Translate

Search This Blog

Monday, August 31, 2015

ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે,માનસદર્શન, મોરારિબાપુ

ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે




  • સ્વયં ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહી દીધું છે કે જ્યારે પૃથ્વી ઉપર સમાજમાં અવ્યવસ્થા ઊભી થાય છે ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરું છે ‘સંભવામિ યુગે યુગે’ આવું કારણ બતાવ્યું છે.


  •  સમગ્ર સંસારમાં ઓછી વત્તી માત્રામાં કામ બધામાં વ્યાપ્ત છે. જેવી રીતે રામ બધાના હૃદયમાં વિરાજિત છે એવી રીતે કામ પણ આપણા સૌના હૃદયમાં શરીર વિના નિવાસ કરે છે એ સત્યને અણદેખ્યું ન કરી શકાય. કામદેવનું નિવાસસ્થાન માણસનું હૃદય છે. ઘણા લોકોનું એવું માનવું છે, વિષયમાં એટલું જ કહેવું છે કે કામ કૃષ્ણ અવતારમાં કૃષ્ણનો પુત્ર છે અને બાપ-દીકરો એકસાથે એક ઘરમાં રહે તો એમાં મુશ્કેલી ન હોવી જોઈએ. 
  • જ્યારે રામની સાથે કામ રહે છે ત્યારે કામની એ ભયંકરતા રહેતી નથી. કામ જે એક વિભીષિકા ફેલાવે છે એ ખતમ થઈ જાય છે. એ બંનેને સાથે રાખવાની રામચરિત માનસની આ એક બહુ જ સૂક્ષ્મ દૃષ્ટિ છે.


  • આપણે બધા જાણીએ છીએ કે સ્વયં ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહી દીધું છે કે જ્યારે પૃથ્વી ઉપર સમાજમાં અવ્યવસ્થા ઊભી થાય છે ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું ‘સંભવામિ યુગે યુગે’ 
  •  કૃષ્ણાવતારની ભૂમિકામાં સ્વયં શ્રીકૃષ્ણનાં વચનો છે કે ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત’ ભારત એટલે કે અર્જુન, ભારત એટલે કે આખું ભારત અને એના આધ્યાત્મિક અર્થમાં જઈએ તો ભારત એટલે જ્ઞાનમાં રત આખી દુનિયા.


  • ‘પરદ્રોહી’ પૃથ્વીએ પણ કહ્યું મને પરદ્રોહીઓની પીડા છે જે ભાર હું સહી શકતી નથી. આપણે પણ પરદ્રોહ કરીએ છીએ. વાતવાતમાં બીજાનો દ્રોહ કરીએ છીએ. બીજાની નિંદા કરીએ છીએ. પરદ્રોહી વ્યક્તિ પૃથ્વીનો બોજ છે. 
  • પરસ્ત્રીને હિંસક અને શિકારી વૃત્તિથી તાકવી એ પૃથ્વીનો બોજ છે. 
  • ત્રીજી વાત એવી છે કે બીજાના પૈસા હોશિયારીથી નેટવર્ક બનાવીને ગમે તેમ કરીને પણ લઈ લેવા એ પૃથ્વીનો બોજ છે. 
  • પરધન પૃથ્વીનો બોજ છે અને પર અપવાદ, પરનિંદા એ પણ પૃથ્વીનો બોજ છે. 
  • પરનિંદા સાંભળવી. પરનિંદા કરવી એ પૃથ્વીનો બોજ છે. આપણી વૃત્તિઓને કારણે પ્રકૃતિનું સંતુલન બગડે છે પરંતુ ‘પર’ સાથે જોડાયેલી એક વાત જો જળવાઈ જાય તો પૃથ્વીને ભાર ઓછો લાગશે અને આપણે બધા હલકાફુલ રહી શકીશું અને એ છે ‘પરહિત સરિસ ધરમ નહીં’ ભાઈ પરોપકારની વાત છે. 
  • સંતો પરોપકાર અને પરહિતમાં જીવન જીવે છે. 

 (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.





Wednesday, August 26, 2015

રામચરિતમાનસમાં શિવચરિત્ર છે, માનસદર્શન, મોરારિબાપુ

રામચરિતમાનસમાં શિવચરિત્ર છે



  • યાજ્ઞવલ્કયએ રામકથાની ભૂમિકામાં પ્રથમ શિવચરિત્ર ગાઇને રામસેતુનું નિર્માણ કર્યું છે. ભરદ્વાજજીએ રામકથા સાંભળાવાની ઇચ્છા વ્યક્ત કરી.



  • રામચરિતમાનસમાં પાંચ ચરિત્ર છે જે પાંચેય પ્રધાન છે જેમાં શિવચરિત્ર, ઉમાચરિત્ર એ નામભેદ છે. બાકી તો એક જ છે. રામાયણમાં તુલસી પ્રથમ શિવચરિત્રની કથા કહે છે. બીજું રામચરિત્રની કથા કહી છે. ત્રીજું ભરતચરિત્ર દિવ્ય રીતે ગાયું છે. ચોથું પવનપુત્ર હનુમાનજીનું ચરિત્ર ગાયું અને પાંચમું જેને હું મારી રીતે ચરિત્રની શ્રેણીમાં મૂકું છું એ બાબા કાગભુશુંડિનું ચરિત્ર છે. જેમણે પોતાના મુખે પોતાના ચરિત્રનું ગાયન કર્યું છે. આ પાંચ ચરિત્ર આપણા બધા માટે પંચામૃત સમાન છે. આ પાંચેય ચરિત્રમાંથી શિવચરિત્ર ગાઇને તુલસીદાસજીએ સૌથી પહેલી અમૃતવર્ષા કરી છે. તુલસીદાસજી સમન્વયવાદી સંત હોવાના કારણે રામચરિત કહેતા પહેલાં શિવચરિત્રથી કથાનો આરંભ કરે છે. એક બાજુ કર્મના ઘાટ ઉપરથી યાજ્ઞવલ્કય મહારાજ કથાનો પ્રારંભ કરે છે.


એકબાર ત્રેતા જુગ મા હી|
સંભુ ગયે કુંભજ રિષિ પાહી||
સંગ સતી જગજનની ભવાની|
પૂજે રિષિ અખિલેશ્વર જાની||


  • કર્મપીઠ એટલે જે ગંગા, યમુના, સરસ્વતીનો સંગમ છે. જે વહેતી ધારા છે. જ્યાં કર્મપ્રવાહ ચાલી રહ્યો છે. 

  •  હવે આપણને બધાને ખબર છે કે રામકથાના મુખ્ય સર્જક ભગવાન શિવ છે. તેમ છતાં એ શ્રોતા બનીને કુંભજઋષિ પાસે ગયા આનો અર્થ એ થાય છે કે જેને સારા વક્તા બનવું હોય એ વ્યક્તિ એ પહેલા સારા શ્રોતા બનવું જોઇએ. શાસ્ત્રીય શબ્દોમાં જેને બહુશ્રુત કહેવાય છે. તુલસીદાસજી પણ રામચરિતમાનસમાં શ્રવણથી જ શરૂ કરે છે.


જિન્હ કે શ્રવન સમુદ્ર સમાના|
કથા તુમ્હારિ સુભગ સરિ નાના||


  • શ્રવણ કરવું એ પહેલી ભક્તિ છે. શિવ પરમ શ્રોતા પણ છે. સર્જક હોવા છતાં એકચિત્તે પૂરી રામકથા સાંભળી છે. 

  • કોઇની પણ સેવા કરો ત્યારે એમને કયા પ્રકારની સેવા અનુકૂળ પડે છે એવી એમની રુચિને જોઇને જ સેવા કરજો. સેવા મોટાઓની થાય છે. નાનાઓને પ્યાર થાય છે. 

  • પોતાની જાતને યોગ્ય બનાવવી જેથી ‘બીન માગે મોતી મિલે’ સાગર ક્યારેય સરિતાઓને ચિઠ્ઠી લખતો નથી કે તમે આવીને મને મળો. પરંતુ એની યોગ્યતા દરેક નદીઓને પોતાની તરફ ખેંચે છે.



  • રામકથાની દક્ષિણા કેવળ રામભક્તિ છે એનો બીજો કોઇ પુરસ્કાર હોતો નથી. 

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)


Read full article at Sunday Bhaskar.


Tuesday, August 18, 2015

ચોટીલા ખાતે મોરારિબાપુની કથાનો પ્રથમ નોરતાથી પ્રારંભ થશે

ચોટીલા ખાતે મોરારિબાપુની કથાનો પ્રથમ નોરતાથી પ્રારંભ થશે


  • આથી ભજન કરો અને ભોજન કરાવોના શુભ હેતુ સાથે રામકથા આસો સુદ-1થી નોમ તા. 13-10-15થી 22-10-15 સુધી યોજાશે. 

 Source Link : http://www.divyabhaskar.co.in/news/SAU-MAT-latest-limbadi-news-020504-2456876-NOR.html




  • Tuesday, October 13th, 2015 – 4pm to 7pm

Wednesday, October 14th 2015 to Wednesday, October 21st, 2015 – From 9:30am

Source Link : http://www.moraribapu.org/new_2013/ramkatha_schedule_detail_chotila.html

Friday, August 14, 2015

Indian Independence Day, 15 August and Marashi Aurobindo

Courtesy : dgreetings.com

India gears up to celebrate its 69th year of independence on Saturday, it's time to remember those who fought tirelessly for the freedom of the country and those who shaped its destiny in the subsequent years with their vision and wisdom. It is time to remember Maharshi Aurobindo whose birth day is significantly 15th August. Shree Aurobindo was born in Calcutta on 15 August 1872. 


  • Truth & knowledge are useless and temporary gleam if truth & knowledge has no power to change world  ------Aurobindo.

  • Here are some collection of articles related to Maharshi Aurobindo and our Independence Day.




The article displayed below is with the courtesy of Divya Bhaskar, wherein an article is by Shree Kanti Bhatt published on August 09, 2015.

  • ભારતે આધ્યાત્મિક શક્તિ અવશ્ય બનવું જ પડશે

Kanti Bhatt, Aug 09, 2015



Truth & knowledge are useless and temporary gleam if truth & knowledge has no power to change world.
- ARVIND

આજે મહામહર્ષિ અરવિંદને યાદ કરવાના છે. 131 વર્ષ પહેલાં 15 ઓગસ્ટે જન્મેલા મહર્ષિ અરવિંદ ઘોષને ભૂલી નહીં જઈએ એટલે આજે 2014માં આખરી દિવસોમાં આપણે ભેગા મળી તેને યાદ કરીએ. વડોદરાની આર્ટ્સ કોલેજમાં ફ્રેંચ અને અંગ્રેજી ભાષા ભણાવતા મહર્ષિ અરવિંદ ઘોષની પ્રોફેસરી નીચે કનૈયાલાલ માણેકલાલ મુનશી અને વલ્લવવિદ્યાનગરને વિદ્યાનગરી બનાવનારા ભાઈકાકા વિદ્યાર્થી તરીકે ભણેલા. મહારાજા સયાજીરાવને લાખ લાખ સલામ કે એ રાજવીએ અરવિંદ ઘોષનું નૂર-હીર પારખીને તેમણે માગેલા. એકસો વર્ષ પહેલાંનો માગેલો પગાર પણ હજાર કે લાખનો નહીં પણ મહિને રૂ. 200 અરવિંદ ઘોષે માગેલા તે તુરંત સયાજીરાવે કબૂલ કરેલા. તેમનું આખું નામ હતું અરવિંદ કૃષ્ણધન ઘોષ હતું. અરવિંદ ઘોષનો જન્મ એક ધનિક પિતાને ત્યાં થયેલો.

આ મહર્ષિ વિશે એટલીસ્ટ દરેક ગુજરાતી બાળકે જાણવું જ જોઈએ. અરે આજના મોડર્ન અંગ્રેજી માધ્યમ ભણેલાં યુવાન માતા-પિતાએ પણ અરવિંદજીને જાણવા જોઈએ એટલા માટે કે તેમનું જીવન અને કથન 21મી જ નહીં 22મી સદીમાં પણ રિલેવન્ટ (સમસામયિક) રહેશે. તેઓ ગઈકાલે જ દેશ દુનિયાનું રાજકારણ જોઈ દ્રવિત થયેલા આત્મા બોલી રહ્યા છે તેમ આપણને લાગે. મહર્ષિ અરવિંદનું એક સૂત્ર કદાચ તમે સંવેદનશીલ હો તો સ્પર્શી જશે તેમણે કહેલું: Truth and knowledge are useless and temporary gleam if truth and knowledge has no power to change the world. સાચુંને? સત્ય અને જ્ઞાન જો દેશની ગરીબી દૂર ન કરી શકે અગર તો દેશ અને દુનિયાને જો તમારું સત્ય કે જ્ઞાન બદલી ન શકે તે જ્ઞાન બાન ફોગટ છે. સત્ય માત્ર બકવાસ છે!

મહર્ષિ અરવિંદ ઘોષ એક ચોટદાર સુવર્ણ વાક્ય લખેલું. ધેર કેન બી નો પેરેડાઈઝ સો લોંગ એઝ એ સિંગલ મેન ઈઝ ઈન હેલ. જે પુણ્યભૂમિ ભારતમાં એકાદ માણસ પણ કંગાલિયતમાં કે નરક જેવી હાલતમાં જીવતો હોય ત્યાં સ્વર્ગની વાતો કરવી ફોગટ છે. અરવિંદ ઘોષના એક ફ્રેંચ શિષ્યનું નામ સતપ્રેમ હતું. એમણે અરવિંદની સ્પિરિચ્યુઅલ બાયોગ્રાફી લખી છે. અને પછી જ્યોતિ થાનકીએ ગુજરાતીમાં વાર્તા જેવું મહર્ષિ અરવિંદનું જીવન લખ્યું છે. નવી પેઢીના લોકોએ જાણવું જોઈએ કે બંગાળની પવિત્ર ભૂમિ જ્યાં ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ દર્શન માટે બંગાળમાં આંસુ પાડતા ર્ફ્યા છે. ચંડીદાસે માતા કાલીની ભક્તિ આપણને શીખવી છે. શ્રીરામકૃષ્ણ પરમહંસનાં વચનો દોઢસો વર્ષ પછી આંદોલિત થયા ત્યારે વિવેકાનંદે હિન્દુ ધર્મની બુલંદી જગતને શીખવી છે એ પણ બંગાળનું માનવધન હતું. આ ધરતીએ જ આપણને મહર્ષિ અરવિંદ ઘોષ આપ્યા છે.

જ્યારે જ્યારે 15 ઓગસ્ટ આવે છે ત્યારે જેના પ્રાણ પાકિસ્તાન વગરના અખંડ હિન્દુસ્તાન માટે પોકાર કરે છે તે શ્રી અરવિંદ કોલકત્તાના અતિધનિક-વેસ્ટર્નાઈઝ્ડ ડોક્ટર કૃષ્ણધનના ત્રીજા પુત્ર પેદા થયા હતા. પિતા કૃષ્ણધન મિત્રોની મદદથી જ ડોક્ટરી ડિગ્રી લઈને ઈંગ્લેંડ ગયા અને ત્યાં જઈને પૂર્ણ રીતે યુરોપિયન બની ગયા હતા. અને એમણે આપણા અરવિંદને પણ અંગ્રેજ જેવો જ બનાવવાે હતાે. અરવિંદનાં માતા અંગ્રેજી ગાઉન પહેરતાં અને ઘોડેસ્વારી કરતાં! આમ પૂરેપૂરા અંગ્રેજોના રંગથી રંગાયેલાં એવાં માતા-પિતાના પુત્ર અરવિંદ એકાએક સાધુ બનીને આશ્રમ સ્થાપશે તેવી કલ્પના પણ કરી નહોતી. સિવિલ સર્જન તરીકે શ્રી અરવિંદના પિતાએ બંગાળનાં ગામડાંઓમાં લોકપ્રિયતા મેળવેલી. બાંગ્લાદેશમાં પુલના શહેરમાં એક સ્કૂલનું નામ શ્રી અરવિંદ ઘોષના પિતાના નામ ઉપરથી ડોક્ટર કૃષ્ણધન સ્કૂલરખાયેલું જોશો.

અરવિંદના પિતા નાણાભીડમાં આવતાં મહર્ષિ અરવિંદજી માત્ર સવારે ચા-બ્રેડ ખાઈ ચલાવતા. મહર્ષિ અરવિંદે ભારતમાં અને ભારત બહાર અંગ્રેજોના જોરજુલમો જોયેલા. 1857ના બળવામાં આપણા લોકોને બાળી નાખ્યાનું વાંચેલું. તેમને આવા સિતમગરના આઈસીએસ ઓફિસર બનવું નહોતું. એ સમયે અરવિંદને લંડનમાં એક અંગ્રેજ મિત્ર મળ્યો. તે જેમ્સ કોટને શ્રી અરવિંદે પૂછ્યું મારે શું કરવું? મારે અંગ્રેજોના નોકર બનવું નથી. તે સમયે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ લંડનમાં હતા. સયાજીરાવ ગાયકવાડ પોતે સારા કેળવણીકાર હતા. સયાજીરાવ ત્યારે એક સારું અંગ્રેજી જાણનારા ભારતીય સ્પિરિટવાળા સેક્રેટરીની શોધમાં હતા. અને તેને શ્રી અરવિંદના નામની ભલામણ થઈ. હવે કલ્પના કરો ભારતના એક આદર્શ રાજ્યનો રાજવી સયાજીરાવ અને બીજી બાજુ ખુરશીમાં એક મહાન આધ્યાત્મિક સંત અરવિંદ ઈન્ટરવ્યૂ આપવા બેઠા હતા. લંડનમાં આપેલા ઈન્ટરવ્યૂમાં અરવિંદ પાસ થયા અને અમને વડોદરામાં અરવિંદ પ્રોફેસર તરીકે મળેલા તેનો લાભ અમારા મિત્રોના વડવાએ લીધો.

થોડો સમય પ્રોફેસરી કરી. સયાજીરાવનું સેક્રેટરી પદ સંભાળ્યું. પણ અરવિંદને બહુ મજા પડી નહીં. તેણે અંગ્રેજોની બદતમીજી જોઈ. અંગ્રેજો કદી જ ગાંધીજીની અહિંસાથી અખંડ હિન્દુસ્તાન આપશે નહીં. દેશના ભાગલા કરીને જ તૂટેલો દેશ આપશે એટલે હતાશ થઈને તે પોંડિચોરી ચાલ્યા ગયા. તે સ્વતંત્ર પ્રદેશ હતો. આઝાદી વખતે શ્રી અરવિંદની ઉંમર 75 વર્ષની હતી. વડોદરા નજીક ચાંદોદમાં નર્મદા કિનારે ત્યારે બ્રહ્માનંદ સ્વામી સાધના કરતા હતા. તેની ઉંમર 200 વર્ષની હતી! તેમના આશીર્વાદ મેળવીને અરવિંદ છેવટે યોગનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું. પોંડિચેરીમાં આજે જે આશ્રમ છે તે સ્થાપ્યો. આજે મને અરવિંદનો પોંડિચેરીથી કરેલો લલકાર યાદ આવે છે.
ભારતના લોકોએ આખરે પોતાની આંતરિક શક્તિ જગાવવી પડશે. શસ્ત્રો વાપરવાની શક્તિ તો ખરી જ પણ સાથે નૈતિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ જગાડશું તો જગતમાં 21મી અને 22મી સદીમાં ભારતનો ડંકો જગતમાં વાગશે. માત્ર ભૌતિકતાથી નહીં.
- ARVIND

 જે મહામહર્ષિ અરવિંદને યાદ કરવાના છે. 131 વર્ષ પહેલાં 15 ઓગસ્ટે જન્મેલા મહર્ષિ અરવિંદ ઘોષને ભૂલી નહીં જઈએ એટલે આજે 2014માં આખરી દિવસોમાં આપણે ભેગા મળી તેને યાદ કરીએ. વડોદરાની આર્ટ્સ કોલેજમાં ફ્રેંચ અને અંગ્રેજી ભાષા ભણાવતા મહર્ષિ અરવિંદ ઘોષની પ્રોફેસરી નીચે કનૈયાલાલ માણેકલાલ મુનશી અને વલ્લવવિદ્યાનગરને વિદ્યાનગરી બનાવનારા ભાઈકાકા વિદ્યાર્થી તરીકે ભણેલા. મહારાજા સયાજીરાવને લાખ લાખ સલામ કે એ રાજવીએ અરવિંદ ઘોષનું નૂર-હીર પારખીને તેમણે માગેલા. એકસો વર્ષ પહેલાંનો માગેલો પગાર પણ હજાર કે લાખનો નહીં પણ મહિને રૂ. 200 અરવિંદ ઘોષે માગેલા તે તુરંત સયાજીરાવે કબૂલ કરેલા. તેમનું આખું નામ હતું અરવિંદ કૃષ્ણધન ઘોષ હતું. અરવિંદ ઘોષનો જન્મ એક ધનિક પિતાને ત્યાં થયેલો.

આ મહર્ષિ વિશે એટલીસ્ટ દરેક ગુજરાતી બાળકે જાણવું જ જોઈએ. અરે આજના મોડર્ન અંગ્રેજી માધ્યમ ભણેલાં યુવાન માતા-પિતાએ પણ અરવિંદજીને જાણવા જોઈએ એટલા માટે કે તેમનું જીવન અને કથન 21મી જ નહીં 22મી સદીમાં પણ રિલેવન્ટ (સમસામયિક) રહેશે. તેઓ ગઈકાલે જ દેશ દુનિયાનું રાજકારણ જોઈ દ્રવિત થયેલા આત્મા બોલી રહ્યા છે તેમ આપણને લાગે. મહર્ષિ અરવિંદનું એક સૂત્ર કદાચ તમે સંવેદનશીલ હો તો સ્પર્શી જશે તેમણે કહેલું: Truth and knowledge are useless and temporary gleam if truth and knowledge has no power to change the world. સાચુંને? સત્ય અને જ્ઞાન જો દેશની ગરીબી દૂર ન કરી શકે અગર તો દેશ અને દુનિયાને જો તમારું સત્ય કે જ્ઞાન બદલી ન શકે તે જ્ઞાન બાન ફોગટ છે. સત્ય માત્ર બકવાસ છે!

મહર્ષિ અરવિંદ ઘોષ એક ચોટદાર સુવર્ણ વાક્ય લખેલું. ધેર કેન બી નો પેરેડાઈઝ સો લોંગ એઝ એ સિંગલ મેન ઈઝ ઈન હેલ. જે પુણ્યભૂમિ ભારતમાં એકાદ માણસ પણ કંગાલિયતમાં કે નરક જેવી હાલતમાં જીવતો હોય ત્યાં સ્વર્ગની વાતો કરવી ફોગટ છે. અરવિંદ ઘોષના એક ફ્રેંચ શિષ્યનું નામ સતપ્રેમ હતું. એમણે અરવિંદની સ્પિરિચ્યુઅલ બાયોગ્રાફી લખી છે. અને પછી જ્યોતિ થાનકીએ ગુજરાતીમાં વાર્તા જેવું મહર્ષિ અરવિંદનું જીવન લખ્યું છે. નવી પેઢીના લોકોએ જાણવું જોઈએ કે બંગાળની પવિત્ર ભૂમિ જ્યાં ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ દર્શન માટે બંગાળમાં આંસુ પાડતા ર્ફ્યા છે. ચંડીદાસે માતા કાલીની ભક્તિ આપણને શીખવી છે. શ્રીરામકૃષ્ણ પરમહંસનાં વચનો દોઢસો વર્ષ પછી આંદોલિત થયા ત્યારે વિવેકાનંદે હિન્દુ ધર્મની બુલંદી જગતને શીખવી છે એ પણ બંગાળનું માનવધન હતું. આ ધરતીએ જ આપણને મહર્ષિ અરવિંદ ઘોષ આપ્યા છે.

જ્યારે જ્યારે 15 ઓગસ્ટ આવે છે ત્યારે જેના પ્રાણ પાકિસ્તાન વગરના અખંડ હિન્દુસ્તાન માટે પોકાર કરે છે તે શ્રી અરવિંદ કોલકત્તાના અતિધનિક-વેસ્ટર્નાઈઝ્ડ ડોક્ટર કૃષ્ણધનના ત્રીજા પુત્ર પેદા થયા હતા. પિતા કૃષ્ણધન મિત્રોની મદદથી જ ડોક્ટરી ડિગ્રી લઈને ઈંગ્લેંડ ગયા અને ત્યાં જઈને પૂર્ણ રીતે યુરોપિયન બની ગયા હતા. અને એમણે આપણા અરવિંદને પણ અંગ્રેજ જેવો જ બનાવવાે હતાે. અરવિંદનાં માતા અંગ્રેજી ગાઉન પહેરતાં અને ઘોડેસ્વારી કરતાં! આમ પૂરેપૂરા અંગ્રેજોના રંગથી રંગાયેલાં એવાં માતા-પિતાના પુત્ર અરવિંદ એકાએક સાધુ બનીને આશ્રમ સ્થાપશે તેવી કલ્પના પણ કરી નહોતી. સિવિલ સર્જન તરીકે શ્રી અરવિંદના પિતાએ બંગાળનાં ગામડાંઓમાં લોકપ્રિયતા મેળવેલી. બાંગ્લાદેશમાં પુલના શહેરમાં એક સ્કૂલનું નામ શ્રી અરવિંદ ઘોષના પિતાના નામ ઉપરથી ડોક્ટર કૃષ્ણધન સ્કૂલરખાયેલું જોશો.

અરવિંદના પિતા નાણાભીડમાં આવતાં મહર્ષિ અરવિંદજી માત્ર સવારે ચા-બ્રેડ ખાઈ ચલાવતા. મહર્ષિ અરવિંદે ભારતમાં અને ભારત બહાર અંગ્રેજોના જોરજુલમો જોયેલા. 1857ના બળવામાં આપણા લોકોને બાળી નાખ્યાનું વાંચેલું. તેમને આવા સિતમગરના આઈસીએસ ઓફિસર બનવું નહોતું. એ સમયે અરવિંદને લંડનમાં એક અંગ્રેજ મિત્ર મળ્યો. તે જેમ્સ કોટને શ્રી અરવિંદે પૂછ્યું મારે શું કરવું? મારે અંગ્રેજોના નોકર બનવું નથી. તે સમયે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ લંડનમાં હતા. સયાજીરાવ ગાયકવાડ પોતે સારા કેળવણીકાર હતા.

સયાજીરાવ ત્યારે એક સારું અંગ્રેજી જાણનારા ભારતીય સ્પિરિટવાળા સેક્રેટરીની શોધમાં હતા. અને તેને શ્રી અરવિંદના નામની ભલામણ થઈ. હવે કલ્પના કરો ભારતના એક આદર્શ રાજ્યનો રાજવી સયાજીરાવ અને બીજી બાજુ ખુરશીમાં એક મહાન આધ્યાત્મિક સંત અરવિંદ ઈન્ટરવ્યૂ આપવા બેઠા હતા. લંડનમાં આપેલા ઈન્ટરવ્યૂમાં અરવિંદ પાસ થયા અને અમને વડોદરામાં અરવિંદ પ્રોફેસર તરીકે મળેલા તેનો લાભ અમારા મિત્રોના વડવાએ લીધો.

થોડો સમય પ્રોફેસરી કરી. સયાજીરાવનું સેક્રેટરી પદ સંભાળ્યું. પણ અરવિંદને બહુ મજા પડી નહીં. તેણે અંગ્રેજોની બદતમીજી જોઈ. અંગ્રેજો કદી જ ગાંધીજીની અહિંસાથી અખંડ હિન્દુસ્તાન આપશે નહીં. દેશના ભાગલા કરીને જ તૂટેલો દેશ આપશે એટલે હતાશ થઈને તે પોંડિચોરી ચાલ્યા ગયા. તે સ્વતંત્ર પ્રદેશ હતો. આઝાદી વખતે શ્રી અરવિંદની ઉંમર 75 વર્ષની હતી. વડોદરા નજીક ચાંદોદમાં નર્મદા કિનારે ત્યારે બ્રહ્માનંદ સ્વામી સાધના કરતા હતા. તેની ઉંમર 200 વર્ષની હતી! તેમના આશીર્વાદ મેળવીને અરવિંદ છેવટે યોગનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું. પોંડિચેરીમાં આજે જે આશ્રમ છે તે સ્થાપ્યો. આજે મને અરવિંદનો પોંડિચેરીથી કરેલો લલકાર યાદ આવે છે. ભારતના લોકોએ આખરે પોતાની આંતરિક શક્તિ જગાવવી પડશે. શસ્ત્રો વાપરવાની શક્તિ તો ખરી જ પણ સાથે નૈતિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ જગાડશું તો જગતમાં 21મી અને 22મી સદીમાં ભારતનો ડંકો જગતમાં વાગશે. માત્ર ભૌતિકતાથી નહીં.

કાંતિ ભટ્ટ

___________________________________________________________________________




Sunday, August 9, 2015

ચરણમાં કૃપાલુત્વ સમાયેલું છે, માનસદર્શન, મોરારિબાપુ

ચરણમાં કૃપાલુત્વ સમાયેલું છે




  • તુલસી કહે છે પ્રપંચ, દંભ, કપટ અને ખોટી વિચારધારાની જંજાળ છોડી એના ચરણને સેવ.               એ ચરણમાં પ્રભુત્વ છે, હરિત્વ છે.



  • આપણા સંસ્કૃત વાઙમયથી લઇને સંતવાણી સુધી એક જ વાત આવી કે ‘દેજો અમને સંત ચરણમાં વાસ’ ચરણમાં જ વાસ આવી માગણી આપણે ત્યાં થઇ છે. 



  • હું બહુ જ જવાબદારીપૂર્વક બોલી રહ્યો છું કે મને બાબાસાહેબના એક પણ કાર્યમાં દ્વેષનો રણકો દેખાતો નથી. 
  • બધા એને સ્વીકારવા માટે તૈયારી બતાવવા લાગ્યા એવા સમયે બાબાસાહેબે કહ્યું કે હું કોઇ પણ ધર્મનો સ્વીકાર કરીશ પણ મારી ભારતમાતાનું ગૌરવ હણાય એવું કાંઇ કરીશ નહીં. 

  •  સમાજમાં જ્યાં શુભ મળે ત્યાંથી લઇ લો. અને પછી એ શુભને પ્રસાદ બનાવો. પ્રસાદ એકલા ન ખાવ. 



  • સાધુની તાંબડીમાં તો બધાના લોટ હોય અને એ તાંબડીનું મને ગાૈરવ છે. મને કોઇક સાધુ ન કહે અને બાવો કહે તો હું બહુ રાજી થાઉં છું. 

  • હું ઘણાને કહ્યા કરું છું કે તું એકવાર બાવો બની તો જો પછી ખ્યાલ આવશે. 

  • તો ચરણ કેવાં-એનાં ચાર લક્ષણ બતાવ્યાં છે એ ચરણમાં પ્રભુત્વ છે. આ હૃદયથી મારી વ્યાખ્યા છે બીજું એમાં દીન બંધુત્વ છે. ત્રીજું હરિત્વ સમાયેલું છે. ચોથું કારણ વગરનું કૃપાલુત્વ છે. તુલસી કહે છે પ્રપંચ, દંભ, કપટ અને ખોટી વિચારધારાની જંજાળ છોડી એના ચરણને સેવ. એ ચરણમાં પ્રભુત્વ છે. એ ચરણમાં દીન બંધુત્વ છે. હરિત્વ છે. આ ચરણની વ્યાખ્યા છે.

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)


Read full article at Sunday Bhaskar.




Tuesday, August 4, 2015

રામચરિતમાનસના સાતેય કાંડ સુંદરકાંડ છે, માનસદર્શન, મોરારિબાપુ

રામચરિતમાનસના સાતેય કાંડ સુંદરકાંડ છે



  • આજે સમાજમાં બધી જ જગ્યાએ સુંદરકાંડના પાઠ બહુ જ થાય છે. સુંદરકાંડના પાઠ થાય એ સારી વાત છે પણ મને કોઇ પૂછે તો હું એટલું જરૂર કહીશ કે રામચરિતમાનસના સાતેય કાંડ સુંદરકાંડ છે.



  • આપણે ત્યાં એવું કહેવાય છે કે બીજાને પ્રકાશિત એ જ કરી શકે પહેલાં પોતે બળે છે. 



  • સમાજમાં પણ આપણા મહાપુરુષોની ચેતનાએ આજે પોતાના તેજથી ઘણા જીવોને પ્રકાશિત કર્યા છે અને કરે છે. સંસારમાં ઘણાં એવાં સ્થાનો છે જે સ્થાનની જ્યોત બધાને પ્રભાવિત કરે છે પરંતુ એનું મોટું કામ માણસોને પ્રકાશિત કરવાનું છે. 


  • સુરેશભાઇ તો એવું કહેતા કે વિશેષણો એ તો પ્રતિષ્ઠા જગતનો ડાયાબિટીસ છે.


‘બડા અજીબ હૈ યે સિલસિલા ઉસકી મહોબ્બત કા,
ન હમકો કૈદ મેં રખા ઔર ના હમ ફરાર હો પાયે!’

  • મારે તો રામકથાનું ગાન કરીને બધાને જગાડવા છે. આજે સમાજમાં અમુક પરિવર્તન ખૂબ જ જરૂરી છે. આપણે સૌ સમાજના છેવાડા માણસને  સન્માન સાથે સ્વીકારવા થઇએ એ જ સાચું ભજન છે. એ જ સાચી જાગૃતતા છે.



Read full article at Sunday Bhaskar.