Translate

Search This Blog

Friday, July 31, 2015

Guru Purnima, गुरु पूर्णिमा, ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા

જય ગુરુ દેવ

આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે મારા ગુરુજી પૂજ્ય બ્રહ્માનંદપુરીજી મહારાજના ચરણોમાં સત્‌ સત્‌ વંદન

Today, it is Full Moon Day (પુનમ) in the month of Ashadh – (શુક્રવાર, અષાડ સુદ ૧૫, સંવત ૨૦૭૨, તારીખ ૩૧ જુલાઈ ૨૦૧૫), well-known as Guru Purnima (गुरु पूर्णिमा, ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, व्यास पूर्णिमा), the day reserved for Guru Puja or Guru Worship and a sacred Indian festival dedicated to spiritual guides enlightening disciples by their deep knowledge and wisdom as well as academic teachers, traditionally celebrated by Hindus, Jains and Buddhists to pay their respects to their Gurus/masters/teachers and express their gratitude.

Guru Purnima is also known as Vyasa Purnima and this day is commemorated as birth anniversary of Veda Vyasa. Veda Vyasa was the author as well as a character in the Hindu epic Mahabharata.



શંકરમ્‌ શંકરાચાર્યમ્‌ કેશવમ્‌ બાદરાયણમ્‌

સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તૌ પુનઃ પુનઃ


કૃતે વિશ્વગુરુર્બ્રહ્મા ત્રેતાયાં ઋષિસતમઃ


દ્વાપરે વ્યાસ એવ સ્યાત કલાવત્ર ભવામ્યહમ્‌


गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वररः ।


गुरु साक्षात्‌ परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॥


ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર : |


ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ : ||


ધ્યાન મૂલમ્‌ ગુરુ મૂર્તિ,

પૂજા મૂલમ્‌ ગુરુ પદમ્‌,

મંત્ર મૂલમ્‌ ગુરુ વાક્યમ્‌,

મોક્ષ મૂલમ્‌ ગુરુ કૃપા…..

મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિઃ અઘોરાન્નપરો મંત્રો નાસ્તિ તત્ત્વં ગુરોઃ પરમ્‌..




ગુરુ પરંપરા

નારાયણમ પદ્મભુવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્ર પરાશરં ચ 
 વ્યાસં શુકં ગૌડપદં મહાન્તં ગોવિન્દ યોગીન્દ્રમથાસ્ય શિષ્યં  ll
શ્રી શંકરાચાર્યમથાસ્ય પદ્મપાદં ચ હસ્તામલકં ચ શિષ્યં
તં તોટકં વાર્તિકકારમન્યાનસ્મદ્રરૂન્‌ સંતતમાનતોસ્મિ  ll
સદાશિવ સમારમ્ભાં શંકરાચાર્ય મધ્યમાં  l
અસ્મદાચાર્યં પર્યન્તાં વન્દે ગુરૂપરંપરામ્‌  ll



The article published in the Divya Bhaskar daily under the heading માનસદર્શન, મોરારિબાપુ is displayed here with the courtesy of Divya Bhaskar daily.



  • ગુરુ આશ્રિતના શીલ સંસ્કાર અને ભજનનું રક્ષણ કરે છે, 26-07-2015 




ગુરુ જ એક એવું સ્થાન છે જે આપણી બધી નબળાઇઓને ભૂલીને આપણો સ્વીકાર કરે છે. આપણને ગોદમાં લઇને પ્યારથી ભરી દે છે.ગુરુ ઔષધિ બનીને આશ્રિતોના જીવનમાં આવે છે.

બાલકાંડના પ્રારંભમાં ગોસ્વામીજી મંગલાચરણના સાત મંત્રોનું ગાન કરે છે. ત્યારબાદ સાવ ગ્રામભાષામાં સરળ હિન્દીમાં દેહાતી હિન્દીમાં શ્લોકને લોક સુધી પહોંચાડવા માટે આપણા જેવા માણસો સુધી પહોંચવા માટે તુલસીદાસજી શિખર પરથી સાવ નીચે આવે છે. આમ તો તુલસીદાસજી સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન હતા પરંતુ એમને લોકોની બુદ્ધિ સુધી નહીં દિલ સુધી પહોંચવું હતું. એ માટે સરળ ભાષામાં રામચરિતમાનસનો પ્રારંભ કરે છે. પ્રારંભમાં સંસ્કૃતના સાત મંત્રો મંગલાચરણના રૂપ લખીને વંદના કરે છે.

વેદ, શાસ્ત્ર, પુરાણ, સંહિતા, બ્રાહ્મણગ્રંથ, અન્ય ગ્રંથ ભારતના તત્ત્વજ્ઞાનનું જેટલું સાહિત્ય છે, સત્ સાહિત્ય છે એ બધાનો ક્યાંક ને ક્યાંક ગોસ્વામીજીએ ઉલ્લેખ કર્યો છે. આપણી સનાતનીય પરંપરામાં કોઇપણ મંગલકાર્યના આરંભમાં મોટેભાગે આપણે પંચદેવની પૂજા કે પંચદેવનું સ્થાપન કરીએ છીએ. તુલસીદાસજીએ પણ જ્યારે આટલા મોટા શાસ્ત્રનું દાન કરવું છે ત્યારે પંચદેવોનું સ્મરણ કર્યું છે. જેમાં ગણેશ, દુર્ગા, શિવ, ભગવાન વિષ્ણુ અને સૂર્યનારાયણ. આ પંચદેવની પૂજા-અર્ચના આપણી પરંપરામાં છે એનું આપણને બધાને ગૌરવ છે. પરંતુ આ પંચદેવની વાતો સાર્વભૌમ છે. જો પોતાના હઠાગ્રહો છોડીને બધા જ વિચારધારાના લોકો આ વાતને સમજે તો પંચદેવની વિચારધારા મૂલત: સાર્વભૌમ છે, સંકીર્ણ નથી. ક્યારેક પંચદેવનું વ્યક્તિએ પોતાની વિચારધારાથી દર્શન કરવું જોઇએ. જેમાં ગણેશની પૂજા એટલે વિવેકની પૂજા છે.

ગણેશ એટલે વિવેક અને વિવેકની મનાઇ કયો ધર્મ કરે છે. પંચદેવમાં દુર્ગાનું બીજું સ્થાન છે. દુર્ગા એટલે શ્રદ્ધા, કોઇપણ ધર્મમાં શ્રદ્ધાનું ખંડન થઇ શકે? આજે સમગ્ર સંસાર શ્રદ્ધા ઉપર ટક્યો છે. પછી આગળ ભગવાન શિવનું સ્થાન છે. શિવનો અર્થ જ કલ્યાણ થાય છે. પંચદેવમાં ભગવાન વિષ્ણુનું ચોથું સ્થાન છે. આપણાં શાસ્ત્રો અને મહાપુરુષો ભગવાન વિષ્ણુની વ્યાખ્યા એવી કરે કે જેમાં વિશાળતા, વ્યાપકતા અને ઉદારતા હોય એ વિષ્ણુ છે. છેલ્લે પંચદેવમાં ભગવાન સૂર્યનારાયણનું સ્થાપન થાય છે. સૂર્યનો અર્થ પ્રકાશ પણ કરી શકાય છે. જે પ્રકાશ અર્પણ કરે એ સૂર્ય છે. વ્યક્તિ પ્રકાશમાં જીવવાનો સંકલ્પ કરે તો એ સાચી સૂર્ય ઉપાસના છે. માનસના પ્રારંભમાં તુલસીદાસજીએ પંચદેવોની વંદના કરી અને પછી જેમાં પાંચેય દેવ સમાઇ જાય છે એવા સદગુરુ ભગવાનની વંદના કરે છે.

ગુરુમાં બધું જ આવી જાય છે. સદગુરુમાં બધું સમાઇ જાય છે. રામચરિતમાનસમાં પહેલું પ્રકરણ ગુરુવંદના છે. આપણે એને શુભકામના આપીએ કે આપ ગુરુ વગર જઇ શકો તો જાવ. પરંતુ આપણા જેવા માટે તો કોઇ કર્ણધાર જોઇએ. કોઇ ગાઇડ જોઇએ. આપણા વારંવાર બુઝાતા દીવાને જલતો રાખવા કોઇ શુદ્ધપુરુષ જોઇએ. અમારા આદરણીય નગીનદાસબાપા મને એક દિવસ કહેતા હતા કે બાપુ અથર્વવેદમાં ગુરુમહિમાની વાત છે. મેં તરત જ એમની વાત પકડી લીધી અને બાપાને કહ્યું કે ગુરુ મહિમાના મંત્રો શોધીને આપને મળે તો મને આપજો. પછી તો એ મંત્રો મળ્યા એમાં અમુક વાત કરી છે કે ગુરુ પાંચ વસ્તુ છે. અથર્વવેદ કહે છે કે ગુરુશિષ્યનું મૃત્યુ છે. ગુરુ મૃત્યુ છે એ વાત જે જે મહાપુરુષોએ કરી છે એ પછી આવ્યા છે. એ વાત પહેલાં વેદમાં કહી હતી જ્યાં સુધી રહસ્ય ખૂલતું નથી ત્યાં સુધી જાણ થતી નથી.

ગુરુ મૃત્યુ છે એને બરાબર યાદ રાખજો. ગુરુ એટલા માટે મૃત્યુ છે આપણે જ્યાં સુધી મરતા નથી ત્યાં સુધી નવજીવન પ્રાપ્ત થતું નથી. આપણે કોઇ મહાપુરુષ પાસે જે રૂપમાં ગયા હોઇએ છીએ એને તો એ મારી નાખે છે અને નવું જીવન પ્રદાન કરે છે. ક્યારેક અનુભવ કરજો કે જ્યારે આપણે ગુરુ પાસે જઇએ ત્યારે કંઇક જુદા હોઇએ છીએ અને એમની પાસે બેસીને પાછા ફરીએ છીએ ત્યારે ખુશ્બૂથી સભર હોઇએ છીએ તો શિષ્યમાં જે મારવા યોગ્ય તત્ત્વ હોય એને ગુરુ મારી નાખે છે. જૈન સંપ્રદાયના એક શબ્દનો આશ્રય લઇને કહું તો ગુરુ કષાયને મારી નાખે છે. દૂરિતને ખત્મ કરી નાખે એ ગુરુ છે માટે ગુરુ મૃત્યુ છે. ઓશો પણ કહેતા કે ‘મેં મૃત્યુ સિરવાતા હૂં’ અથર્વવેદમાં કહ્યું કે ગુરુ મૃત્યુ છે એ વાત મને બહુ જ સારી લાગી છે કારણ કે જે મૃત્યુ આપી શકતા નથી એ ક્યારેય જીવન પણ આપી શકે નહીં. ખેતરમાં દાણા વાવે એને ખબર છે કે દાણો પહેલા ખતમ થઇ જાય પછી ઊછરે છે. ગુરુ વિશે તો આપણા સંતવાણીના ઉપાસકો ગાય છે.

ગુરુ તારો પાર ન પાયો હે ન પાયો
પ્રથમીના માલિક તમે રે તારો તો અમે તરીએ
જમીન આશમાન યે મૂળ વિણ માંડ્યા
થંભ વિણ આભ કરાય વારી વારી...

ગુરુનો પાર પામી શકાતો નથી. મને એક કથામાં શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો હતો કે બાપુ મારા પ્રશ્નનો જવાબ કૃપા કરીને આપજો. એણે એવું પૂછ્યું હતું કે ગુરુને પાર પામી શકાતો નથી પરંતુ આપ બતાવો કે ગુરુનો પ્યાર પામી જઇએ તો? ત્યારે મેં કહેલું કે બહુ સારી વાત છે પાર પામી શકાતો નથી. એનો પ્યાર પામી શકાય છે. એનો પાર પામવાની કોઇની ત્રેવડ નથી પરંતુ પ્યાર અવશ્ય પામી શકાય છે. ગુરુ જ એક એવું સ્થાન છે જે આપણી બધી નબળાઇઓને ભૂલીને આપણો સ્વીકાર કરે છે. આપણને ગોદમાં લઇને પ્યારથી ભરી દે છે. અથર્વવેદની બીજી વાત, ગુરુને વરુણ કહ્યા છે. વેદમાં વરુણને રક્ષણ કરતા દેવ મનાયા છે. ગુરુ આશ્રિતના શીલનું, સંસ્કારોનું, ભજનનું રક્ષણ કરે છે. ભગવાન વેદ ત્રીજું સૂત્ર કહે છે કે ગુરુ સોમ છે.

સોમ એટલે ચંદ્રમા. એનું મૂળરૂપ તો સૂર્ય સમાન છે. પરંતુ સોમ થઇને આપણને શીતળતા પ્રદાન કરે છે. આપણને ઠંડક આપે છે. આગળ વેદ ભગવાને ગુરુને ઔષધિ કહ્યા છે. ગુરુથી મહારોગ મટે છે. ગુરુ ઔષધિ બનીને આશ્રિતોના જીવનમાં આવે છે. બાકી આજના સમયમાં કોઇ શરીરની બીમારી આવે તો મારી આપને બધાને પ્રાર્થના છે કે ડોક્ટર પાસે જઇને ઇલાજ કરાવવો. પરંતુ કોઇ બુદ્ધપુરુષની દુવા એક એવી દવા છે કે જાણે સોનામાં સુગંધ એ અમૃત છે. સંજીવની છે. છેલ્લે ભગવાન વેદ કહે છે કે ગુરુ પય છે. ગુરુ દૂધ છે. બાળકના દોષ જોવાતા કે ગણવામાં આવતા નથી. ભૂખ્યા બાળકને પરાણે ગોદમાં લઇને મા કહે છે, પી લે પી લે પહેલા પેટ ભરીને સંતોષ પામી જા. ગુરુ પણ શિષ્યની સામે આવી જ વાતો કરે છે.

તો અથર્વવેદમાં પાંચ સૂત્ર જેમાં ગુરુમૃત્યુ, ગુરુવરુણ, ગુરુસોમ, ગુરુ ઔષધિ અને ગુરુ પય એવાં પાંચ લક્ષણો બતાવ્યાં છે. આમ તો આપણો દ્વારિકાવાળો મૂળ ગુરુ છે માટે આપણે બધા બોલીએ છીએ કે કૃષ્ણ વન્દે જગદ્‌ગુરુ. કૃષ્ણ બુદ્ધપુરુષ, કૃષ્ણ પરમાત્મા, કૃષ્ણ પૂર્ણાવતાર, કૃષ્ણ સદગુરુ છે. ભગવાન કૃષ્ણ જેવા ગુરુ કોણ? ફરી પહેલું સૂત્ર વેદનું યાદ કરો કે ગુરુ મૃત્યુ છે. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે હું મૃત્યુ છું. હું અમૃત છું. એવું કૃષ્ણનું વચન છે. કૃષ્ણ જગદ્્ગુરુ છે. કૃષ્ણ પરમાત્મા તો છે જ. પરંતુ પરમાત્મા આપણને ક્યારેક ક્યારેક દૂર પડે છે. ગુરુ નિકટ પડે છે. પરમાત્મા સાથે વાત થોડી થાય છે? ગુરુ સાથે તો વાત થઇ શકે છે. એવા સદગુરુ ભગવાનને યાદ કરું અને નમન સાથે જય સીયારામ...
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

માનસદર્શન, મોરારિબાપુ. 





The article by Shree Kantibhai Bhatt published on July 24, 2015 in the Divya Bhaskar daily is displayed here with the courtesy of Shree Kantibhai Bhatt and Divya Bhaskar daily.
  • ગુરુપૂર્ણિમા! શું તમે ગુરુમાં માનો છો ખરા?

Shree Kanti Bhatt,  July 24, 2015



-ગુરુમહિમા
કોઈને જરૂર ગુરુ બનાવો અને જો એમ ન હોય તો તમે તમારી જાતના ગુરુ બની આધ્યાત્મિક બનો

લેખની શરૂઆતમાં જ મારે ગુરુસ્તોત્ર લખવો જોઈએ. આ 31 જુલાઈ, 2015ના શુક્રવારે ગુરુપૂર્ણિમાં આવે છે. 99.9 ટકા લોકો અને ખાસ તો હિન્દુઓ, બૌદ્ધો અને જૈનો ગુરુમાં માને છે. કેટલાક થોડાક અવળચંડાછે જે ગુરુમાં માનતા નથી. ગુરુશબ્દની મહત્તામાં માને છે પણ પોતે જ પોતાના ગુરુ છે એમ કહે છે. ગુરુસ્તોત્ર જલદી વાંચો:-
ગુરુ બ્રહ્મા ગુરુવિષ્ણુ ગુરુદેવો મહેશ્વર:
ગુરુરેવ પરં બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમ:

જીવનમાં ગુરુનું સીગ્નીફીકન્સ ખુબ છે. ગુરુ જ ઈશ્વર છે આ શ્લોકમાં બ્રહ્માને ગુરુ કહ્યા છે, વિષ્ણુને ગુરુ કહ્યા છે. શિવને ગુરુ કહ્યા છે. આ ગુરુપૂર્ણિમાનું એટલે ખાસ મહત્વ છે. ઈશ્વરની ઈચ્છા હશે તો હું પેરેલીસીસ છતાં આ ગુરુપૂર્ણિમાં ઉજવવા જોધપુર જઈશ. જોધપુરમાં મેં જેને ગુરુ માન્યા છે તે રાજર્ષિમુનિ ખાસ સૌરાષ્ટ્રનાં તેમના આશ્રમ-કાયવરોહણથી જોધપુર જવાના છે.  જોધપુરના અસ્સલ પાઘડી-ફેંટા પહેરેલા બહાદુર રાજપુતો જોવા મળશે. મુંબઈમાં અનરાધાર વરસાદ વરસે છે. જોધપુરમાં ભગવાનકૃપાથી 31મી જુલાઈએ સૂર્ય ભગવાન સોળકળાએ હશે. મને ડબલ પેરેલીસીસ છે પણ જોધપુર મારે જોવું છે. તેનો ઈતિહાસ આકર્ષક છે. મુંબઈથી મોટર રસ્તે 984 કીલોમીટર છે. જેટનું વિમાન 1ાા કલાકમાં લઈ જાય છે. આ બધુ એટલા માટે લખું છું કે જીવ્યા કરતા જોયુ ભલુએ ન્યાયે જોધપુર જરૂર જોઈ આવો. રાઠોડ વંશના રાવ જોધાએ આ શહેર-રાજ 1459મા સ્થાપ્યુ છે.

એક વિચિત્ર પણ ‌વખાણવાલાયક જોધપુરના ગરીબ-તવંગર બન્નેની કલા દૃષ્ટિ જોઈલો કે સૌએ શરૂમાં પોતાના ઘર બ્લુ રંગથી રંગ્યા હતા. તેને બ્લુસીટી તરીકે પણ ઓળખાતુ હતુ. તમારી પત્ની કે પ્રેમિકાને ખુશ કરવી હોય તો જોધપુરની સદર બજારમા કે નઈસડક વિસ્તારમા જજો ત્યાં તમને જોધપુરની કલાકારીગીરીની ચીજો, રાજસ્થાની સુંદર વસ્ત્રો તમારી પત્ની માટે ઘાઘરાને ઓઢણા- ઉત્તમ ભરત સાથે વેચાતા મળશે. તમને શોખ હોય તો જોધપુરનાં ફેટા-પાઘડી પણ લેતા આવજો તો તે પહેરીને નવરાત્રમા દાંડીયા રાસ લેતી વખતે અનોખા દેખાઓ. હોટેલમાં રૂ. 300 માં ઉતરી શકાય છે.
આપણે ગુરુપૂર્ણિમા નિમિત્તે જોધપુરને યાદ ર્ક્યુ છે. મારા માનેલા ગુરુ રાજર્ષિમુનિ જોધપુરમાં ખાસ ગુરુપૂર્ણિમા ઉજવે છે. મારે તેમને ગુરુપૂર્ણિમાને દિવસે મળવા ઈન્શાલ્હા જવુ છે. ભારત સરકારે જોધપુરની મહત્તા ટકાવી રાખી છે. ઈસ્કોનનું હરેકૃષ્ણ મંદિર અહીં છે. અક્ષરધામ મંદિર છે. સ્વામિનારાયણનું મંદિર તો હોય જ.

જોધપુરમાં ભરપુર મંદિરો છે. પણ મોરારીબાપુને રસ પડે તેવુ હનુમાન મંદિર છે. એક ડઝન મંદિરોમાં મંડળેશ્વર મહાદેવના જરૂર દર્શન કરજો. અને ગુજરાતીઓને સૌથી વધુ રસ હોય તો ખાવામા રસ છે. પહેલાં મુંબઈમાં ચોપાટીની ભેળ ખાવા આવતા. ભાવનગરી ફાફડીયા ગાંઠીયા ખાતા તેમ જોધપુરમાં ઘણા જીભના સ્વાદુ લોકો જોધપુરની મખ્ખનીયા લસ્સી, માવાકી કચોરી, પ્યાજ કી કચોરી અને ખાસ તો અહીં અનોખી રીતે બનાવાતી લાપસી ચોખ્ખા ઘીમા ખાવાની મજા છે. જોધપુર નજીકના રણમા એક સ્પેશિયલ કાચરા નામનું શાક ઉગાડાય છે. તેનુ શાક સ્વાદુ હોય છે. જેને મીઠાઈનો શોખ હોય તો જોધપુરના માલપુવા, ઘેવર, મોતીચુરના લાડું અને રસમલાઈ ખાવા જરૂર આવે. મારે માટે મોતીચુરનાં ચાંદીના વરખવાળા લાડું લેતા આવે. અહીં રણમાં સ્પેશિયલ ફિસ્ટ થાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે જોધપુરના અમુક સ્ત્રી પુરુષોના અસલ વસ્ત્રો જેમાં અમેરિકનો અને અંગ્રેજોને રસ પડ્યો છે તેથી અહીં જોધપુરમાં ફેશન ટેક્નોલોજીની કોલેજ 2010મા ખુલી છે. આયુર્વેદને ટકાવવા 2003મા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના નામની આયુર્વેદ કોલેજ છે. અહીંની મોજડી બહુ જ વળણાય છે એટલે ખાસ અનોખી જાતના પગરખા માટે ફૂટવેર ડીઝાઈન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરભારત સરકારે ખોલ્યુ છે! પાકિસ્તાન પડખામાં છે એટલે સરદાર પટેલ યુનિ.મા સિક્યુરીટીની તાલિમ અપાય છે. ઉર્દૂ યુનિ. પણ છે.

સ્વામિ રાજશ્રી મુનિ સૌરાષ્ટ્રથી ખાસ ગુરુપૂર્ણિમાને દિવસે અહીં આવી રહ્યા છે. તેમના વિશે હું લખી ગયો છું અને ફરી કહુ છું કે તેમણે મને કોઈ ગુરુ ન કરું તે બાબતની છૂટ આપી છે. પણ આવા ઉદાર સ્વામિને સંક્ષેપમાં જાણવા જોઈએ. ડીવાઈન યોગની દીક્ષા સ્વામિ રાજશ્રીને તેના ગુરુ કૃપાલ્વાનંદે 1971માં આપેલી ત્યારથી આજે તે 85ની ઉંમરે યોગનો પ્રચાર કરે છે. તેમને સનાતન ધર્મને જાગૃત કરવાનુ કામ સોંપાયુ હતુ. પરંતુ મને તો તેમણે સુરેન્દ્રનગર નજીક જખાવ ગામે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એમ ત્રિવેદનુ અદભુત મંદિર સ્થાપ્યુ છે તે ગમ્યું છે. 4000 યાત્રીઓ લગભગ રોજ જખાવ આવે છે. આ મંદિરમા હું ગયો ત્યારે મને અદભુત શાંતિ મળી હતી. મારા દીવાનખાનાની બેઠકમાં મારી સામે જ રાજર્ષિ મુનિ અને મોરારીબાપુની તસવીર છે. મારી શ્રદ્ધા કહે છે કે આ બધાની કૃપાથી મારા પક્ષઘાતના દર્દમા છઠ્ઠી ઈન્દ્રિય જાગૃત થતા હું આ લેખ લખી શકું છું.

ફરી યાદ કરાવુ છું કે પાકિસ્તાનની બોર્ડરથી 250 કીલોમીટર જ દૂર જોધપુર છે. ઈન્ડિયન આર્મિ અને ઈન્ડિયન એરફોર્સ તેમ જ બ્રોર્ડર સિક્યુરીટી ફોર્સને અહીં કાયમ રાખાય છે. ઘણા રાજસ્થાન વણિકો તેમની પુત્રીના લગ્ન કરવા અહીં ખાસ જોધપુર આવે છે તેથી જોધપુરમાં વેડીંગ ઈન્ડસ્ટ્રીડેવલપ થઈ છે. જાનૈયા અને જાનડીઓને પહેરવાના અનોખા ડ્રેસ વેચાય છે. રાજર્ષિ મુનિ અને જોધપુરની પૂર્ણ ગાથા ગાવાનુ અધુરુ રહે છે પણ પણ આજે ગુરુપૂર્ણિમા છે તેથી તેને અંતમાં મહત્વ આપુ છું કે તમારે ગુરુ ન હોય તો કોઈને જરૂર ગુરુ બનાવો અગર તમે તમારા ગુરુ બની આધ્યાત્મિક બનો. આ દિવસ એવો છે તમે તમારા જીવનની ઉપયોગીતા વિશે વિચારો અને ઈશ્વરને આ જન્મ આપવા થેંક્સ કહો. આજે જીવનમા શું સાચું છે અને શું ખોટુ છે તે વિશે વિચાર કરવાનો મોકો મળે છે. છેલ્લે લખીલો કે મારા-તમારા સૌમાં ડહાપણ અને ઉંચે જવાની જે શક્તિ ભંડારેલી છે. તે શક્તિને જગાડવાનો આ દિવસ છે-ગુરુપૂર્ણિમા.





********************

ગુરુ ! તારો પાર ન પાયો…
ગુરુ ! તારો પાર ન પાયો
ધણી ! તારો પાર ન પાયો
પૃથવીના માલિક ! તારો જી – હો – જી.
હાં રે હાં ! ગવરીનો નંદ ગણેશ સમરીએ જી – હો – જી.
એ જી ! સમરું શારદા માતા
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
હાં રે હાં ! જમીં આસમાન બાવે મૂળ વિના માંડયાં જી – હો – જી.
એ જી‚ થંભ વિણ આભ ઠેરાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
હાં રે હાં ! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી – હો – જી.
એ જી ! માખણ વિરલે પાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
હાં રે હાં ! સુન રે શિખર પર અલખ અખેડા જી – હો – જી.
એ જી ! વરસે નૂર સવાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
ગગન મંડળમાં બે બાળક ખેલે જી – હો – જી.
એ જી બાળકનો રૂપ સવાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી – હો – જી.
એ જી સાધુડાંનો બેડલો સવાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.

**********************









Tuesday, July 21, 2015

પ્રેમનગર મત જાના મુસાફિર

The article by Dr. Gunavant Shah published in the Divya Bhaskar daily dated November 21, 2010 is displayed here with the courtesy of Divya Bhaskar and Dr. Gunvant Shah.

પ્રેમનગર મત જાના મુસાફિર
વિચારોના વૃંદાવનમાં, ગુણવંત શાહ

Vicharo Na Vrindavan Ma, Gunvant ShahNov 21, 2010,

Source Link:  http://www.divyabhaskar.co.in/news/MAG-dont-go-premnagar-traveler-1568439.html

પ્રેમનગરમાં જવાની ના પાડવાનું કારણ શું? કારણ એ જ કે એ નગરમાં કાચાપોચા આદમીનું કામ નહીં. એ પવિત્ર નગરમાં કપટ, સ્વાર્થ, ગણતરી અને અશ્રદ્ધા સાથે પ્રવેશી ન શકાય. પવિત્ર નગરમાં નિર્મળ થઇને પ્રવેશવું પડે. પવિત્ર કોણ? જેણે જીવનમાં ભરપૂર પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ પવિત્ર છે. એ વ્યક્તિ સામેથી પ્રેમ ન પામે તોય પવિત્ર છે. કોઇના પ્રગાઢ પ્રેમમાં પાગલ બનવું, એ જેવી તેવી સંપ્રાપ્તિ નથી. નાના હતા ત્યારે અમારા ફળિયામાં કેટલાક બાવાઓ હાથમાં એકતારો લઇને આવી પહોંચતા. એમની ગરિમા એવી કે ઘરમાંથી લોટ લાવીને આપવાનું મન થાય. તેઓને ભિખારી કહેવામાં સંકોચ થતો. તેઓ ભિક્ષાર્થી હતા, ભિખારી ન હતા. મારા બાપુ એમને આદરપૂર્વક ઘરની આગલી પરસાળમાં બેસાડતા અને એકતારાના સૂર સાથે અમને ભજનો સાંભળવાનો લહાવો પ્રાપ્ત થતો. આ રીતે સાંભળવા મળેલા બ્રહ્નાનંદના એક ભજનના શબ્દો હજી યાદ છે: ‘પ્રેમનગર મત જાના મુસાફિર, પ્રેમનગર મત જાના.’ અયોધ્યા, કાશી, દ્વારકા કે જેરૂસલામ જેવાં પુરાતન નગરો પવિત્ર ગણાય છે. આજે પણ લાખો લોકો ભીના હૃદયે બેથલહમ જઇને ઇસુનો જન્મ થયો હતો તે સ્થાને રચાયેલા ચર્ચ ઓફ નેટિવિટીની મુલાકાતે જાય છે અને પ્રાર્થનામય ચિત્તે કોઢારમાં જન્મેલા બાળ ઇસુનું સ્મરણ કરે છે. આવાં બધાં તીર્થનગરો પવિત્ર ગણાય છે, પરંતુ એ નગરો કરતાંય અધિક પવિત્ર એવા એક નગરનું નામ છે: ‘પ્રેમનગર.’ જગતમાં ક્યાંય આ નગરનો પત્તો નથી મળતો. ગોકુળ હતું ખરું, પરંતુ પૃથ્વી પર ક્યાંય આજે ગોકુળમાં હતી તેવી ઋજુતા નથી. ગોકુળ એક ભાવવાચક નામ બની ગયું છે. દુનિયામાં ક્યાંય ગોકુળતા ઝટ જડતી નથી. સર્વત્ર કપટયુક્ત માનવસંબંધોની બજાર ખીલી રહી છે. જ્યાં બજાર હોય ત્યાં મોહબ્બત ક્યાંથી? બજાર હોય ત્યાં સંવનન પણ બજારુ! પ્રેમનગરમાં જવાની ના પાડવાનું કારણ શું? કારણ એ જ કે એ નગરમાં કાચાપોચા આદમીનું કામ નહીં. એ પવિત્ર નગરમાં કપટ, સ્વાર્થ, ગણતરી અને અશ્રદ્ધા સાથે પ્રવેશી ન શકાય. પવિત્ર નગરમાં નિર્મળ થઇને પ્રવેશવું પડે. પવિત્ર કોણ? જેણે જીવનમાં ભરપૂર પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ પવિત્ર છે. એ વ્યક્તિ સામેથી પ્રેમ ન પામે તોય પવિત્ર છે. કોઇના પ્રગાઢ પ્રેમમાં પાગલ બનવું, એ જેવી તેવી સંપ્રાપ્તિ નથી. આ જગતમાં બધી કક્ષાના પ્રેમીજનો પવિત્ર છે. અરે! એમની નિષ્ફળતા પણ પવિત્ર છે અને એમની ભૂલ પણ પવિત્ર છે. લોકો ધૂળમાં રગદોળાયેલી કે કાદવમાં પડેલી સોનામહોરને પણ ‘સોનામહોર’ જ કહે છે! હિમાલય એ જ શિવાલય છે. શિવ અચલ છે, અકૃત્રિમ છે અને અનાકુલ છે. હિમાલય પવિત્ર છે, કારણ કે એ પ્રેમતીર્થ છે. હિમાલય તો શિવ-પાર્વતીનું પ્રેમાલય છે. જ્યાં પણ બે ‘મળેલા જીવ’ વચ્ચે જન્મેલી મુગ્ધતાનું માધુર્ય છે, ત્યાં અન્યને કાને ન પડે તેવી ગુફતેગો હોવાની. થોડીક ક્ષણો માટે કોઇ કોલેજના કેમ્પસ પર આવેલા વૃક્ષની નીચે આવું પ્રેમતીર્થ રચાય ત્યારે ત્યાં આગળથી પસાર થનારે મૌનપૂર્વક બીજી દિશામાં જોવાનું રાખીને ચાલી જવું જોઇએ. એથી ઊલટું બને છે કારણ કે સમાજના ઘણાખરા ઉંમરલાયક માણસો પાસે ઉંમર સિવાયની બીજી કોઇ જ પાત્રતા નથી હોતી. આપણો રુગ્ણ સમાજ અતૃપ્ત બુઝુર્ગોના વણદીઠા ઉપદ્રવોથી પરેશાન છે. જે સમાજમાં બે જણાં વચ્ચે અનાયાસ ઊગેલો સહજ પ્રેમ પવિત્ર ગણાતો ન હોય, એવા સમાજમાં ઇષ્ર્યા, દ્વેષ, હરીફાઇ અને નિંદાકૂથલીનું નરક ઓટલે ઓટલે હોવાનું! ક્યાંક પ્રેમનો ટહુકો સંભળાય ત્યાં ખલનાયકો આપોઆપ એકઠા થઇ જાય છે. આવા ખલનાયકો ક્યારેક અયોધ્યા, કાશી, મક્કા, જેરૂસલમ કે બેથલહમની યાત્રાએ પણ જતા હોય છે. એકમેકમાં ઓતપ્રોત એવાં બે પ્રેમીઓ ક્યારેક વિખૂટાં પડી જાય છે. સંજોગોના ષડ્યંત્રને કારણે વિખૂટાં પડેલાં બે પ્રેમીજનો વર્ષો પછી ટ્રેનની એસી ચેરકારમાં અચાનક ભેગાં થઇ જાય ત્યારે સામસામે બેસીને કોફી શા માટે ન પીએ? બળી ગયેલી ધૂપસળી અને મનગમતી મૈત્રીની રાખ પણ સુગંધીદાર હોય છે. મૌનપૂર્વક છુટા પડેલા બે રસ્તાઓ પણ એકબીજાથી દૂર દૂર ચાલી નીકળે છે. બે પ્રેમીજનો વિખૂટાં પડે, તે ઘટના તો દુ:ખદાયક હોય તોય કાવ્યમય હોય છે. જ્યાં વિરહની વેદના હોય કે મજબૂરી હોય ત્યાં વિખૂટાં પડવાની કળા પ્રગટ થાય છે. જ્યાં સંબંધ કેવળ ચર્મકક્ષાનો હોય ત્યાં આકર્ષણ પણ હંગામી હોય છે. આવો પ્રેમસંબંધ પવિત્ર નથી. એ સેક્સ અફેર છે, લવ અફેર નથી. જ્યાં સાચકલો પ્રેમસંબંધ રચાય ત્યાં ઉદાત્ત જવાબદારીનો ભાવ હોય છે. જ્યાં કેવળ સેક્સ કે સ્વાર્થની જ બોલબાલા હોય, ત્યાં વિખૂટાં પડતી વખતે ટનબંધ કટુતા પ્રગટ થતી હોય છે. પ્રેમસંબંધ તૂટે પછી બંને જણાં સામેના પાર્ટનરના કલ્યાણ માટે પ્રાર્થના કરે ત્યારે એમને સાધુ કહેવાનું ફરજિયાત નથી. વનસ્પતિ સૃષ્ટિમાં જે સ્થાન પુષ્પનું છે, વસંતોત્સવમાં જે સ્થાન ટહુકાનું છે, વાદળોના ભીના સામ્રાજ્યમાં જે સ્થાન મેઘધનુષ્યનું છે, તે સ્થાન ચહેરાઓના વનમાં પ્રેમનું છે. પુષ્પમાં સુગંધ ન હોય, નદીમાં જળ ન હોય, આકાશમાં તારા ન હોય, નીંદરમાં સમણાં ન હોય, અને આંખમાં આંસુ ન હોય, તો માણસ કેવો, ને પ્રેમ કેવો! ગોકુળ પવિત્ર છે, કારણ કે એ સમગ્ર વિશ્વનું ‘પ્રેમગ્રામ’ છે. ગોકુળ કેવળ પ્રેમતીર્થ નથી, એ વિરહતીર્થ પણ છે. જ્યાં વિખૂટાં પડવાની કળા પ્રગટ થાય ત્યાં આજે પણ ગોકુળ સર્જાય છે. પ્રેમ દ્રવ્ય નથી કે એમાં વધઘટ થઇ શકે. પ્રેમ પ્રવાહી નથી કે એની સપાટી ઊંચી કે નીચી જઇ શકે. પ્રેમ તો આકાશ છે, જેમાં બધું જ ઓગળી શકે અને નિ:શેષ શૂન્યતામાં વિલીન થઇ શકે. તૃપ્ત થવું એટલે જ લુપ્ત થવું! શરદની શીતળ ચાંદનીમાં સ્નાન કરી રહેલા પ્રસન્ન અંધકારને તમે જોયો છે? એ અંધકાર તો શ્યામ-ઘનશ્યામના વિરહમાં શેકાઇ રહેલી રાધાનો પાલવ છે. બે પ્રેમીજનોનું મિલન પવિત્ર છે, પરંતુ બે વિખૂટાં પડેલાં પ્રેમીજનોનું દર્દ અધિક પવિત્ર છે. સંસ્કૃત સાહિત્યમાં એને ‘વપિ્રયોગ’ કહ્યો છે. પ્રેમ આરોહણ છે. એ તો તળેટીથી ટોચ ભણીની ઊધ્ર્વયાત્રા છે. એવરેસ્ટની ટોચ પર જાહેરસભા ન થઇ શકે. ત્યાં તો મૌન જ શોભે! જે સમાજમાં પ્રેમની પ્રતિષ્ઠા ન હોય, એ સમાજમાં હુલ્લડો નહીં થાય તો બીજું શું થાય? બે જીવ કોઇ સુખદ યોગાનુયોગ (સીન્કોનિસિટી)ને કારણે ક્યાંક કોઇ ટર્નિંગ પોઇન્ટ પર ભેગાં મળી જાય, તે પરમ તત્વની કોિસ્મક યોજનાનો ભાગ હોઇ શકે છે. એ રીતે થયેલો લગ્નસંબંધ ચર્મકક્ષા વટાવીને મર્મકક્ષા સુધી પહોંચે તો બેડો પાર! મનુષ્ય જ્યારે નિર્મળ પ્રેમમાં ગળાડૂબ હોય, ત્યારે પૂરી માત્રામાં જીવતો હોય છે. પૂરી માત્રામાં જીવનાર મનુષ્યને ઇષ્ર્યા, દ્વેષ અને હિંસા કરવા માટે સમય જ નથી હોતો. આનંદ એ જ અધ્યાત્મનું કાળજું છે. નવી પેઢી સામે થોરિયાના ઠૂંઠા જેવું શુષ્ક અધ્યાત્મ ધરવાનું ટાળવા જેવું છે. નવી પેઢીને ‘રોમેન્ટિક અધ્યાત્મ’ ખપે છે. મૃત્યુ સામે ટક્કર લઇ શકે એવી એકમાત્ર ઘટનાનું નામ પ્રેમ છે. ઉપનિષદની ભેટ જગતને આપનારા આ દેશમાં આનંદનો દુકાળ શી રીતે હોઇ શકે? આપણે ધાર્મિકતાને નામે એક એવો સમાજ રચી બેઠાં છીએ, જે પ્રેમવિરોધી, જીવનવિરોધી, આનંદવિરોધી અને ગોકુળવિરોધી હોય. આવા ભારતીય આંતરવિરોધનો દુનિયામાં જોટો જડે તેમ નથી. ગુજરાતની યુનિવર્સિટીઓના કેમ્પસ પર શિબિરોનું આયોજન કરીને પોતાનાં કુંવારાં અરમાનોની રંગોળી પૂરનારાં લાખો યુવક-યુવતીઓને પ્રેમ એટલે શું તે કોણ સમજાવશે? એમને વિખૂટાં પડવાની કળાના પાઠ કોણ ભણાવશે? મોટરબાઇકની ગતિને પવનમાં ઊડતા ઝુલ્ફનું સૌંદર્ય પ્રાપ્ત થાય છે. ક્યાંક ગુફતેગોને વૃક્ષની છાયા પ્રાપ્ત થાય છે. ક્યારેક સંબંધ ટકી જાય છે અને ક્યારેક તૂટી પડે છે. તૂટી પડેલા પવિત્ર સંબંધને મૌનની દીક્ષા પ્રાપ્ત થાય તો બેડો પાર! પાઘડીનો વળ છેડે ઋષિ ભૃગુએ તૈત્તિરીય ઉપનિષદ (ભૃગુવલ્લી)માં દસમા અનુવાદના મંત્રમાં દિવ્ય ઉપાસનાની વાત કરીને કહ્યું છે: (૧) પરમાત્મા વરસાદમાં તૃપ્તિ માટેની શક્તિ રૂપે વિરાજમાન છે. (૨) પરમાત્મા વિધ્યુતમાં ઊર્જા સ્વરૂપે વિરાજમાન છે. (૩) પરમાત્મા સર્વ જીવોમાં યશ સ્વરૂપે વિરાજમાન છે. (૪) પરમાત્મા નક્ષત્રોમાં જ્યોતિ સ્વરૂપે વિરાજમાન છે. (પ) પરમાત્મા જનિન્દ્રયમાં પ્રજોત્પત્તિ માટે અમૃત અને આનંદ સ્વરૂપે વિરાજમાન છે. નોંધ : જો તંદુરસ્ત સેક્સ અશ્લીલ હોય તો માતાનું હાલરડું પણ અશ્લીલ ગણાય. સેક્સની નિંદા કરવી એ ઉપનિષદવિરોધી હરકત છે. એ દિવ્ય ઉપાસના છે.
Blog:http://gunvantshah.wordpress.com


Monday, July 20, 2015

श्रीमद जगद्गुरु शंकराचार्य विरचितं निर्वाण-षटकम्

निर्वाण षटकम् : आचार्य शंकर

The content displayed below is with the courtesy : http://ramyantar.com/nirvan-shatakam/

आचार्य शंकर की विशिष्ट कृति सौन्दर्य लहरी के पठन क्रम में एक अन्य स्तोत्र-रचना निर्वाण षटकम् से साक्षात हुआ था। सहज और सरल प्रवाहपूर्ण संस्कृत ने इस रचना में निमग्न कर दिया था मुझे। बस पढ़ने के लिए ही हिन्दी में लिखे गए इसके अर्थों को थोड़ी सजावट देकर आपके सम्मुख प्रस्तुत कर रहा हूँ। शिवरात्रि से सुन्दर अवसर और क्या होगा इस प्रस्तुति के लिए। आचार्य शंकर और शिव-शंकर दोनों के चरणों में प्रणति!

मनो बुद्ध्यहंकारचित्तानि नाहम्
न च श्रोत्र जिह्वे न च घ्राण नेत्रे
न च व्योम भूमिर् न तेजो न वायु:
चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥१॥

मैं मन नहीं हूँ, न बुद्धि ही, न अहंकार हूँ, न अन्तःप्रेरित वृत्ति;
मैं श्रवण, जिह्वा, नयन या नासिका सम पंच इन्द्रिय कुछ नहीं हूँ
पंच तत्वों सम नहीं हूँ (न हूँ आकाश, न पृथ्वी, न अग्नि-वायु हूँ)
वस्तुतः मैं चिर आनन्द हूँ, चिन्मय रूप शिव हूँ, शिव हूँ।

न च प्राण संज्ञो न वै पञ्चवायु: 
न वा सप्तधातुर् न वा पञ्चकोश:
न वाक्पाणिपादौ न चोपस्थपायू 
चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥२॥

मैं नहीं हूँ प्राण संज्ञा मुख्यतः न हूँ मैं पंच-प्राण1 स्वरूप ही,
सप्त धातु2 और पंचकोश3 भी नहीं हूँ, और न माध्यम हूँ
निष्कासन, प्रजनन, सुगति, संग्रहण और वचन का; 4
वस्तुतः मैं चिर आनन्द हूँ, चिन्मय रूप शिव हूँ, शिव हूँ।

1. प्राण, उदान, अपान, व्यान, समान; 2. त्वचा, मांस, मेद, रक्त, पेशी, अस्थि, मज्जा;
3. अन्नमय, मनोमय, प्राणमय, विज्ञानमय, आनन्दमय; 4. गुदा, जननेन्द्रिय, पैर, हाथ, वाणी

न मे द्वेष रागौ न मे लोभ मोहौ 
मदो नैव मे नैव मात्सर्य भाव:
न धर्मो न चार्थो न कामो ना मोक्ष: 
चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥३॥

न मुझमें द्वेष है, न राग है, न लोभ है, न मोह,
न मुझमें अहंकार है, न ईर्ष्या की भावना
न मुझमें धर्म, अर्थ, काम और मोक्ष ही हैं,
वस्तुतः मैं चिर आनन्द हूँ, चिन्मय रूप शिव हूँ, शिव हूँ।

न पुण्यं न पापं न सौख्यं न दु:खम् 
न मन्त्रो न तीर्थं न वेदा: न यज्ञा:
अहं भोजनं नैव भोज्यं न भोक्ता 
चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥४॥

न मुझमें पुण्य है न पाप है, न मैं सुख-दुख की भावना से युक्त ही हूँ
मन्त्र और तीर्थ भी नहीं, वेद और यज्ञ भी नहीं
मैं त्रिसंयुज (भोजन, भोज्य, भोक्ता) भी नहीं हूँ
वस्तुतः मैं चिर आनन्द हूँ, चिन्मय रूप शिव हूँ, शिव हूँ।

न मृत्युर् न शंका न मे जातिभेद: 
पिता नैव मे नैव माता न जन्म
न बन्धुर् न मित्रं गुरुर्नैव शिष्य: 
चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥५॥

न मुझे मृत्य-भय है (मृत्यु भी कैसी?), न स्व-प्रति संदेह, न भेद जाति का
न मेरा कोई पिता है, न माता और न लिया ही है मैंने कोई जन्म
कोई बन्धु भी नहीं, न मित्र कोई और न कोई गुरु या शिष्य ही
वस्तुतः मैं चिर आनन्द हूँ, चिन्मय रूप शिव हूँ, शिव हूँ।

अहं निर्विकल्पॊ निराकार रूपॊ 
विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम्
न चासंगतं नैव मुक्तिर् न मेय: 
चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥६॥

मैं हूँ संदेह रहित निर्विकल्प, आकार रहित हूँ
सर्वव्याप्त, सर्वभूत, समस्त इन्द्रिय-व्याप्त स्थित हूँ
न मुझमें मुक्ति है न बंधन; सब कहीं, सब कुछ, सभी क्षण साम्य स्थित
वस्तुतः मैं चिर आनन्द हूँ, चिन्मय रूप शिव हूँ, शिव हूँ।

_________________________________________________________________________________


निर्वाण-षटकम्

The content displayed below is with the courtesy of : https://rajyogi255.wordpress.com/


Read the article at its source link.


जब आदि गुरु शन्कराचार्य जी की अपने गुरु से प्रथम भेंट हुई तो उनके गुरु ने बालक शंकर से उनका परिचय माँगा ।

बालक शंकर ने अपना परिचय किस रूप में दिया ये जानना ही एक सुखद अनुभूति बन जाता है…
यह परिचय ‘निर्वाण-षटकम्’ के नाम से प्रसिद्ध हुआ ।

मनो बुद्धि अहंकार चित्तानि नाहं
न च श्रोत्र जिव्हे न च घ्राण नेत्रे |
न च व्योम भूमि न तेजो न वायु:
चिदानंद रूपः शिवोहम शिवोहम ||1||

[मैं मन, बुद्धि, अहंकार और स्मृति नहीं हूँ, न मैं कान, जिह्वा, नाक और आँख हूँ। न मैं आकाश, भूमि, तेज और वायु ही हूँ, मैं चैतन्य रूप हूँ, आनंद हूँ, शिव हूँ, शिव हूँ…]

I am not mind, nor intellect, nor ego, nor the reflections of inner self (chitta).
I am not the five senses.
I am beyond that.
I am not the ether, nor the earth, nor the fire, nor the wind (the five elements).
I am indeed, That eternal knowing and bliss, the auspicious (Shivam), love and pure consciousness.

न च प्राण संज्ञो न वै पञ्चवायुः
न वा सप्तधातु: न वा पञ्चकोशः |
न वाक्पाणिपादौ न च उपस्थ पायु
चिदानंदरूप: शिवोहम शिवोहम ||2||

[न मैं मुख्य प्राण हूँ और न ही मैं पञ्च प्राणों (प्राण, उदान, अपान, व्यान, समान) में कोई हूँ, न मैं सप्त धातुओं (त्वचा, मांस, मेद, रक्त, पेशी, अस्थि, मज्जा) में कोई हूँ और न पञ्च कोशों (अन्नमय, मनोमय, प्राणमय, विज्ञानमय, आनंदमय) में से कोई, न मैं वाणी, हाथ, पैर हूँ और न मैं जननेंद्रिय या गुदा हूँ, मैं चैतन्य रूप हूँ, आनंद हूँ, शिव हूँ, शिव हूँ…]

Neither can I be termed as energy (prana),
nor five types of breath (vayus),
nor the seven material essences,
nor the five coverings (pancha-kosha).
Neither am I the five instruments of elimination, procreation, motion, grasping, or speaking.
I am indeed, That eternal knowing and bliss, the auspicious (Shivam), love and pure consciousness.

न मे द्वेषरागौ न मे लोभ मोहौ
मदों नैव मे नैव मात्सर्यभावः |
न धर्मो नचार्थो न कामो न मोक्षः
चिदानंदरूप: शिवोहम शिवोहम ||3||

[न मुझमें राग और द्वेष हैं, न ही लोभ और मोह, न ही मुझमें मद है न ही ईर्ष्या की भावना, न मुझमें धर्म, अर्थ, काम और मोक्ष ही हैं, मैं चैतन्य रूप हूँ, आनंद हूँ, शिव हूँ, शिव हूँ…]

I have no hatred or dislike, nor affiliation or liking, nor greed, nor delusion, nor pride or
haughtiness, nor feelings of envy or jealousy.
I have no duty (dharma), nor any money, nor any desire (kama), nor even liberation
(moksha).
I am indeed, That eternal knowing and bliss, the auspicious (Shivam), love and
pure consciousness.

न पुण्यं न पापं न सौख्यं न दु:खं
न मंत्रो न तीर्थं न वेदों न यज्ञः |
अहम् भोजनं नैव भोज्यम न भोक्ता
चिदानंद रूप: शिवोहम शिवोहम ||4||

[न मैं पुण्य हूँ, न पाप, न सुख और न दुःख, न मन्त्र, न तीर्थ, न वेद और न यज्ञ, मैं न भोजन हूँ, न खाया जाने वाला हूँ और न खाने वाला हूँ, मैं चैतन्य रूप हूँ, आनंद हूँ, शिव हूँ, शिव हूँ…]

I have neither merit (virtue), nor demerit (vice). I do not commit sins or good deeds,
nor have happiness or sorrow, pain or pleasure.
I do not need mantras, holy places, scriptures (Vedas), rituals or sacrifices (yagnas).
I am none of the triad of the
observer or one who experiences, the process
of observing or experiencing, or any object being observed or experienced.
I am indeed, That eternal knowing and bliss, the auspicious (Shivam), love and pure consciousness.

न मे मृत्युशंका न मे जातिभेद:
पिता नैव मे नैव माता न जन्म |
न बंधू: न मित्रं गुरु: नैव शिष्यं
चिदानंद रूप: शिवोहम शिवोहम ||5||

[न मुझे मृत्यु का भय है, न मुझमें जाति का कोई भेद है, न मेरा कोई पिता ही है, न कोई माता ही है, न मेरा जन्म हुआ है, न मेरा कोई भाई है, न कोई मित्र, न कोई गुरु ही है और न ही कोई शिष्य, मैं चैतन्य रूप हूँ, आनंद हूँ, शिव हूँ, शिव हूँ…]

I do not have fear of death, as I do not have death.
I have no separation from my true self, no doubt about my existence, nor have I
discrimination on the basis of birth.
I have no father or mother, nor did I have a birth.
I am not the relative, nor the friend, nor the guru, nor the disciple.
I am indeed, That eternal
knowing and bliss, the auspicious (Shivam), love and pure consciousness.

अहम् निर्विकल्पो निराकार रूपो
विभुव्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम |
सदा मे समत्वं न मुक्ति: न बंध:
चिदानंद रूप: शिवोहम शिवोहम ||6||

[मैं समस्त संदेहों से परे, बिना किसी आकार वाला, सर्वगत, सर्वव्यापक, सभी इन्द्रियों को व्याप्त करके स्थित हूँ, मैं सदैव समता में स्थित हूँ, न मुझमें मुक्ति है और न बंधन, मैं चैतन्य रूप हूँ, आनंद हूँ, शिव हूँ, शिव हूँ…]

I am all pervasive. I am without any attributes, and without any form. I have neither
attachment to the world, nor to liberation (mukti).
I have no wishes for anything because I am everything, everywhere, every time,
always in equilibrium.
I am indeed, That eternal knowing and bliss, the auspicious (Shivam), love and pure consciousness.

इति श्रीमद जगद्गुरु शंकराचार्य विरचितं निर्वाण-षटकम सम्पूर्णं

માણસે પોતાની જાતને આદર્શ માનવી જોઇએ, માનસ દર્શન, મોરારિ બાપુ

માણસે પોતાની જાતને આદર્શ માનવી જોઇએ

બુદ્ધપુરુષ કામરિપુ હોય છે. કામરિપુ એટલે જેને પોતાના સ્વધર્મના બદલામાં કોઇની પાસેથી કામના ન હોય.


Read full article at Sunday Bhaskar.

Saturday, July 18, 2015

માનસ ધર્મ રથ

રામ કથા

માનસ ધર્મ રથ

કેન્યા

શનિવાર, તારીખ ૧૮-૦૭-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૨૬-૦૭-૨૦૧૫


મુખ્ય પંક્તિ


सुनहु सखा कह कृपानिधाना      |   

जेहिं जय होइ सो स्यंदन आना     ||

.......................................................................................લંકાકાંડ ............૬/૭૯/૪



सखा धर्ममय अस रथ जाकें     | 

जीतन कहँ न कतहुँ रिपु ताकें     ||

........................................................................................લંકાકાંડ...............૬/૭૯/૧૧


શનિવાર, તારીખ ૧૮-૦૭-૨૦૧૫

કુરૂક્ષેત્રનું યુદ્ધ ભગવદગીતા પ્રદાન કરવાનું બહાનું છે.

લંકાકાંડનું રામ રાવણનું યુદ્ધ એ આપણને ધર્મરથ દર્શાવવા માટેનું બહાનું છે.

અસ્તિત્વ બહાનું શોધે છે.

પરમને, નિરાકારને સાકાર કરવાનું બહાનું બાલકાંડમાં છે.

નવ પ્રકારની ભક્તિ કરવાની વિધાનું બહાનું અરણ્યકાંડમાં છે.

હનુમંત દર્શનનું બહાનું કિષ્કિન્ધાકાંડ છે.

સીતા - ક્ષમા, શાંતિ ની શોધનું બહાનું સંદરકાંડ છે.

ઉત્તરકાંડ એ કાગભૂષંડીનું વૈજ્ઞાનિક દર્શન પ્રસ્તુત કરવાનું બહાનું છે.

દરેકને પોતાની સીતાની શોધ છે.

અસલી ભક્તિ અગ્નિમાં જ રહે જ્યારે નકલિ ભક્તિ આકાશમામ ઊંડે છે.

કાલની ચિંતા ન હોવી જોઈએ પણ કાલની ઉત્સુકતા હોવી જોઈએ.

નફરત કરવી હોય તો સાવધાન રહેવું પડે, નહીં તો નફરત કરતાં કરતાં મહોબત થઈ જાય.

સત્ય, પ્રેમ, કરૂણાનું ગુરુત્વાકર્ષણનું બળ સમગ્ર ભ્રહ્માંડમાં વ્યાપ્ત છે.

કુરૂક્ષેત્રના યુદ્ધમાં થયેલ સંહાર કરતાં આ દરમ્યાન ઉદ્‌ભવેલ ભગવદગીતા દ્વારા થયેલ ઉદ્ધાર વધારે છે.

સંશય, સમાધાન અને શરણાગતિ એ ત્રણ સાધકનાં કેન્દ્ર બિંદુ છે.

રામ સ્વયં ધર્મ રથ છે, ધર્મ પુરૂષ છે.

શૌર્ય અને ધૈર્ય એ બે ધર્મરથનાં પૈંડાં છે.


रावनु रथी बिरथ रघुबीरा        । 

देखि बिभीषन भयउ अधीरा      ॥

अधिक प्रीति मन भा संदेहा     । 

बंदि चरन कह सहित सनेहा     ॥

नाथ न रथ नहि तन पद त्राना     । 

केहि बिधि जितब बीर बलवाना    ॥

सुनहु सखा कह कृपानिधाना      ।


जेहिं जय होइ सो स्यंदन आना     ॥

सौरज धीरज तेहि रथ चाका        । 

सत्य सील दृढ़ ध्वजा पताका      ॥

बल बिबेक दम परहित घोरे        । 

छमा कृपा समता रजु जोरे        ॥

ईस भजनु सारथी सुजाना         । 

बिरति चर्म संतोष कृपाना        ॥

दान परसु बुधि सक्ति प्रचंडा      ।

बर बिग्यान कठिन कोदंडा         ॥

अमल अचल मन त्रोन समाना      । 

सम जम नियम सिलीमुख नाना    ॥

कवच अभेद बिप्र गुर पूजा          । 

एहि सम बिजय उपाय न दूजा       ॥

सखा धर्ममय अस रथ जाकें         । 

जीतन कहँ न कतहुँ रिपु ताकें      ॥

दोहा :
महा अजय संसार रिपु जीति सकइ सो बीर           ।

जाकें अस रथ होइ दृढ़ सुनहु सखा मतिधीर          ॥

सुनि प्रभु बचन बिभीषन हरषि गहे पद कंज          ।

एहि मिस मोहि उपदेसेहु राम कृपा सुख पुंज         ॥

રવિવાર, ૧૯-૦૭-૨૦૧૫

શબ્દ બ્રહ્મ છે તેમજ ભ્રમ પણ છે.

ભગવાને પક્ષીને પાંખ આપી છે અને છતાંય પગ પણ આપ્યા છે.

પાંખ આવ્યા પછી પણ પગ જમીન ઉપર રાખવા જોઈએ.

વિચાર બેધારી તલવાર છે. .......લાઓત્સુ

વિચાર યોગ્ય ચાલે તો બુદ્ધ બની જવાય અને જો વિચાર અયોગ્ય ચાલે તો યુદ્ધ થઈ જાય.

અધિક પ્રીતિનાં ત્રણ કેન્દ્ર બિંદુ છે, માતા અને સંતાન વચ્ચેની પ્રીતિ, મિત્ર મિત્ર વચ્ચેની પ્રીતિ અને ભક્ત ભગવાન વચ્ચેની પ્રીતિ. 

અધિક પ્રીતિ સંદેહ પેદા કરે છે.

અભય સત્ય વિના ન આવે.

રાવણ સ્વયં મોહ છે જ્યારે કુંભકર્ણ અહંકાર છે.

અહંકારી વ્યક્તિ નિષ્ક્રિય રહે.

શૌર્ય અને ધીરજ એ બે ધર્મ રથનાં બે પૈંડાં છે.

ધર્મ રથ ગુરૂમુખી છે.

ધર્મ રથનાં બે પૈંડામ વચ્ચે રહેલ ધરી નિષ્ઠા છે.

બે પૈંડાં વચ્ચેની ધરી ફરવી ન જોઈએ જ્યારે પૈંડાં ગતિ કરતાં હોવાં જોઈએ.

નિષ્ઠા સ્થિર, મક્કમ હોવી જોઈએ.

...................................................................................................................................................................

બોલો ભાઇ ! બંગલા બોલો…..

હૈયાની હાટડી ખોલો….

ભાળેલું જીભથી ભાખો !

રુદામાં ન સંઘરી રાખો…. 

કવિને બંગલાએ આપેલો જવાબ પણ સૂચક છે.

‘કાગ’ કે આખર બંગલો બોલ્યો,

સૂણવામાં નથી સાર….

ઈશ્વર કોઇને આપીશમા,

આવા બંગલાનો અવતાર….

હેમાળાના મારગે જાવું,

નાની એવી ઝુંપડી થાવું….

Read More at its Source Link


...................................................................................................................................................................

સોમવાર, તારીખ ૨૦-૦૭-૨૦૧૫

ધર્મમાં પરમ સ્વતંત્રતા હોવી જોઈએ.

ધર્મ, અર્થ અને કામથી વિમુક્ત સ્થિતિ એ જ મોક્ષ છે.

મોક્ષ એટલે મોહનો ક્ષય, ધર્મના મોહનો ક્ષય, અર્થના મોહનો ક્ષય અને કામના મોહનો ક્ષય એ મોક્ષ છે.
એકાગ્રતા અને એકાંત એ બેમાં ફરક છે.

એકાગ્રતામાં કોઈ એકની અગ્રતા છે, કોઈ એક છે, કોઈ એક બચેલો છે.

એકાંતમાં તો એકનો પણ અંત થઈ જાય છે.

બુદ્ધપુરુષ આપણા દ્વૈતને ઝુટવી લે છે.

જે કોઈનો પણ દ્વૈષ ન કરે અને કોઈ પાસેથી કોઈ જ અપેક્ષા ન રાખે તે નિત્ય સંન્યાસી છે.   ........... ગીતા
_________________________________________________________________________________


न मे मृत्युशंका न मे जातिभेद:
पिता नैव मे नैव माता न जन्म |
न बंधू: न मित्रं गुरु: नैव शिष्यं
चिदानंद रूप: शिवोहम शिवोहम ||5||




_________________________________________________________________________________


તવ કથામૃતં તપ્તજીવન કવિભિરીડિતં કલ્મષાપહમ્ l
શ્રવણમઙગલં શ્રીમદાતતં ભૂવિ ગ્રણન્તિ તે ભૂરિદા જનાઃ ll







શ્રવણ કીર્તન વિષ્ણો સ્મરણાં પાદસેવનમ્
અર્ચનં વંદનં દાસ્યં સખ્યમાત્મ નિવેદનમ્

_________________________________________________________________________________


यस्यांके  च  विभाति  भूधरसुता  देवापगा  मस्तके
भाले  बालविधुर्गले  च  गरलं  यस्योरसि  व्यालराट्।
सोऽयं  भूतिविभूषणः  सुरवरः  सर्वाधिपः  सर्वदा

शर्वः  सर्वगतः  शिवः  शशिनिभः  श्री  शंकरः  पातु  माम्‌1


મંગળવાર, ૨૧-૦૭-૨૦૧૫


ત્રણ રથ છે, (૧) વિવાહનો રથ (૨) વિહારનો રથ અને (૩) વૈરાગ્યનો રથ.
ધર્મ રથના ચાર ઘોડા બળ, વિવેક, દમ અને પરહિત છે. અને આ ઘોડાઓ ક્ષમા, કૃપા અને સમતાથી બંધાયેલા છે.
આપણી ઈન્દ્રીયો એ ઘોડા છે અને બુદ્ધિ તેની સારથી છે, મન લગામ છે, આત્મા રથી છે.
વિજ્ઞાન ધર્મથી દીક્ષિત થયેલ હોવું જોઈએ. વિજ્ઞાન વિશુદ્ધ હોવું જોઈએ.
બુદ્ધિ કુસમ્ગથિ બગડે, તેમજ ભ્રમથી પણ બગડે.
આપણો સંદેહ પણ ઉધાર છે પછી વિશ્વાસની તો વાત જ ક્યાં છે?
બળની પાછળ વિવેક હોય તો જ બળનો સદઉપયોગ થાય.
દમના (દમન, તપસ્યા) ઘોડા પાછળ પરહિતનો ઘોડો હોવો જોઈએ.
તપથી કે દમનથી સિદ્દિ મળે તો તે સિદ્દિનો ઉપયઓગ પરહિત માટે કરવો જોઈએ.
ધર્મ રથના દરેક ઘોડાને ચાર પગ - ચરણ છે અને બે બે આંખો છે.
બળ રૂપી ઘોડાના ૪ ચરણ જ્ઞાન, ભાવ, વિજ્ઞાન અને સંવેદના છે.
જ્ઞાન બળના ચરણ પાછળ ભાવ બળનું ચરણ - પ્રેમ ભાવનું ચરણ હોવું જોઈએ.
વિચાર પાછળ ભાવ - પ્રેમ હોવો જોઈએ.
પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે.
સંવેદનાહિન વિજ્ઞાન સામાજીક પાપ છે. ........ ગાંધીજી
નીતિ અને રીતી એ બે બળ રૂપી ઘોડાની આંખો છે.
બળનો ઉપયોગ નીતિથી અને રીતીથી કરવો જોઈએ.
ઘણા બળવાન હોય પણ વીર ન હોય.
રાવણ બળવાન છે તેમજ વીર પણ છે.
વ્યસ્તતાથી ત્રસ્ત માનસને નીજતામાં લાવવાની જરૂર છે.
-------------------------------------------------------------------------------------------------------------------------
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી,
અંતર ઊંડી જે ઈચ્છા રહે, તે તો કેમ તજાયજી… ત્યાગ.

વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી,
ઉપર વેશ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂરજી… ત્યાગ.

કામ, ક્રોધ, લોભ, મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી,
સંગે પ્રસંગે તે ઉપજે, જ્યારે જોગ ભોગનો થાયજી… ત્યાગ.

ઉષ્ણ રતે અવની ઉપરે, બીજ ન દીસે બહારજી,
ઘન વરસે વન પાંગરે એમ ઈન્દ્રિં વિષે વિકારજી… ત્યાગ.

ચમક દેખીને લોહ ચળે, ઈન્દ્રિય વિષય સંયોગજી,
અણ ભેટે રે અભાવ છે, ભેટે ભોગવશે ભોગજી… ત્યાગ.

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અર્થજી,
તે વરણી આશ્રમથી, અંતે કરશે અનર્થજી… ત્યાગ.

ભ્રષ્ટ થયો રે જોગ ભોગથી જેમ બગડયું દૂધજી,
ગયું રે દ્યૃત મહિ માખણથી, આપે થયું અશુધ્ધજી… ત્યાગ.

પળમાં જોગી પળમાં ભોગી, પળમાં ગૃહી ને ત્યાગીજી,
નિષ્કુળાનંદ કે એ નરનો, વણ સમજ્યો વૈરાગ્યજી… ત્યાગ.

Thursday, July 16, 2015

કેન્યામાં પૂજ્ય મોરારિ બાપુની રામ કથા

કેન્યામાં પૂજ્ય મોરારિ બાપુની રામ કથા



Source Link: Read More at Source Link.

Aberade Country Club Nyeri, Kenya

 KATHA DATES:
Saturday July 18th, 2015 - Sunday July 26th, 2015

 KATHA TIMINGS:
Saturday, July 18th : 4.00 pm Onwords 
Sunday July 19th to Saturday July 25th : 9.30 am to 1.00 pm
Sunday July 26th : 9.30 Onwords

http://www.moraribapu.org/new_2013/ramkatha_schedule_detail_aberdare.html


Live Telecast on AASTHA TV

Saturday, July 18, 2015 at 06.20 pm  (http://aasthatv.com/index.php/schedules/aastha-india/2682-18-july-2015)

Sunday, July 19, 2015 onwards at 12.30 hrs (http://aasthatv.com/index.php/schedules/aastha-india/2683-19-july-2015)