Translate

Search This Blog

Sunday, September 28, 2014

જગતનું મૂળ : આદિઅંબા, માનસદર્શન,મોરારિબાપુ

જગતનું મૂળ : આદિઅંબા



  • ચાર-ચાર પ્રવાહમાંથી જગદંબા પ્રસાર થતી હોય શક્તિની માંગ આખા વિશ્વને છે. 



  • લંકાના રણમેદાનમાં રાવણ મરતો નહોતો ત્યારે ભગવાન રામ દુર્ગાપૂજાનું અનુષ્ઠાન કરે છે. 



  • રામચરિતમાનસની કથા નવ દવસની હોય એટલે હું ઘણીવાર કહ્યા કરું છું કે હું જેટલીવાર રામકથા ગાઉં એટલી વાર મારા માટે નવરાિત્ર છે. 



  • મારી પોથી મારું રામચરિતમાનસ મારા માટે ગરબો છે. એમાં એકસો આઠ છિદ્ર નથી, એકસો આઠ દ્વારો છે. ગરબામાં જે છિદ્રો હોય છે છિદ્ર નથી ઘડાનું છિદ્ર તો કલંકરૂપ છે. ગરબામાં રહેલું છિદ્ર શોભા છે. કિરણોનો પ્રસવ આપતું દ્વાર છે. ગરબાની અંદર આપણે કોડિયામાં દીપ પ્રગટાવીએ છીએ પછી ઉપર એક મોટું કોડિયું મૂકીએ છીએ.



  • રામચરિતમાનસમાં ઉત્તરકાંડમાં જ્ઞાનદીપકનો દીવડો છે દીવડા સુધી આપણે પહોંચી શકીએ તો કોઇ ચિંતા નથી પરંતુ દીવડાની ઉપર બીજું પણ એક કોડિયું હોય એમાં આપણે મીઠાઇ પધરાવતા હોઇએ છીએ. કોડિયું વ્યાસપીઠની દૃષ્ટિએ ભક્તિ છે. મીઠાશથી ભરપૂર ભક્તિતત્ત્વ એમાં રહેલું છે. 





  • અરે ફિલ્મ ગીતો તમારી દૃષ્ટિ છે. મારી દૃષ્ટિએ તો મારા હનુમાનને રીઝવવાની પ્રાર્થાન છે. 



  • રામ સ્વયં દુર્ગા છે. રામ સ્વયં અંબા છે. રામ અંબિકા છે. 




  • રામકથા સ્વયં કાલિકા છે. રામકથા અંબિકા છે. રામચરિતમાનસના મહર્ષિ પરમ વિવેકી યાજ્ઞવલ્કય મહારાજ ભારદ્વાજ ઋષિને કહે છે કે હે ઋષિ, રામકથા દુર્ગા છે. રામ ભગવતી અંબા છે. અરે, હનુમાનદાદો પણ અંબા છે. 



  • એક માતૃશક્તિ રક્ત રૂપે આવે પછી આંસુરૂપે આવે અને ત્રીજું બાળકનો જન્મ થાય, બાળકને માની ગોદમાં આપવામાં આવે ત્યારે થોડો સમય જાય એટલે મા દૂધ રૂપે પ્રગટ થાય છે. 



  • તો શક્તિ પહેલાં રક્ત રૂપે વહે છે. પછી આંસુ અને દૂધ રૂપે વહે છે. અને પછી પોતાના સંતાનને તૃષ્ટ-પુષ્ટ કરવા માટે આખી જિંદગી પરસેવા રૂપે વહે છે. 



  • ચાર-ચાર પ્રવાહમાંથી જગદંબા પ્રસાર થતી હોય શક્તિની માંગ આખા વિશ્વને છે. 



  • તો હનુમાનજી પણ જગદંબા છે. 




  • જગતનું મૂળ આદિશક્તિ આદિઅંબા છે. આવો નવરાત્રિના દિવસોમાં આદિશક્તિને યાદ કરીએ અને પ્રેમથી માની આરતી ઉતારીએ. 



(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)


મોરારિબાપુ , માનસદર્શન


Read Full Article at Sunday Bhaskar, ePaper, page 8.


Thursday, September 25, 2014

માનસ દુર્ગા



રામ કથા

માનસ દુર્ગા

દુર્ગ, છતીસગઢ

ગુરુવાર, તારીખ ૨૫, સપ્ટેમ્બર, ૨૦૧૪ થી શુક્રવાર, તારીખ ૦૩, ઑટોબર, ૨૦૧૪


મુખ્ય ચોપાઈ

મહામોહુ મહિમેસુ બિસાલા
રામકથા કાલિકા કરાલા

..............................................................બાલકાંડ ૪૬/૬

મોહ એ મોટો ભયંકર મહિષાસુર રાક્ષસ છે અને શ્રીરામની કથા એનો નાશ કરનારી મહાકાળી છે.

રામુ કામ સત કોટિ સુભગ તન
દુર્ગા કોટિ અમિત અરિ મર્દન
............................................................ઉત્તરકાંડ ૯૦/૭


રામ અબજો કામદેવ જેવા સુંદર શરીરવાળા, અનંત કોટિ દુર્ગાઓ જેવા એ દુશ્મનોનો નાશ કરનારા છે.



ગુરુવાર, તારીખ ૨૫, સપ્ટેમ્બર, ૨૦૧૪

શિવ માટે એક રાત્રિ - શિવરાત્રિ છે, જ્યારે ભવાની માટે નવ રાત્રિ છે.

જ્યાં જ્યાં રામ ચરિત માનસનું પારાયણ થાય છે ત્યાં સદા નવરાત્રિ જ છે.

માનસમાં જે શબ્દ આવે છે તે મંત્ર બની જાય છે.

પાંચ વસ્તુમાં નિષ્ઠા રાખી અનુષ્ઠાન કરવામાં આવે તો તે અનુષ્ઠાન સફળ થાય અને વિશેષ પ્રસન્ન્તા પ્રાપ્ત થાય. આ પાંચ નિષ્ઠામાંથી દરેક સાધકે પસાર થવું પડે.

આખું વિશ્વ, સમગ્ર અસ્તિત્વ રામ કથા ગાઈ રહ્યું છે.

કોઈ સંત મળી જાય એ મોટામાં મોટું પૂણ્ય છે.

પુન્ય પુંજ બિનુ મિલહિં ન સંતા
સતસંગતિ સંસૄતિ કર અંતા
............................................ઉત્તરકાંડ ૪૪/૬

ખૂબ પૂણ્ય ન હોય તો સંતોને મળી શકાતું નથી. સંતનો સંગ તો સંસારનો છેડો છે.

૧ ગુરૂ નિષ્ઠા

જેને તેના ગુરૂમાં નિષ્ઠા નથી તેનું અનુષ્ઠાન સફળ થાય તો પણ તેને પ્રસન્તા નહીં મળે.

૨ નામ નિષ્ઠા

નામ નિષ્ઠા અત્યંત આવશ્યક છે.

શાખાઓ એટલી બધી વધી જાય કે જેથી તે શાખાઓને તેનું મૂળ - જડ જ ન દેખાય.

૩ શાસ્ત્ર નિષ્ઠા

મુસાફરી દરમ્યાન કોઈનું શાસ્ત્ર ખોવાઈ જાય તે એક આશ્ચર્ય કનક ઘટના છે. શાસ્ત્ર ખોવાઈ જ કેવી રીતે જાય?

૪ શિવ નિષ્ઠા

વાલ્મીકિ આદિ કવિ છે જ્યારે મહાદેવ તો અનાદિ કવિ છે.

સંપ્રદાયની સંકિર્ણતાને કારણે જે શિવ નિષ્ઠા ચૂકે તેને પ્રતિષ્ઠા મળે પણ પ્રસંન્તા ન મળે.

૫ શબ્દ નિષ્ઠા - વાણી નિષ્ઠા

જ્યારે સત્ય કમજોર બને ત્યારે શબ્દ નિષ્ઠા કમજોર થાય.

આ પાંચ નિષ્ઠા સાથે કરેલ અનુષ્ઠાનથી પ્રસન્તા મળે.

રામ સ્વયં દુર્ગા છે.

શંકર જે આદિ વક્તા છે તે પણ અર્ધદુર્ગા છે.

ભવાની શ્રદ્ધા છે.

ગીતા ત્રણ પ્રકારની શ્રદ્ધ્રા વર્ણવે છે - સાત્વિક, રાજસી અને તામસી શ્રદ્ધા.

ત્રિગુણાતિત શ્રદ્ધા જે વિશેષણ મુક્ત શ્રદ્ધા છે તેનું મહત્વ છે.

સચેત શ્રદ્ધા - જાગૃત શ્રદ્ધા સ્વયં મોક્તિ છે, મોક્ષ છે.

ભાવ વાળી શ્રદ્ધા ગુલામી છે. ભાવ વાળી શ્રદ્ધામાં આપણી શ્રદ્ધામાં વધઘટ થાય.

સભીત શ્રદ્ધા - ભયના કારણે આવતી કે રાખવામાં આવતી શ્રદ્ધા મૂઢતા છે.

ગુરૂના વાક્યોમાં વિશ્વાસ એ જ શ્રદ્ધા છે.

મંગલાચરણ - મંગલ આચરણ મહિમાવંત છે, મંગલ ઉચ્ચારણનો મહિમા નથી.



શુક્રવાર, ૨૬-૦૯-૨૦૧૪

કથાના બધા જ શ્રોતાઓ યુવાન છે, ભલે તેમની ઊંમર ગમે તેટલી હોય.

ગરબામાં અસભ્ય પૂર્વક નૃત્ય કરનાર ઊંમર પ્રમાણેના યુવાનો યુવાન હોવા છતાં વૃદ્ધ છે.

શ્રદ્ધાની - પાર્વતીની આરાધના સવાર, બપોર અને સંધ્યા સમયે કરવી જોઈએ.

સવારે દરેક તેની સુષુપ્ત શક્તિને જાગૃત કરવી એ સવારની શ્રદ્ધાની - પાર્વતીની આરાધના છે.

જો શ્રદ્ધા મિથ્યામાં હોય તો તે મિથ્યા પણ સત્ય થઈ જાય છે. જો શ્રદ્ધા હોય તો મિથ્યા એ મિથ્યા જ છે તે સિદ્ધ થઈ જાય છે.

જો અશ્રદ્ધા હોય તો ઈશ્વર પણ અસત્ય થઈ જાય.

જે બધાને છેતરે છે તે ધૃત છે. જે બધાથી ન છેતરાય તે ચતુર છે.

ચતુરશિરોમણિ

ભગવત કથા સામુહિક સાધના છે.

કથામાં પ્રદર્શન ન થવું જોઈએ.

દર્શન વ્યક્તિગત થાય જ્યારે પ્રદર્શન સાર્વજનિક થાય.

બાવનની બહાર જે તત્વ છે તે કાયમ શિવજી પાસે છે. બાવનની બહાર જે તત્વ છે તે પરમ તત્વ છે, પરમ શક્તિ છે.

શિવ નિષ્ઠા એટલે કલ્યાણમાં નિષ્ઠા.

હનુમાન ચાલિસા સિદ્ધ છે અને શુદ્ધ પણ છે.

રામ કથાનો મંડપ એ એક પ્રયોગશાળા છે.

ઈશ્વરને મેળવવા માટે પ્રાર્થના કરવા કરતાં કોઈ સંતને મેળવવાની પ્રાર્થના કરવી વધારે યોગ્ય છે.

ત્રેપનમી શક્તિ પીઠ આપણા સ્વયંમાં છે.

બપોરના સમયે - જીવનના મધ્ય ભાગમાં લોક મંગળ માટે પોતાની ઊર્જા વાપરવી એ બપોરના સમયની શ્રદ્ધાની આરાધના છે.


સાંજના સમયની શ્રદ્ધાની આરાધના એટલે આપણી અંદરની ઊર્જાને થોડી સુષુપ્ત કરવી જેથી તે ઊર્જા બીજા દિવસ માટે ફરીથી કાર્યવંત થાય, ઊર્જાવાન થાય.


શનિવાર, ૨૭-૦૯-૨૦૧૪

બ્રહ્મ ફૂલથી પણ કોમળ અને વજ્રથી પણ કઠોર છે.

બ્રહ્મ નજીકથી નજીક તેમજ દૂર થી પણ દૂર છે.

રામ કથા કાલિકા છે જે કરાલ છે તેમજ કોમળ પણ છે.

રામ કથા ચંદ્રના કિરણ જેવી કોંમળ છે.

આપણું મન ચંદ્ર સમાન છે છતામ કઠોર કેમ છે? ઊગ્ર કેમ છે?

ચંદ્ર રામ નામ છે.

જે રામ નામ મહામંત્રનો જાપ કરશે તેનું મન ચંદ્ર સમાન શાંત અને શિતલ બનશે.

ચંદ્રની કિરણ તો જ આપણા ઘરમામ આવે જો આપનો દરવાજો ખુલ્લો હોય.

રામ અતી સંદર છે તેમજ દુર્ગાની માફક કઠોર પણ છે.

પરસ્પર વિરોધી ધર્મોનું આશ્રય સ્થાન જ પરમાત્મા છે એવું વલ્લભાચાર્યજીનું નિવેદન છે.

આખું વિશ્વ પણ પરસ્પર વિરોધી ધર્મોનું આશ્રય સ્થાન છે અને તેથી વિશ્વ પણ બ્રહ્મ છે. અને તેથી જ
વિનોબાજીએ કહ્યું છે કે "બ્રહ્મ સત્ય, જગત સ્ફૂર્તિ".

ફરિયાદી ચિત આધ્યાત્મની યાત્રા ન કરી શકે.

યાજ્ઞવલ્ક ઋષિ શિવ ચરિત્રની કથા દરમ્યાન પહેલું પાર્વતી ચરિત્ર - ઉમા ચરિત્ર કહે છે.

કર્ણમાં જેટલા સદ્‌ગુણ છે તેનું તેને અભિમાન છે જે તેનો મોટો અવગુણ છે. તેના આ અવગુણના લીધે તેના રથનું પૈડું જમીનમાં ઉતરી જાય છે.

દશેરાએ શસ્ત્ર પૂજન કરવા કરતામ શાસ્ત્ર પૂજન કરવું, શાસ્ત્રના ચિંતનનું પૂજન કરવું વધારે યોગ્ય છે.

શસ્ત્ર કાપશે જ્યારે શાસ્ત્ર જોડશે.

શાસ્ત્ર પણ શસ્ત્ર ન બનવું જોઈએ.

મમતા અને સમતા એ બે જગદંબા મા ની બે આંખ છે.

સરસ્વતી મહાવાણી છે, લક્ષ્મીજી મહાદાની છે અને  પાર્વતી મહારાણી છે.

મા ના બે હાથ એ વરદાન આપનાર અને અભયદાન આપનાર હાથ છે.

મા ના હ્નદયના ભાગમાં - ઉર ભાગમાં અમૃત છે, વાત્સલ્ય છે.

મા ની ગોદ આશ્રિતનો આશ્રય છે.

મા ના બે પગ ચરણ એ આચરણ અને આવરણ - મુશ્કેલીઓને દૂર કરવાનું આવરણ છે.



રવિવાર, ૨૮-૦૯-૨૦૧૪

નવરાત્રિનું ચોથું નોરતું એ રૂખડનો જન્મ દિવસ છે. અંબાજીની નવરાત્રિ દરમ્યાનની કથાના ચોથા નોરતે રૂખડનો જન્મ થયો હતો.

રૂખડબાવા તું હળવો હળવો

સાભાર: http://mavjibhai.com/

રૂખડબાવા તું હળવો હળવો હાલ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ ધરતી માથે આભ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ કૂવાને માથે કોસ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ મોરલી માથે નાગ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ બેટાને માથે બાપ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

રૂખડબાવા તું હળવો હળવો હાલ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

રૂખડબાવા તું હળવો હળવો હાલ જો ને માણવા ક્લિક કરવા વિનંતિ.


રામ એ સાગર છે અને રામને પામી ગયેલા બાદલ છે.

સંપ્રદાય આગ્રહ રાખે જ્યારે આધ્યાત્મ ઔદાર્ય રાખે.

સંપ્રદાય સંકિર્ણ હોઈ શકે.

સત્ય, પ્રેમ અને કરૂણામાં આમ અને ખાસનો ભેદ ન હોય.

સત્ય એક વચન છે, પ્રેમ દ્વિવચન છે જ્યારે કરૂણા બહુંવચન છે.

રામ કથાની પ્રત્યેક ચોપાઈ ગાય છે તેમજ શેર પણ છે.

બીજા માટે નિર્દોષ ભાવે બીજાની પિડાને પોતાની પિડા સમજે તેના ઘરમાં શક્તિ લક્ષ્મી સ્વરૂપા છે.

સારા વિચારો વાળાના મનમાં દુર્ગા પ્રજ્ઞા રૂપે વસે છે.

પાપાત્માને ત્યાં દુર્ગા દરિદ્રતા રૂપે વસે છે.

સજ્જન લોકોને ત્યાં દુર્ગા મૌલિક શ્રદ્ધા રૂપે, ત્રિગુણાતિત શ્રદ્ધા રૂપે નિવાસ કરે છે.

ખાનદાન પરિવારમાં દુર્ગા લજ્જા રૂપે નિવાસ કરે છે.

દિલ ઔર અક્લ જબ અપની અપની કહે ખુમાર

તબ અક્લકી સુનીયે ઔર દિલ કહે સો કીજીએ

................................…………… ખુમાર બારાબંકી


સોમવાર, ૨૯-૦૯-૨૦૧૪

શિષ્યની સ્થિતિ દ્વારા તેના ગુરૂનો મહિમા, ગુરૂની અવસ્થા, ગુરૂનું જ્ઞાન વગેરે જાણી શકાય.

પુત્રની સુંદરતા દ્વારા તેના બાપની સુંદરતા જાણી શકાય. કામની સુંદરતા દ્વારા તેના બાપ - રામની સુંદરતા જાણી શકાય.

રૂપ શ્રાપ નથી, અપરાધ પણ નથી, પણ ઈશ્વરનું વરદાન છે. રૂપને માણવામાં આપણી દ્રષ્ટિનો દોષ છે.

હરિનામ એ એક ઔષધી છે અને તે ઔષધી લેવામાં અન્ય ઔષધી લેવા માટે જેવા નિયમ છે, તેવા નિયમ નથી. હરિનામ ગમે ત્યારે ગમે તેટલા વખત લઈ શકાય.

આપણે આપણામાં રહેલ ક્રોધ, દ્વેષ, ઈર્ષા વગેરેની સ્વિચ ક્યાં છે તે જાણી શક્યા નથી. આપણો ગુરૂ આવી સ્વિચોનું સ્થાન બતાવી શકે.

જ્યારે આપણને ક્રોધની સ્વિચ ન મળે તો બોધની સ્વિચ મેળવવાની તો બહું દૂરની વાત છે.

પાંચ વસ્તુ એ જ પરમાત્મા છે, પરમ શાંતિ, પરમ વિશ્રામ, પરમ પ્રેમ, પરમ કરૂણા અને પરમ સત્ય.

સત્ય એ જ પરમેશ્વર એવું ગાંધીજીનું વિધાન છે.

પ્રેમ એ જ પરમાત્મા એવું ભગવાન ઈશુએ કહ્યું છે.

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ફળ નથી પણ પુરૂષાર્થ છે.

રામ મંત્ર મહાન છે.

કર્કશ વાણી ક્રોધનું બિન્દુ છે.

લોભની સ્વિચ ઈચ્છા છે.

કામની સ્વિચ નારી છે.

રામ કથા કાલિકા છે, શૈલ પુત્રી છે, બ્રહ્મચારિણી છે - રામ કથા અખંડ છે - અખંડ બ્રહ્મચારિણી છે - તેનો કોઈ
સ્વામી નથી - કોઈ સ્વામી થઈ જ ન શકે - અખંડ વિચરણ કરનાર છે - બ્રહ્મમાં વિચરણ કરનાર છે અસંગ છે - રહસ્યમય છે.

રામ કથા ચંદ્રઘંટા છે.

રામ કથા કલેષ નિકંદિની છે.

રામ કથા સ્કંદ - સનતકુમારની મા છે.

રામ કથા સિદ્ધિ દાત્રી છે.

રામ કથા કાત્યાયનિ કન્યા - શિવ પાર્વતીની કુંવારી કન્યા છે.

રામ ચરિત માનસ એ કદી ન વસુકે તેવી ગાય છે.




મંગળવાર, ૩૦-૦૯-૨૦૧૪

જેના ખડિયામાં (ખડિયો એટલે ઝોલો, એક જાતનો થેલો) રૂ હોય તે રૂખડ કહેવાય.

રૂ એટલે કપાસ.

સાધુ ચરિત સુભ ચરિત કપાસૂ

નિરસ બિસદ ગુનમય ફલ જાસૂ

.................................................................................બાલકાંડ ૧/૫

જેના ઝોલામાં સાધુતા હોય તે રૂખડ, જેના જીવનમાં સાધુતા હોય તે રૂખડ, જેના પાડીયામાં - શરીરમાં

સાધુતા હોય તે રૂખડ કહેવાય.

સાધુ કોઈ પણ વેશમાં, કોઈ પણ ભાષામાં હોય, સર્વત્ર હોય.

સાધુનાં લક્ષણ કપાસના ફૂલનાં લક્ષણ જેવાં હોય.

કપાસનું ફૂલ - રૂ - નિરસ હોય.

જેનું જીવન કપાસના ફૂલ જેવું શ્વેત - દાગ મુક્ત હોય તે સાધુ છે.

દુનિયા કાં તો નિંદા કરે અથવા પ્રસંશા કરે, પણ સાચું મુલ્યાંકન ન કરે.

કોઈ આપણી નિંદા કરે અને છતાંય હસતા રહેવું તે સાધુતા છે, જો કે આવું કરવું ઘણું અઘરૂં છે.

નિંદાની તેમજ સ્તુતિની કોઈ જ અસર ન થાય તે એક સાધના છે.

જ્ઞાન જીવનમાં સર્વસ્વ નથી, તે ફક્ત એક અંગ છે.

મોટામાં મોટું પાપ પરનિંદા છે.

સ્ત્રી - માતૃ શરીરનામ ત્રણ સ્તર છે - પુત્રી, પત્ની અને માતા.

જય જય ગિરિબરરાજ કિસોરી

જય મહેસ મુખ ચંદ ચકોરી

જય ગજબદન ષડાનન માતા

જગત જનનિ દામિનિ દુતિ ગાતા

નહિં તવ આદિ મધ્ય અવસાના 

અમિત પ્રભાઉ બેદુ નહિં જાના

ભવભવ બિભવ પરાભવ કારિનિ

બિસ્વ બોમોહનિ સ્વબસબિહારિનિ

તુલસીદાસજી શરદ ઋતુને નિર્મલ ઋતુ કહે છે.

મન, બુદ્ધિ, ચિત અને અહંકાર - અંતઃકરણ નિર્મળ થઈ જાય એ કથાનું ફળ છે.

કથા એ મનને નિર્મળ કરવાની સામુહિક સાધના છે.

નિષ્ઠા એક બનવી જોઈએ, પ્રબળ બનવી જોઈએ, એક નિષ્ઠ બનવું જોઈએ.

વક્તાને શ્રોતામાં પરમાત્મા દેખાવા જોઈએ.

મન નિર્મળ થાય એટલે આપણું તેજ વધે.

બુદ્ધિ નિર્મળ થાય એટલે ખોટા નિર્ણયો ન લે.

સાધુનું જીવન નિરસ (નિરસ એટલે રસ હિન નહીં, બેરસ નહીં) હોય, સાધુ આસક્ત ન થાય.

પરમાત્મા રસેશ્વર છે, રસ રૂપ છે.

મહારસ પામ્યા પછી વિષય ભોગના રસ ક્રમશઃ ઓછા થઈ જાય.

સાઘુનૂ જીવન નિર્મળ હોય.

મા નો ક્રોધ પણ મોક્ષદાયી હોય.




ભએ પ્રગટ કૃપાલા દીનદયાલા કૌસલ્યા હિતકારી

હરષિત મહતારી મુનિ મન હારી અદ્‌ભૂત રૂપ બિચારી

લોચન અભિરામા તનુ ઘનસ્યામા નિજ આયુધ ભુજ ચારી

ભૂષન બનમાલા નયન બિસાલા સોભાસિંધુ ખરારી

કહ દુઈ કર જોરી અસ્તુતિ તોરી કેહિ બિધિ કરૌં અનંતા

માયા ગુન ગ્યાનાતીત અમાના બેદ પુરાન ભનંતા

કરૂના સુકહ સાગર સબ ગુન આગર જેહિગાવહિ શ્રુતિ સંતા

સો મમ હિત લાગી જન અનુરાગી ભયૌ પ્રગટ શ્રીકંતા

બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પર્તિ બેદ કહૈ

મમ ઉર સો બાસી યહ ઉફાસી સુનત ધીરમતિ થિર ન રહૈ

ઉપજા જબ ગ્યાના પ્રબુ મુસ્કાના ચરિત બહુત બિધિ કીન્હ ચહૈ

કેહિ કથા સુહાઈ માતુ બિઝાઈ જેહિ પ્રકાર સુત પ્રેમ લહૈ

માતા પિનિ બોલી સો મતિ ડોલી તજહુ તાત યહ રૂપા

કીજૈ સિસુલીલા અતિ પ્રિયસીલા યહ સુખ પરમ અનૂપા

સુનિ બચન સુજાના રોદન ઠાના હોઈ બાલક સુરભૂપા

યહ ચરિત જે ગાવહિં હરિપદ પાવહિં તે ન પર્હિં ભવકૂપા



બુધવાર, ૦૧-૧૦-૨૦૧૪

દુનિયાના ઘણા ભાગમાં ગાયનું દૂધ વાપરવામાં આવે છે.

ગાય પૂજ્ય છે પણ ગાયના પૂજન સાથે સાથે ગાયને પ્રેમ કરવાની જરુર છે. ગાય્ને પ્રેમ કરવો એ તેનું પૂજન કરવા કરતાં અધિક છે, ગાય પ્રત્યે અનુરાગ વધારવાની જરુર છે, પ્રેમ કરવાની જરુર છે.

રામ રૂપા ગાયને પ્રેમ કરો જેથી તેની હત્યા અટકી જાય. આપણે પ્રેમીની હત્યા કરતા અટકી જઈશું.

ગાય એ તો મા છે. ભલે ભેંસની માર્કેટ વેલ્યુ વધારે હોય.

ભેંસની માર્કેટ વલ્યુ હોય મા ની માર્કેટ વેલ્યુ ન હોય.

માણસે અતીતનું અનુસંધાન છોડી દેવું જોઈએ. પૂર્વ અનુભવ અતીત થઈ જાય છે.

જાગૃત સાધકે વર્તમાન પળનો જ વિચાર કરવો જોઇએ.

આગે ભી જાને ના તું

પીછે ભી જાને નાં તું

જો ભી હે બસ યહી એક પલ હે


અભિમાન એ મનનો ધર્મ છે, તેને છોડવું અઘરું છે.

પગની લાત મારીને પણ વરદાન આપી શકાય. રાવણ વિભીષણને લાત મારીને કાઢી મૂકે છે જે વિભીષણ માટે વરદાન બરાબર છે.

વિચાર એ વલોણી છે પણ તેના માટે દહીં તો જોઈએ જ.

પાણીને ગમે તેટલું વલોવીએ તો પણ તેમાંથી ઘી ન મળે.

ચાર ફળ


સતસંગ એ પહેલું ફળ છે.રામ કથાના ફળમાં રસ હોવો જોઈએ. પ્રભુ પદમાં પ્રિતિ એ રસ છે.

સંત સમાગમ દુર્લભ ભાઈ....

સતસંગનું ફળ મળ્યા પછી મોક્ષના ફળની કોઈ અપેક્ષા જ નહીં રહે.

સતસંગનું ફળ મોક્ષ ફળથી વધારે મહત્વનું છે, વધારે યોગ્ય છે.

જેના જીવનમાં કોઈ તંત - જીદ - હઠ ન હોય તે સંત કહેવાય.

સંત સરલ તરલ હોય.

જેનો કોઈ અંત નથી તે સંત.

જેને મહંત થવાની કોઈ કામના ન હોય તે સંત.

ગુરૂની ગાદી મેળવવા માટે ગુરૂની હત્યા થાય તે  યોગ્ય નથી.

જે હરિ ભજન ખંતથી કરે તે સંત.


રામના ચરણમાં પ્રિતિ - રતિ એ રામ કથાનું ફળ છે.

સીતારામ ચરણ રતિ મોરી


રામના દર્શનનું ફળ સંતનું દર્શન છે.


હરિ ભક્તિ એ ચોથું ફળ છે.

આ ચાર ફળ મોસમી ફળ નથી પણ બારમાસી ફળ છે.

શ્રદ્ધાની વસંત બારે માસ રહે.

નિર્મલ મન શરદ છે.

જેની ઉદારતા અમીત છે તેની પાસે માંગવા કરતાં માગવાનું તેના ઉપર છોડી દો. તેને કહો જે તને યોગ્ય લાગે તે આપ. મારે તારી પાસે કંઇ જ માગવું નથી.

બુરો પ્રિત કો પંથ,
બુરો જંગલ કો બાંસો,
નાર કો નેહ બુરો,
બુરો મુરખ કો હાંસો

બુરી સમુકી સેવા,
બુરો ભગીની ઘર ભાઈ,
બુરી નાર કુલક્ષ,
બુરો સાસ ઘર જમાઈ

બુરો પેટ પંપાળ હે,
બુરો સરન મેં ભાદનો,
કવિ ગંગ કહે સુન હે શાહ અકબર,
સબસે બુરો હે માંગનો

..................... કવિ ગંગ


જગતની દરેક સમસ્યાનું સમાધાન રામ ચરિત માનસમાં છે. જો કોઈ સમસ્યાનું સમાધાન ન મળે તો તે આપણી સમજણનો અભાવ છે.

રામ કથા સ્વયં સદ્‌ગુરૂ છે, તેમાં નિષ્ઠા હોવી જોઈએ.

રામ ચરિત દુર્ગાના ત્રણ સ્તર છે.

૧ સહજ સુંદર

૨ સુશીલ છે - શીલવાન છે.

૩ સયાની છે.



ગુરુવાર, ૦૨-૧૦-૨૦૧૪


વ્યાસપીઠનું સ્વચ્છતાનું અભિયાન વર્ષોથી ચાલે છે. વ્યાસપીઠ દિલની સફાઈ, મનનિ સફાઈ કરે છે.
ઝાડુંથી જમીન સ્વચ્છ થાય જીભથી જીવન સ્વચ્છ થાય.

બાહ્ય તેમજ આંતરિક સ્વચ્છતા અભિયાનની આવશ્યકતા છે.

સત્ય અહિંસા ચોરી ન કરવી.

ગાંધીજીના અગિયાર વ્રત


"સત્ય, અહિંસા, ચોરી ન કરવી,
વણજોઇતું નવ સંઘરવું,
બ્રહ્મચર્ય ને જાતે મહેનત,
કોઇ અડે નહીં અભડાવું.
અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને
સર્વધર્મ સરખા ગણવા,
એ અગિયાર મહાવ્રત સમજી
નમ્રપણે દ્રઢ આચરવાં"

મન, બુદ્ધિ, વૃત્તિઓ, અભિમાન નિર્મલ કરવાની જરુરીયાત છે.

સો બાર જનમ લેંગે...................

સારે જહાંસે અચ્છા હિન્દોસ્તા હમારા............

कराग्रे वसते लक्ष्मी: करमध्ये सरस्वती  ।
करमूले तु गोविन्दं प्रभाते करदर्शनम् ॥ 


समुद्रेवसने देवी पर्वतस्तनमण्डले ।
विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्श क्षमस्व मे ॥ 


અભિમાન મટાડવું અઘરૂં છે, તેને નિર્મલ કરીએ તો ય ઘણું.

રામ કથાના માધ્યમથી, રામ કથાના વચનોથી અભિમાન નિરમલ થાય.

મા ના પ્રભાવ

૧ રૂપનો પ્રભાવ
રૂપ પ્રભાવનું કેન્દ્ર છે.
મા જાનકી પણ સુંદર છે.

૨ પદ
પદ એ પ્રભાવનું કેન્દ્ર છે.

૩ ધન પ્રભાવ, સંપદા પ્રભાવ

લક્ષ્મી એ છે જે બહું પરિશ્રમથી કમાવાય અને ખેલ ખેલમાં વહેંચાય, સારા કાર્યોમાં સહજતાથી વપરાય,
ઉદારતાથી અને આનંદથી વહેંચી દેવાય.

રૂપિયા એ છે જે બહું સરળતાથી કમાવાય અને શુભ કાર્યમાં વાપરવામાં ખચકાટ અનુભવાય.

કોઈના ભાગ્યના પૈસા બીજાના ખિસામાં હોય છે.

ધર્મએ છેલ્લી વ્યક્તિ સુધી જવું જોઈએ.

૪ કૂલ પ્રભાવ - આ પ્રભાવનું માણસે અભિમાન ન કરવુમ જોઈએ.

૫ બલ પ્રભાવ

૬ જ્ઞાન પ્રભાવ

મહાભારતમાં મા ના ૮ પ્રભાવનું વર્ણન છે, જે પ્રભાવથી મા આપણને વિકસિત કરે છે.

૧ મા ના વત્સલ્ય અને ઉદારતાનિ પ્રભાવ.
ધન લક્ષ્મી બને, ધન ઉપર મા નો પ્રભાવ રહે.

૨ પૂજાનો પ્રભાવ
મારી પૂજા ઉપર મા ની કૃપા વરસે.

૩ મારૂં શરીર ગમે તેવું હોય તો પણ મા ની કૄપાથી સુંદર બને.

૪ લોક યાત્રા
મા ની સ્વાભાવિક કૃપાથી, મા ના કૃપા પ્રભાવથી આપણે લોક યાત્રા કરી શકીએ.

૫ ધર્મના રહસ્ય પણ મા ની કૃપાથી સમજાય.
પરમ ધર્મ દૂધ છે અને દૂધ મા પાસે હોય.

૬ સ્વર્ગ
સતસંગ જ સ્વર્ગ છે., સ્વર્ગ હરિનામ છે. કથા મંડપ સ્વર્ગ છે.

૭ સંસારના બધા જ ઋષિ મુનિની વાણી મા તારા પ્રભાવથી સિદ્ધ થાય.

૮ પિતૃ કૃપા મા તારા પ્રભાવથી થાય છે.


મા ની ૮ આધ્યાત્મિક ભૂજાઓ છે.

મા ની ભૂજામાં ગંધ, પાણી, ધાતુ, ઓઈલ, વનસ્પતી, ધૈર્ય, ક્ષમા, ધારણ કરવું, ઔદાર્ય વગેરે છે.

પૃથ્વીમાંથી ગંધ, પાણી, ધાતુ, ઓઈલ - તેલ - સ્નિગ્ધ પદાર્થ - સ્નેહ, ્જમીનમાંથી નીકળતી પ્રત્યેક વનસ્પતી, ધૈર્ય, ધારણ કરવું, ક્ષમા, ઔદાર્ય -  એક બીજ વાવો અનેક ઘણું લણો - મબલખ પાક મેળવો એ એક ઔદાર્ય છે.

જે માતાપિતાને આદર આપે છે તેનું આયુષ્ય, વિદ્યા, યશ અને બલ વધે છે. આયુષ્યનું વધવું એટલે બાકી રહેલી જિંદગી આનંદમાં પસાર થાય.






શુક્રવાર, ૦૩-૧૦-૨૦૧૪

રામ ચરિત માનસ દુર્ગા છે.

રામ કાલિકા છે, દુર્ગા છે.

આજે પૂજ્ય મોરારિ બાપુએ તેમને તેમના સદ્‍ગુરુ ભગવાન પૂજ્ય ત્રિભુવન દાદા દ્વારા દશેરાના દિવસે ૩ વાત કહી હતી તેની પ્રસાદી શ્રોતાઓને વહેંચી હતી.

૧ 
નવ દિવસની રામ કથા એ નવ દુર્ગાનું અનુષ્ઠાન છે એમ સમજવું અને એ નવ દિવસો દુર્ગા પૂજાના દિવસો એમ સમજવું.

૨ 
રામ ચરિત માનસના ૯ સ્ત્રી પાત્રોને નવ દુર્ગા સમજવા.
ગુરુ જે બોલે તે આશ્રિત માટે મંત્ર છે અને તેમાં કોઈ દલીલને અવકાશ નથી.

  •      (૧) પાર્વતી - શ્રદ્ધા દુર્ગા છે. શ્રદ્ધા ન હોય તો મોટા મોટા યોગી પણ અંધ થઈ જાય છે.

   

  •      (૨) મા જાનકી દુર્ગા છે. સીતા અને રામ અભીન્ન છે, સીતા એ રામ છે અને રામ એ સીતા છે.

  •      (૩) મા કૌશલ્યા દુર્ગા છે. મા કૌશલ્યામાં બધી જ માતાઓ સમાવિષ્ઠ છે.

  •      (૪) તપસ્વી અહલ્યા દુર્ગા છે. અહલ્યા તેની પતિ ભક્તિના તેજથી ઈન્દ્રને ભષ્મ કરવા સક્ષમ હતી.

  •      (૫) અન્સુયા દુર્ગા છે. અનસુયા સતી શિરોમણિ છે. અત્રિ અને અનસુયા ચિત્રકૂટમાં રહે છે. અનસુયા            તપો બળથી મંદાકિનીને ચિત્રકૂતમાં પ્રગટાવે છે. અસુયા - દ્વેષ વૃત્તિ જેનામાં ન હોય તે                       અનસુયા છે. આવી અનસુયા સૌમ્ય જ હોય.

  •     (૬) શબરી દુર્ગા છે. શબરી ભીલડી નથી પણ ભામિની છે. શબરી તપસ્વીની દુર્ગા છે.

  •      (૭) વાલી પત્ની તારા દુર્ગા છે. તારા એ દુર્ગાનું એક નામ છે.

  •      (૮) સ્વયંપ્રભા દુર્ગા છે. સ્વયંપ્રભા પોતાની પ્રજ્ઞાથી પ્રકાશિત છે.

  •      (૯) રાવણ પત્ની મંદોદરી દુર્ગા છે. મંદોદરી ઉપદેશક સતી છે.


માનસની આ બધી જ નવ દુર્ગા સૌમ્ય છે.



સીતા ભક્તિ છે. હે જગદંબા તું ભક્તિ રૂપા છે. ભક્તિ દુર્ગા છે. જેનામ ૯ રૂપ છે.

માનસની ૯ પ્રકારની ભક્તિ એ નવ દુર્ગા છે.

સંત સંગ એ દુર્ગા છે.

લાઓત્સુએ કહ્યું છે કે જેની પાસે ત્રણ પ્રકારના ખજાનાઓ હોય તે સંત છે, બુદ્ધ પુરુષ છે.


પહેલો ખજાનો પ્રેમ છે એવું લાઓત્સુએ કહ્યુમ છે. જેના સંગથી પ્રેમ મળે અને આપણને પ્રેમ ઉડાડવાની ઈચ્છા થાય એ દુર્ગા છે. પ્રેમથી જીવવું એ દુર્ગા પૂજા છે. પ્રેમ ગાય (ગાવું) અને મૌન પણ રહે.


બીજો ખજાનો - કોઈ પણ વસ્તુમાં અતિશયતા ન કરવિ એ ખજાનો છે. જે અતિસતયા ન કરે તે સંત છે.
બીજાને સુધારવાની જરૂર નથી પણ બધાને સ્વીકારવાની જરૂર છે.


ત્રીજો ખજનો મૌન છે. જેટલું બની શકે તેટલું મૌન રહેવું તે એક ખજાનો છે. મૌન એ સાધકની બહું મોટી મૂડી છે. સાધુ વગર જોઈતું ન બોલે.

આ ત્રણ ખજાના જેનામાં હોય તે સંત છે, દુર્ગા છે.

ગુરૂની તેના સ્વભાવ્ને અનુરૂપ હોય તેવી સેવા કરવી એ ત્રીજી ભક્તિ છે, દુર્ગા છે.

સાધુને ઓછામાં ઓછી જરૂરીયાત હોય.

ચોથી ભક્તિ કપટ છોડી હરિના ગુણગાન ગાવાની છે જે દુર્ગા છે.

ગુરૂએ આપેલ મંત્રમાં  દ્રઢ વિશ્વાસ એ પામ્ચમિ ભક્તિ, પાંચમી દુર્ગા છે. મંત્ર એટલે વિચાર, મંત્રણા, વિચારણા.

જો કોઈ કાર્ય આપણી ઈચ્છા અનુસાર થાય તો તે હરિ કૃપા છે અને આપણી ઈચ્છા અનુસાર ન થાય તો તે હરિ ઈચ્છા છે એમ સમજવું.

ભોજન કરો અને ભોજન કરાવો એ વિચાર છે, મંત્ર છે.

નિંદા ન કરો પણ નિદાન કરો એ વિચાર છે, મંત્ર છે.

શીલ સાથેનું નિયંત્રણ, શીલ સહિતનું દમન એ છઠ્ઠી ભક્તિ છે, છઠ્ઠી દુર્ગા છે. પોતાના ઉપર શીલ યુક્ત અનુસાશન રાખવૂં એ ભક્તિ છે.

ઊંમર થાય તેમ ધીરે ધીરે નિવૃત્તિ લેવી અને હરિ ભજન કરવું જોઈએ. અતિશય પ્રવૃત્તિમાંથી જાગૃતિ પૂર્વક નિવૃત્તિ તરફ જવું એ ભક્તિ છે.

આઠમી ભક્તિ પુરુષાર્થથી કરેલ કર્મના મળેલ ફળમાં સંતોષ માનવો એ છે, જે દુર્ગા છે. સંતોષ રાખવો એ દુર્ગા છે, ભક્તિ છે.

વાણી, વર્તન, વેશ સરલ હોય અને પરમાત્મામાં ભરોંસો હોય તે નવમી ભક્તિ છે, નવમી દુર્ગા છે.



પ્રથમ ભગતિ સંતન્હ કર સંગા          l

દૂસરિ રતિ મમામ કથા પ્રસંગા           ll

ગુર પદ પંકજ સેવા તીસરિ ભગતિ અમાન            l

ચોથિ ભગતિ મમ ગુન કરઇ કપટ તજિ ગાન            ll

મંત્ર જાપ મમ દ્રઢ બિસ્વાસા                l

પંચમ ભજન સો બેદ પ્રકાસા              ll

છઠ દમ સીલ બિરતી બહુ કરમા               l

નિરત નિરંતર સજ્જન ધરમા              ll

સાતવં સમ મોહિ મય જગ દેખા               l

મોતેં સંત અધિક કરિ લેખા               ll

આઠવં જથાલાભ સંતોષા           l

સપનેહું નહિં દેખઈ પરદોષા          ll

નવમ સરલ સગ સન છલહીના             l

મમ ભરોસ હિયં હરષ ન દીના       ll

નવ મહં એકઉ જિન્હ કેં હોઈ        l

નારિ પુરુષ સચરાચર કોઈ            ll

..........................................................અરણ્યકાંડ  ૩૪/૮







નવરાત્રિ, અસત્ય પર સત્યનો વિજય

નવરાત્રિનું પાવન પર્વ માતૄ શક્તિની આરાધનાનું મહાન પર્વ છે. દશેરા એ અસત્ય ઉપર સત્યના વિજયનો પ્રતીક રૂપ તહેવાર છે. આપણે ત્યાં વર્ષમાં ચાર વખત (મહા અથવા માઘ માસની નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિ, અષાઢી નવરાત્રિ અને અશ્વિન માસની અથવા આસો માસની નવરાત્રિનવરાત્રિનો ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ આ ચાર નવરાત્રિ પૈકી ચૈત્રી નવરાત્રિ અને અશ્વિન માસની નવરાત્રિ સૌથી પ્રખ્યાત અને મહિમાવંત છે. અશ્વિની માસની નવરાત્રિમાં માતાજીના ગરબા ગાવાનો વિશેષ મહિમા છે.

Happy Durga Pooja And Navratri
Navratri | Source


ॐ या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ।।

प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी।
तृतीयं चन्द्रघंटेति कूष्माण्डेति चतुर्थकम् ।।
पंचमं स्क्न्दमातेति षष्ठं कात्यायनीति च ।
सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम् ।।
नवमं सिद्धिदात्री च नवदुर्गाः प्रकीर्तिताः ।।


सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके। 
शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते।।

સર્વ મંગલ માંગલ્યે શિવે સવાર્થે સાધિકે 
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે.


સર્વ મંગળ વસ્તુઓના પણ મંગળ તત્વરૂપ , સર્વ અર્થોને સિદ્ધ કરનારાં હે શિવસ્વરૂપા - મંગળાસ્વરૂપા દેવી, તમે જ એક શરણ લેવા યોગ્ય છો. હે શિવના સ્વરૂપભૂત ત્રણ નેત્રોવાળાં ગૌરી, હે નારાયણના સ્વરૂપભૂત નારાયણી શક્તિ, તમને નમસ્કાર.

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.



.............................................................................અવિનાશ વ્યાસ



આશા ભોંસલેના સ્વરમાં "માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો" ને માણવા નીચેની લિંક ઉપર ક્લિક કરવા વિનંતિ.

હેમા દેસાઈના સ્વરમાં માણો ગરબાની રમઝટ
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ ચાલો સહિયર જઈએ ચાંચર ચોકમાં રે લોલ
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો મા તારો સોના રૂપાનો બાજોઠીયો શંખલપુરની શેરીઓ રે માં અંબામાને કાજ જો અંબિકા તારે ચોકમાં ઉડે અબીલ ગુલાલ
Navratri is commonly celebrated all over the world in our culture by playing garba. But why do we play garba? What does a garbo (the clay-pot) signify? Pujya Bhaishri beautifully explains in this Navratri Sandesh. When playing garba, in the centre, we keep a clay-pot (called garbo) containing holes and decorated with the symbols Shri and Swastika. This clay-pot is of great significance. Garbo signifies our body. This pot is made of earth. Our body also consists of five holes. We decorate this pot, i.e. adorn ourselves. Ornamentation is also a type of devotion. When is a garbo worshipped? Until there is a lamp kindling inside. Until when does this lamp remain alight? In the presence of oil. This means that we are living until the oil of our destiny exists. As we endure our accumulated destiny and the oil finishes, the lamp turns off and the body dies. Now, what does playing garba signify? This signifies to live with God in the centre of our life. What do we do instead? We keep our ego in the centre and build our world surrounding the ego. One who lives with God in the centre will not get distracted in the illusions of this material world. What a wonderful message has been given via celebrating Navratri: “Let me not trap myself in the worldly illusions and be attached. Let me be devoted to the lotus feet of God. I will live with God in the centre of my life and not my ego.”In the present time, this spiritual thought has disappeared. What has remained is feeble Disco dandiya raas. Indeed, enjoy yourself but your focus should be God. There is fun and happiness in life only when Shri Krishna is the centre point of our life. 

Wednesday, September 24, 2014

PM’s address on the historic successful insertion of Mangalyaan into Martian orbit

The article is displayed here with the courtesy of the The Times of India.

Text of PM’s address on the historic successful insertion of Mangalyaan into Martian orbit


Prime Minister Narendra Modi on Wednesday congratulated India and Isro scientists for creating history by successfully inserting the Mars Orbiter Mission into the Red Planet's orbit. Following is the full text of the PM's speech.

मेरे प्‍यारे देशवासियो,
दुनिया भर के वैज्ञानिक जगत की fraternity आज MOM का मंगल से मिलन हो गया। आज मंगल को MOM मिल गई है। जिस समय इस मिशन का नाम, उसका Short form जब MOM बन गया तो मुझे पूरा विश्‍वास था कि MOM कभी निराश नहीं करती है। India has successfully reached Mars. आप सबको बधाई, देशवासियों को बधाई। और विश्‍व में भारत देश, और ये हमारे भारत के वैज्ञानिक वो पहले प्रयास में सफल होने वाला हिंदुस्‍तान, हिंदुस्‍तान के वैज्ञानिक, ये सफलता प्राप्‍त कर रहे हैं।

History has been created today. We have dared to reach out into the unknown. And have achieved the near impossible. I congratulate all ISRO scientists, as well as all my fellow Indians, on this historic occasion.

और मैंने पहले ही कहा कि साधन बहुत कम, अनेक मर्यादाएं और उसके बावजूद भी इतनी बड़ी सिद्धि प्राप्‍त होती है, वो वैज्ञानिकों के विश्‍वास के कारण उनके पुरूषार्थ के कारण, उनकी प्रतिबद्धता के कारण और इसलिए, हमारे देश के वैज्ञानिक अनके-अनेक अभिनंदन के अधिकारी हैं। और आज मुझे इनके बीच आ करके अभिनंदन देने का अवसर मिला है और अब देखिए इसकी, क्‍या कमाल है?
Travelling a mind-boggling distance of more than 650 million, or 65 crore kilometres.
यानी कि करीब-करीब 65 करोड़ किलोमीटर की यात्रा।

we have gone beyond the boundaries of human enterprise and imagination. We have, accurately navigated our spacecraft, through a route known to very few.

And, we have done so, from a distance so large; that it took even a command signal from Earth, more time to reach it, than it takes sunlight to reach us.

यानी कि सूरज की किरण को हमारे पास पहुंचने में जितना समय लगता है, उससे भी ज्‍यादा समय, यहां से हमारे वैज्ञानिक, उसे कुछ कहते हैं कि करो, उससे भी ज्‍यादा समय लग जाता है। यानी कि कितनी धीरज के साथ कमांड देने के 12-15 मिनट तक इंतजार करना पड़ता है कि गया, कि ठीक, नहीं गया है। कुछ हुआ कि नहीं हुआ। ये बड़ा कठिन होता है। अरे हम, भोजन की थाली पर बैठते हैं, खाना परोसने में देरी होती है, तो भी इधर उधर हो जाते हैं। तो इतने आप में इतना distance, उसके बावजूद भी, जिस धैर्य के साथ

The odds were stacked against us. Of the 51 missions attempted across the world so far, a mere 21 had succeeded.

But we have prevailed!

दुनिया में सबको सफलता नहीं मिली। बहुत कम मिली। और पहली बार में तो किसी देश को नहीं मिली। भारत के वैज्ञानिकों को, भारत को ये पहली बार सफलता मिली है।

With today's spectacular success, ISRO joins an elite group of only three other agencies worldwide, to have successfully reached the red planet.
India, in fact, is the only country to have succeeded in its very first attempt. We put together the spacecraft in record time, within a mere 3 years of first studying its feasibility.
सिर्फ तीन साल में,यह छोटी बात नहीं है। हर हिंदुस्‍तानी आप लोगों के लिए गर्व करता है। नाज होता है। वैज्ञानिक के लिए नाज होता है।
Built it indigenously, in a pan-Indian effort stretching from Bangalore to Bhubhaneshwar, and Faridabad to Rajkot.

हमारे यहां के गवर्नर Vajubhai vala राजकोट के हैं। और इस Mars का एक instrument राजकोट में बना था और मैं अहमदाबाद इसरों में बार-बार जाता था। बड़ा मन करता था, क्‍या कर रहे हैं वैज्ञानिक बेचारे, एक लैब से बाहर नहीं निकलते हैं, तो कोई तो जाए मिलने के लिए। तो मैं जाता था और तब मुझे पता चला कि मिथेन गैस का sensor वहां बन रहा था और दूसरा, वहां कैमरा बन रहा था और शायद वह दोनों काम, उस समय मुझे बताया गया था, और शायद दुनिया में मिथेन गैस की जानकारी देने का पहला काम ये आपके प्रयत्‍नों से होगा। तो मैं जब ये, अहमदाबाद के इसरो में देखने के लिए जाता था, तो मुझे वहां के वैज्ञानिक हमारे गोस्‍वामी जी यहां है, मुझे सब समझते थे। क्‍या हो रहा है, कैसे हो रहा है।

Used a smaller rocket and payload to reduce the cost, even while increasing the complexity of an already challenging mission. मैंने पिछली बार जब गया था, श्रीहरिकोटा में, तब मैंने कहा था कि 

अमेरिका के हालीवुड में, जो फिल्‍में बनती हैं, मूवी, उससे भी कम खर्चे में हमारे वैज्ञानिकों ने काम किया है। यानी कि इससे ज्‍यादा खर्चा तो हालीवुड की मूवी बनाने में होता है। यानी कि कितनी बारीकि से Indigenes चीजों जोड़कर के छोटे-छोटे लोगों की मदद ले करके इतना बड़ा मिशन पार किया गया।

And launched it on our very own PSLV launch vehicle. These are all accomplishments that will go down as landmarks in history. Uncertainty is a part of the journey of every explorer who seeks to push boundaries.

The hunger of exploration and the thrill of discovery are not for the faint-hearted.

मेरे सामने दो प्रस्‍ताव थे। मैं आज ये रहस्‍य खोल दूं। जब ये आज सुबह मैं कहां रहूं? तो मुझे बताया गया, सब साइंटिस्‍टों ने कहा कि साहब, दुनिया में ये बहुत कठिन काम है। सफल होंगे, नहीं होंगे। आपको बुलाना, नहीं बुलाना, हमें दुविधा है। मैंने कहा, चिंता मत कीजिए। अगर विफलता आती है तो मेरी पहली जिम्‍मेवारी बनती है, इन वैज्ञानिकों के बीच आने की। और यश तो लेने के लिए सब आते हैं। लेकिन काम भी तो मंगल था। और जब काम मंगल होता है, इरादे मंगल होते हैं, तो मंगल की यात्रा भी तो मंगल होती है।

मुझे पहले कविताएं लिखने का शौक भी था, और समय भी मिलता था। तो मैंने एक बार लिखा था। वैसे लिखा तो गुजराती में है। लेकिन थोड़ा बहुत हिन्‍दी में बता देता हूं । मैंने लिखा था - कि अगर विफल होते हैं, तो आलोचना के शिकार होते हैं। और सफल होते हैं तो ईष्‍या के शिकार होते हैं।
आज हम सफल हुए हैं और इसलिए सफलता के साथ नई challenges भी आती है और वितवाद में, भारत के वैज्ञानिक में, भारत के यूथ में, भारत के talent में, कि हर चुनौतियों को चुनौती देने की ताकत, इन हमारी फौज में है। इन वैज्ञानिकों में है।

Innovation, after all, by its very nature involves risk; as you are trying to do something which has not been done before. It's a leap into the dark. Humanity would not have progressed, if we had not taken such leaps into the unknown. And space is indeed the biggest unknown out there.

कभी कभी लोग सोचते हैं, risk क्‍यों लें, पानी में गए बिना तैरना सीखते हैं क्‍या, risk तो लेना ही पड़ता है। और सफलता बड़ी ताकत होती है, Risk लेने के निर्णय की moment क्‍योंकि एक अंधेरे में पैर रखना होता है और वो निर्णय करने का सामर्थ्‍य और मुझे तो अटल जी ने जब कहा था, हमें चन्‍द्र पर जाना है, ये हिम्‍मत होती है और तब जाकर लोग लग जाते हैं।

No one represents this zeal for exploring the unknown more, than our space scientists here at ISRO.
Through your brilliance and hard work, you have made it a habit of achieving the impossible.

अब मेरे इसरो के वैज्ञानिकों को impossible को possible करने की जैसे आदत ही लग गई है।

You have developed self-reliance across critical domains, often in the face of hostile circumstances.
Every generation of your scientists, has groomed the next home-grown lot

मुझे सबसे बड़ी खुशी इस बात की होती है, मैं जितनी बार आप लोगों के बीच आया हूं, हर पीढ़ी एक नई पीढ़ी को तैयार करती है। यह अपने आप में एक बहुत बड़ी बात है।
मैं देख रहा हूं, कितने यंग साइंटिस्‍ट मेरे सामने खड़े हैं। पुरानी पीढ़ी ने इनको तैयार किया है और ये नई पीढ़ी को तैयार करेंगे। यही परंपरा, गुरू शिष्‍य परंपरा एक प्रकार से हमारे देश की विशेषता रही है, जो मुझे आज ISRO में महसूस होती है। इन सीनियर मोस्‍ट वैज्ञानिकों ने जो परंपरा बनाई है, 50-60 साल में, वो आज भी आगे बढ़ रही है। इस कल्‍चर के लिए भी, इस परंपरा के लिए भी, आप सभी वैज्ञानिक बहुत-बहुत, इस उत्‍तम परंपरा को निर्मित करने के लिए अभिनंदन के अधिकारी हैं।

Through your achievements, you have honoured our fore-fathers, and inspired our future generations! You truly deserve all the love and respect you get from a grateful nation!

We Indians are a proud people!

Despite our many limitations, we aspire for the best.

The success of our space program is a shining example of what we are capable of as a nation.

Our space program has been an example of achievement, which inspires the rest of us to strive for excellence ourselves.

Moreover, space exploration requires cutting-edge expertise across diverse disciplines. A successful space program thus generates applications across multiple domains.

Our efforts in particular, have historically focussed on the ultimate objective of nation-building. Of translating space technology into space applications.

मैं जब गुजरात का मुख्‍यमंत्री था, मेरा अनुभव है। आप वैज्ञानिकों ने जो काम किया है, उसको अगर हम रोजमर्रा की जिंदगी में application करें, उसको apply करें, तो हम जीवन बदल सकते हैं। पूरा गवर्नेंस बदल सकते हैं। पूरी व्‍यवस्‍था बदल सकते हैं। पूरी व्‍यवस्‍था बदल सकते हैं। हमारी गति बदल सकते हैं। इतना बड़ा contribution स्‍पेस टेक्‍नोलोजी के द्वारा हो रहा है। space science के द्वारा हो रहा है और इसलिए मैं मानता हूं कि हमारे प्रयास, हमारे देश की क्‍वालिटी आफ गवर्नेंस, क्‍वालिटी ऑफ लाइफ, स्‍पीड ऑफ अचीवमेंट्स इन सबमें एक बहुत बड़ा बदलाव लाने का सामर्थ्‍य रखते हैं।

Delivering the fruits of this farthest frontier to the remotest corners of the country. Deepening our governance, strengthening our economy, and improving our lives. We also have a great legacy and responsibility to live up to. Our ancestors had helped the world understand the mysteries of the heavens.

Grasp the idea of Shunya or nothingness.

Map spatial knowledge; such as the rotation of the Earth, motion of planets and occurrence of eclipses.

सदियों पहले आर्यभट्ट जैसे अनेक महापुरूषों ने हमें शास्‍त्र का ज्ञान दिया। हमें शून्‍य दिया। सारे जगत को आज, यही तो शून्‍य है, जो गति देने का कारण बन गया है। विज्ञान की खोज का अवसर, आधार बन गया है। यानी कोई ऐसा विषय नहीं, जिसे हमारे पूर्वजों ने रास्ता बनाकर न रखा हो।
एक प्रकार से ये प्रयास हमारे उन महान ऋषियों को, जो एक वैज्ञानिक थे, उनको एक बहुत बड़ी, उनके सम्मान में दी गई ये भेंट-सौगात है। और ये काम हजारों साल के बाद इस पीढ़ी ने दी है। इसलिए इस परंपरा को निभाने के लिए हम स्वंय अपने आप को गौरवान्वित महसूस करते हैं। ये महान काम लैब में बैठे हुए दिन-रात अपने सुख छोड़कर के, कुछ कर दिखाने की तमन्ना वाले वैज्ञानिकों के द्वारा होता है।

Modern India must continue playing this leading role of 'Jagad-guru Bharat'.

स्वामी विवेकानंद ने कहा था - मैं देख रहां हूं, मेरी भारत माता फिर एक बार विश्व-गुरू का स्थान प्राप्त करेगी। ये कैसे करेगी, आप ही के लोगों के पुरुषार्थ से तो यह होने वाला है। हमारे देश की युवा पीढ़ी के पुरुषार्थ से होने वाला है। चाहे खेत में काम करने वाला किसान हो, चाहे मजदूरी करने वाला गरीब व्यक्ति हो या वैज्ञानिक इतना लैब में बैठकर के तपस्या करने वाला ऋषितुल्य जीवन हो, यही तो है जो भारत माता को जगत गुरू के स्थान पर विराजमान करेगी।

My dear friends!

Let me conclude by saying that in contrast with the linear nature of Western philosophy; there is no absolute 'beginning' or 'end' in our Eastern understanding of the cosmos.

There is only a continuous, unending cycle of dispassionate, detached perseverance.

Atal ji's vision had inspired us to reach for the moon.

The successful Chandrayan mission, in turn led to the Mars Orbiter Mission.

This too, must become but a base for challenging the next frontier - of an inter-planetary mission.

Let today's success, only drive us with even greater vigour and conviction. Let's set ourselves even more challenging goals. And strive even harder to achieve them.

Let us push our boundaries. And then, push some more!

यही मिजाज, इसी उमंग के साथ हम आगे बढ़ें। गुरूदेव रविंद्रनाथ टैगोर ने जो कहा था-

"Where the mind is led forward by thee into ever-widening thought and action ... Into that heaven of freedom, my Father, let my country awake."

मैं फिर एक बार रविंद्र टैगोर की इस वाणी को श्रद्धा करते हुए, भारत जगेगा, भारत जगाएगा और हम सब इस जागरुक भारत को अपनी आंखों से देख पाएंगे। इसी विश्वास के साथ आप सब वैज्ञानिकों को आपके पुरुषार्थ और परिश्रम के लिए, आपकी प्रतिबद्धता के लिए, बहुत-बहुत शुभकामनाएं देता हूं। मेरे प्यारे देशवासियों, हम सब गर्व करें, हमारे इन वैज्ञानिकों की सिद्धी के लिए, हमारी क्रिकेट टीम अगर एक टूर्नामेंट जीत कर आती है, पूरा देश नाच उठता है।

ये वैज्ञानिकों की सिद्धि उससे भी हजारों गुणा बहुत बड़ी है। सालों की तपस्या के बाद पाई हुई सिद्धि है। सवा सौ करोड़ देशवासियों के आशीर्वाद से जुड़ी हुई, ये सिद्धि है। आइए, मेरे देशवासी, कल से नवरात्री का प्रारंभ हो रहा है, शुभ शुरूआत हो रही है। मंगल, मंगल, मंगल होना तय है और जब मंगल, मंगल, मंगल होना तय है, तो इस मंगल की यात्रा हमें और मंगल करने की प्रेरणा देती रहेगी। आज पूरा हिंदुस्तान उन वैज्ञानिकों के सम्मान में आनंद उत्सव मनाएं। हर स्कूल, कॉलेज के अंदर पांच मिनट भी इकट्ठे होकर, तालियों के नाद के साथ, हमारे इन वैज्ञानिकों को याद करें, उनका गौरव करें। सवा सौ करोड़ देशवासी इस सिद्धि को अपनी बनाएं, आनंद उत्सव मनाएं। मंगलमय वातावरण बनाएं। यही एक अपेक्षा के साथ फिर एक बार आप सबको बहुत-बहुत शुभकामना। बहुत-बहुत बधाई। धन्यवाद