબ ઘટના ન ઘટે ત્યારે મન અપ્રસન્ન થાય છે.


લોકો અકારણ આપણા મનમાં કચરો નાખ્યા કરે ત્યારે મન અપ્રસન્ન થાય છે.



પૂજ્ય મોરારિબાપુને તેમના દાદા કે જે તેમના ગુરૂ છે, ભગવાન છે તેમણે ૫ વસ્તુ કરવા કહેલ.


જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સત્ય બોલવું તેમજ પ્રિય સત્ય બોલવું.


રામ ચરિત માનસ અને ભગવદ ગીતાના દરરોજ પાઠ કરવા.


કોઈની ઈર્ષા અને નીંદા ન કરવી.

ઈર્ષા જીવથી થાય અને નીંદા જીભથી થાય.


જીવનમાં જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું અને મૌન દરમ્યાન ઈષ્ટ મંત્રનો જાપ કરવો.


અહંકારથી સાવધાન રહેવું.

મારા કોઈ FOLLOWERS નથી પણ FLOWERS છે. --- મોરારિબાપુ

જે પામી ગયેલ છે તે પાગલ છે.

૨૧ મી સદીમાં સતસંગ કરતાં કરતાં જો સાવધાની આવી જાય તો તે ૨૧ મી સદીનો સંન્યાસ છે. જ્યારે અસાવધાની સંસાર છે.

સાધના કરનારની શરૂઆત શ્રમણથી થવી જોઈએ. શ્રમણ એટલે તપ કરવું, સાધના કરવી.

 {(જે વ્યકિત સંસારના સમસ્ત પદાર્થો ઉપરથી મમત્વ ભાવનો ત્યાગ કરી પોતાના આત્માને કલ્યાણ માર્ગમાં જોડે છે અને મોક્ષપ્રાપ્તિ એ જ જેનું ધ્યેય છે તેને શ્રમણ, સાધુ કે અણગાર કહે છે.) (http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3&type=1&page=0)}

પહેલાં શ્રમણ કરો અને છેલ્લે બ્રાહ્નણત્વ.

મનમાં હર્ષ, તનમાં પુલકિત ભાવ - રોમાંચ-નર્તન અને આંખોમાં નીર હોવા જોઈએ.

અસહ્ય પ્રેમની અવસ્થા ભરત કથા છે.

રામ ચરિત માનસમાં આદિ, મધ્ય અને અંતમાં પ્રેમ છે તેથી રામ ચરિત માનસ પ્રેમ શાસ્ત્ર છે.

અયોધ્યા ધર્મ ભૂમિ છે જ્યારે ચિત્રકૂટ પ્રેમ ભૂમિ છે.

ભરત પ્રેમાવતાર છે અને તેથી તેને સાવધાનીથી સામ્ભળવો પડે.

ભરતનિ ચિત્રકૂટની યાત્રા દરમ્યાન બનેલ ૫ ઘટના આપણા જીવનમાં ઉપયોગી છે, માર્ગ દર્શક છે. ભરતની આ યાત્રા દરમ્યાન ૫ પરીક્ષા થાય છે.

હનુમાનજી વિશ્વાસ તત્વ છે અને મંથરા સંશય તત્વ છે તેથી હનુમાનજી અને મંથરા કાયમ રહે છે.

ભરત કથા ભવ બંધનથી મુક્ત કરનાર કથા છે. અને તેથી એમાં સાવધાની જરૂરી છે.

બુદ્ધ પુરૂષ આપણા માટે ઓવેર ટાઈમ કરે છે.

ગુરૂનો પ્રભાવ ન જાણો પણ સ્વભાવ જાણો.


एक सूल मोहि बिसर न काऊ। 

गुर कर कोमल सील सुभाऊ।।

परन्तु एक शूल मुझे बना रहा। गुरुजी का कोमल, सुशील स्वभाव मुझे कभी नहीं भूलता (अर्थात् मैंने ऐसा कोमल स्वभाव दयालु गुरुका अपमान किया, यह दुःख मुझे सदा बना रहा).

ભરતની ચિત્રકૂટ યાત્રા દરમ્યાન આવતાં વિઘ્નો


નિષાદ ગુહ ગેરસમજ કરે છે


વ્રત ભંગ કરવો પડે છે.

વ્રત ખાનગી રાખવું જેથી વ્રત ભંગ કરવાનો પ્રસંગ ન આવે.

સાધક જીદ ન કરે.


સંસારના ભોગ વિલાસમાં પ્રવૃત્ત થવાનું મન થાય. સુખ સુવિધા વિઘ્ન બને અને આવી કસોટી કોઇ સાધુ પુરૂષ કરે. ભરદ્વાજ મુનિ ભરતની આવી કસોટી કરે છે.


દેવતા કસોટી કરે.


પોતાના પરિવારનો સભ્ય વિઘ્ન બને અને હત્યા કરવા સુધી પ્રયત્ન કરે. અને આવું બને ત્યારે હરિ મિલન એકદમ નજીક હોય એવું માનવું.
सुनत  सुमंगल  बैन  मन  प्रमोद  तन  पुलक  भर।

सरद  सरोरुह  नैन  तुलसी  भरे  सनेह  जल॥

भावार्थ:-तुलसीदासजी  कहते  हैं  कि  सुंदर  मंगल  वचन  सुनते  ही  श्री  रामचंद्रजी  के  मन  में  बड़ा  आनंद  हुआ।  शरीर  में  पुलकावली  छा  गई  और  शरद्  ऋतु  के  कमल  के  समान  नेत्र  प्रेमाश्रुओं  से  भर  गए॥
चौपाई  :
  बहुरि  सोचबस  भे  सियरवनू।  कारन  कवन  भरत  आगवनू॥

एक  आइ  अस  कहा  बहोरी।  सेन  संग  चतुरंग  न  थोरी॥1॥

भावार्थ:-सीतापति  श्री  रामचंद्रजी  पुनः  सोच  के  वश  हो  गए  कि  भरत  के  आने  का  क्या  कारण  है?  फिर  एक  ने  आकर  ऐसा  कहा  कि  उनके  साथ  में  बड़ी  भारी  चतुरंगिणी  सेना  भी  है॥1॥


  सो  सुनि  रामहि  भा  अति  सोचू।  

इत  पितु  बच  इत  बंधु  सकोचू॥

भरत  सुभाउ  समुझि  मन  माहीं।  

प्रभु  चित  हित  थिति  पावत  नाहीं॥2॥

भावार्थ:-यह  सुनकर  श्री  रामचंद्रजी  को  अत्यंत  सोच  हुआ।  इधर  तो  पिता  के  वचन  और  उधर  भाई  भरतजी  का  संकोच!  भरतजी  के  स्वभाव  को  मन  में  समझकर  तो  प्रभु  श्री  रामचंद्रजी  चित्त  को  ठहराने  के  लिए  कोई  स्थान  ही  नहीं  पाते  हैं॥2॥


  समाधान  तब  भा  यह  जाने। 

 भरतु  कहे  महुँ  साधु  सयाने॥

लखन  लखेउ  प्रभु  हृदयँ  खभारू।  

कहत  समय  सम  नीति  बिचारू॥3॥

भावार्थ:-तब  यह  जानकर  समाधान  हो  गया  कि  भरत  साधु  और  सयाने  हैं  तथा  मेरे  कहने  में  (आज्ञाकारी)  हैं।  लक्ष्मणजी  ने  देखा  कि  प्रभु  श्री  रामजी  के  हृदय  में  चिंता  है  तो  वे  समय  के  अनुसार  अपना  नीतियुक्त  विचार  कहने  लगे-॥3॥


  बिनु  पूछें  कछु  कहउँ  गोसाईं।  

सेवकु  समयँ  न  ढीठ  ढिठाईं॥

तुम्ह  सर्बग्य  सिरोमनि  स्वामी।  

आपनि  समुझि  कहउँ  अनुगामी॥4॥

भावार्थ:-हे  स्वामी!  आपके  बिना  ही  पूछे  मैं  कुछ  कहता  हूँ,  सेवक  समय  पर  ढिठाई  करने  से  ढीठ  नहीं  समझा  जाता  (अर्थात्‌  आप  पूछें  तब  मैं  कहूँ,  ऐसा  अवसर  नहीं  है,  इसलिए  यह  मेरा  कहना  ढिठाई  नहीं  होगा)।  हे  स्वामी!  आप  सर्वज्ञों  में  शिरोमणि  हैं  (सब  जानते  ही  हैं)।  मैं  सेवक  तो  अपनी  समझ  की  बात  कहता  हूँ॥4॥


બુધવાર, ૧૩-૦૧-૨૦૧૬

જે સુમતિ હોય, સુમુખી હોય, સુલોચની હોય તેવાએ વિશેષ સાવધાન રહેવું જોઈએ.

જેનું સુંદર મુખ હોય તેવાએ તે સુંદર મુખમાં આવેલ સુંદર ઈન્દ્રીયોવાળા એ વિશેષ સાવધાન રહેવું જોઈએ.
જે રડે છે તે સાવધાન છે અને રુદન એ જાગૃતિનું પ્રમાણ છે.

રડવું જ આપને જીવિત છીએ તેનું પ્રમાણ છે.

આપણા હલન ચલન કરતા હાથ તેનું હલન ચલન બંધ કરી કોઈ સામે નમન કરે તે જાગૃતિ છે, સાવધાની છે.

આપણા રોમ રોમમાં પુલકિત ભાવ જાગે, આપણી અંદર નૃત્ય થાય, નૃત્ય ભાવ જાગે તેવો ભાવ આધ્યાત્મ જાગૃતિ છે.

જેની બધી જ ઈન્દ્રીયોમાં સુસંવેદના ભરી છે તે સાવધાન છે, જાગૃત છે.

આધ્યાત્મ સાવધાનતા શાસ્વત છે.

આધ્યાત્મમાં રૂદન ન આવે તો આપણે અસ્વસ્થ છીએ.

અસહ્ય પ્રેમની અવસ્સ્થા જ રાધા છે.

કેન્દ્ર છૂટે ત્યારે રૂદન કરવું એ  સાવધાની છે.

પ્રેમની ઔષધિ બની જ નથી. પ્રેમની ઔષધિ મળતી જ નથી.

જેની બુદ્ધિ સ્થિર છે તે સાવધાન છે.

બુદ્ધિનું ધૈર્ય સાવધાની છે.

આપણામાં પાત્રતા આવે એટલે કોઈ બુદ્ધ પુરૂષ આપણને શોધતો શોધતો આવે જ.

દુપટ્ટો એ દ્વૈતનું પ્રતીક છે.

બુદ્ધ પુરૂષ આપણો દુપટ્ટો છીનવી લે છે, આપણું દ્વૈત છીનવી લે છે.

બુદ્ધ પુરૂષની ઉપસ્થિતિમાં - હાજરીમાં મહાકાલને પણ પ્રવેશ નથી. બુદ્ધ પુરૂષ હાજર હોય તો મહાકાલ આપણો જીવ લઈ ન શકે. શુકદેવજી તેથી જ સાત દિવસ પછી વિદાય લે છે જેથી તક્સ્ક નાગ પરીક્ષિતને ડસી શકે.

આપણા ઉપર ૭ પ્રકારની કૃપા થાય છે.


માતૃ કૃપા

માતૃ દેવો ભવ


પિતૃ કૃપા


આચાર્ય કૃપા


દેવ કૃપા

બીજાને હલકો ગણે તેના જેવો હલકો બીજો કોઈ નથી.

ઘણી વખત તિલક પાપને છુપાવવા છત્ર બને છે.


અતિથિ કૃપા


મંત્ર કૃપા



ઈષ્ટ કૃપા


સદ્‌ગુરૂ કૃપા

સદ્‌ગુરૂને ત્યાં હરિ ચાકર છે.

બુદ્ધ પુરૂષનાં ૪ લક્ષણ


બુદ્ધ પુરૂષની વાણીમાં પ્રેમથી ભરેલ સત્ય હોય છે.


બુદ્ધ પુરૂષના જીવનમાં શાસ્ત્રોની વિવેક પૂર્ણ મર્યાદા હોય છે.


બુદ્ધ પુરૂષની આંખમાં અમૃત હોય, આંખ પવિત્ર હોય, આંખ શિકારી ન હોય.


બુદ્ધ પુરૂષ સમ્યક બોલે.


બુદ્ધ પુરૂષ મૌન રહે અને મૌન અવસ્થા દરમ્યાન અંદર ઈષ્ટ સ્મરણ કરે.

Friday, January 8, 2016

રામ કથા - મુંબાઈ

રામ કથા - મુંબાઈ
શનિવાર, તારીખ ૦૯, જાન્યુઆરી, ૨૦૧૬ થી રવિવાર, તારીખ ૧૭ ્જાન્યુઆરી, ૨૦૧૬

Saturday, January 9th, 2015 – From 4pm to 7pm.
Sunday, January 10th to Sunday, January 17th - From 9:30am to 1.30 pm.


Live on Aastha