Translate

Search This Blog

Sunday, January 26, 2014

મોટા વૈજ્ઞાનિક મહામુનિ વાલ્મીકિ, માનસદર્શન, મોરારિબાપુ


 મોટા વૈજ્ઞાનિક મહામુનિ વાલ્મીકિ


  • રામચરિતમાનસમાં બે પાત્રોને વૈજ્ઞાનિક માનવામાં આવે છે. જેમાં હનુમાનજી અને મહામુનિ વાલ્મીકિ ઋષિનો સમાવેશ થાય છે. મહામુનિ એટલે આત્મજ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય છે.



  • રામચરિતમાનસમાં તુલસીદાસજીએ આશ્રમ શબ્દની ચર્ચા ઘણીવાર કરી




  • વાલ્મીકિ શુભ આશ્રમમાં નિવાસ કરે છે, પોતે મહામુનિ છે અને વૈજ્ઞાનિક પણ છે. મારે એટલું કહેવું છે કે મહામુનિ હોય છે એ વૈજ્ઞાનિક તથા આધ્યાત્મિક હોય છે. એનામાં બંનેનો સમન્વય જોવા મળે છે. તુલસીદાસજીએ અધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક વિશે ઘણી વાતો કરી છે. 

  • ગાંધીજી પણ કહેતા કે સંવેદનશૂન્ય વિજ્ઞાન સામાજિક પાપ છે. એટલા માટે તુલસીદાસજી વાલ્મીકિને વૈજ્ઞાનિક કહે છે અને એમની આધ્યાત્મિકતા વિશે આપણી બુદ્ધિ નાની પડે. 

  • રામચરિતમાનસમાં બે પાત્રોને વૈજ્ઞાનિક માનવામાં આવે છે. જેમાં હનુમાનજી અને મહામુનિ વાલ્મીકિ ઋષિનો સમાવેશ થાય છે.





  • કારણ કે શક્તિની શોધ ફક્ત વૈજ્ઞાનિક જ કરી શકે છે અને જ્યારે ઊર્જા‍ સગર્ભા હોય. શક્તિ સગર્ભા હોય ત્યારે વૈજ્ઞાનિકોના હાથમાં જ સલામત રહે છે. મૂઢ વ્યક્તિ તો ગમે ત્યારે વિસ્ફોટ કરીને વિશ્વને પાયમાલ કરી શકે છે. એટલા માટે જ્યારે સીતાજી સગર્ભા હતાં ત્યારે વાલ્મીકિના આશ્રમમાં ગયાં હતાં. ઊર્જા‍ તો વૈજ્ઞાનિકોના ઘરે વધારે સુરક્ષિત રહી શકે છે, રાજનૈતિકોના ઘરમાં નહીં. કોઇ વૈજ્ઞાનિક મહામુનિ જ સગર્ભશક્તિના પેટમાંથી લવ અને કુશનો જન્મ કરાવી શકે છે. લવ તીક્ષ્ણતા છે જ્યારે કુશ નાનો નાથ છે, તો વાલ્મીકિ અને હનુમાનજી વૈજ્ઞાનિક છે, આધ્યાત્મિક પણ છે.



  • તુલસીદાસજી સ્પષ્ટ લખે છે.

દેખત બન સર સૈલ સુહાયે
બાલમીકિ આશ્રમ પ્રભુ આયે



  • વૃક્ષની એક શાખા હરિદર્શન બની શકે છે. પ્રકૃતિ પરમાત્માનો પરદો છે. 

  • બીજું કે મહામુનિ ત્રિકાળદર્શી હોય છે. વર્તમાન પરિસ્થિતિમાં જે જીવે છે એને પણ મહામુનિ કહી શકાય છે. આપણે બધા પણ વર્તમાનમાં જીવીએ એથી મોટું બીજું કોઇ સુખ નથી. ઘણા વાતો કરતા હોય છે કે આજે સમગ્ર સમય સારો નથી. મારી એવા લોકોને પ્રાર્થના છે કે સમય સારો જ છે. તું વર્તમાનમાં જીવવા માંડ બધું યોગ્ય થઇ જશે. આવો સમય કદાચ ફરી મળે કે ન મળે. કોને ખબર? આનંદમાં રહીને શુભ દર્શન કરીને જિંદગી જીવો, જીવન ધન્ય બની જશે. ' 

  • (સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)




મોરારિબાપુ
rameshwardashariyani@gmail.com

Continue reading at Sunday Bhaskar.....

Monday, January 20, 2014

વૃત્તિ પરિવર્તનની સિદ્ધિ સાધુ સંગથી પ્રાપ્ત થાય છે, માનસદર્શન, મોરારિબાપુ

વૃત્તિ પરિવર્તનની સિદ્ધિ સાધુ સંગથી પ્રાપ્ત થાય છે


  • હું ઘણા સમયથી બોલ્યા કરું છું કે સિદ્ધિ કરતાં મારી દૃષ્ટિએ શુદ્ધિનું વધારે મહત્ત્વ છે. 


  •  શ્રી હનુમાનજી પાસે તો સિદ્ધિ પણ છે, શુદ્ધિ પણ છે અને નિધિ પણ છે. એટલા માટે તો હનુમાન ચાલીસામાં લખ્યું છે,

અષ્ટ સિદ્ધિ નૌ નીતિ કે દાતા
અસ બર દીન્હ જાનકી માતા



  • રામચરિતમાનસમાં દૂરદર્શનની સિદ્ધિ ઘાયલ ગીધ પાસે હતી. 

  • બીજું કે સંપાતિ પાસે પણ હતી. 






  • આઠ સિદ્ધિ તો શ્રી હનુમાનજી પાસે પણ હતી. એમણે તો આ સિદ્ધિનો ઉપયોગ ફક્ત સેવાના કામકાજ માટે જ કર્યો હતો.

સૂક્ષ્મરૂપ ધરિ સિયહિ‌ દિખાવા
બિકટ રૂપ ધરિ લંકા જલાવા
ભીમ રૂપ ધરિ અસુર સંહારે
શ્રીરામચંદ્ર કે કાજ સંવારે


  • માણસમાં રૂપ પરિવર્તનની સિદ્ધિ હોય પણ વૃત્તિ પરિવર્તનની સિદ્ધિ તો કોઇ સંતનો સંગ જ કરાવે છે. જીવનમાં સાધુસંગ વગર વર્તનમાં શુદ્ધિ, સ્વભાવમાં શુદ્ધિ મુશ્કેલ છે. 

  • ચોથા પ્રકારની સિદ્ધિનું નામ વચનસિદ્ધિ છે. માણસ બોલે એવું જ થાય એ વચનસિદ્ધ છે. 



  • મારા મનમાં સિદ્ધિ કરતાં શુદ્ધિ શબ્દ વધારે બેસે છે અને તમે બધા વિચારજો કે આજે સમગ્ર વિશ્વને સિદ્ધિની વધારે જરૂર છે કે શુદ્ધિની વધારે જરૂર છે.



  • હરિકથા એટલે પરમતત્ત્વની કથાની વાત છે. છેલ્લે સિદ્ધિ અને શુદ્ધિ વિશે એટલું જ કહીશ કે સિદ્ધિમાં લાલસા પેદા થાય છે. જ્યારે શુદ્ધિમાં લાલસા પેદા થતી નથી. 

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ


Continue reading full article at Sunday Bhaskar.



Saturday, January 18, 2014

Prayer Is The Cry Of A Soul

Prayer Is The Cry Of A Soul
Sri Sri Ravi Shankar



  •     We often hear people say that behind every successful man is a woman. I will modify this by saying, behind every success, there is the Divine, saying, “I am behind you”. The Divine dawns in you when you pray for Grace; when you cry for it. 

  •     Prayer is a vital tool to improve your life. 

 

  •     True prayer can’t happen without devotion and faith. 



  •     There are four types of people who go to God – first, those who seek the truth (knowledge and freedom); second, the wise ones (gyanis); third, the ones who seek material comforts (wealth) and fourth, ones who are in misery. The wise one does not pray for something. His life itself is a prayer. 

  •     If at all you have to pray for something, pray for happiness of all the people in the world. Loka Samastha Sukhinou Bhavantu – May everybody be happy.

Sunday, January 12, 2014

ભીતરી કૈલાસ સુધી પહોંચવા માટે બીજાને પ્રેમ કરો, માનસદર્શન, મોરારિબાપુ

ભીતરી કૈલાસ સુધી પહોંચવા માટે બીજાને પ્રેમ કરો




હવે કૈલાસનો અર્થ એટલો જ આપણા જીવનની અસલી ઊંચાઇ. આપણે અહીં સુધી પહોંચવાનું છે.

  • વિદ્વાનોનું માનવું છે કે અવાજમાં સોળ પ્રકારનો દોષ હોય



  • ભગવાન પંતજલિનું એક સૂત્ર છે જે મને વધારે ગમે છે 'સત્યપ્રતિષ્ઠયાં ક્રિયાફલાશ્રયત્વં’ જીવનમાં વારંવાર સત્ય બોલવાથી, સત્યનું આચરણ કરવાથી અંતે એક એવી સ્થિતિ આવે છે કે કશું જ કર્યા વગર એક અક્રિય ક્રિયા દ્વારા ફલની પ્રાપ્તિ થાય છે. 



  • મંગલ કરનિ કલિમલ હરનિ તુલસીકથા રઘુનાથ કી



  • હરિહર પદ રતિ મતિ ન કુતરકી
  • તિન્હ કહું મધુર કથા રઘુબર કી





  • કૈલાસ એટલે શું? જેમાં સ્થિરતા હોય એને કૈલાસ કહેવાય છે. જેમાં ઊંચાઇ હોય એને કૈલાસ કહેવાય છે. ઊંચાઇ એટલે કે સફેદપણું ઉજ્જ્વળભાવ, શુદ્ધતાનો ભાવ. ત્રીજું, કૈલાસ એટલે કે શીતળતા. 







(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


મોરારિબાપુ

Continue reading at Sunday Bhaskar.

Monday, January 6, 2014

જીવનમાં નુકસાન ન કરે તે સૂરધેનુ, માનસદર્શન, મોરારિબાપુ

જીવનમાં નુકસાન ન કરે તે સૂરધેનુ




  • રામચરિતમાનસમાં ગાયમાતાનો મહિ‌મા ખૂબ જ ગાવામાં આવ્યો છે. ક્યારેક ગાયમાતાને સૂરધેનુ

કહે છે તો ક્યારેક કામધેનુ.




  • રામચરિતમાનસમાં ગાયમાતાનો મહિ‌મા ખૂબ જ ગાવામાં આવ્યો છે



રામકથા સૂરધેનુ સમ સેવત સબ સુખ દાનિ
સતસમાજ સુરલોક સબ કો ન સુનૈ અસ જાનિ


  • રામકથા સ્વયં સૂરધેનુ, કામધેનુ, કામદ ગાય છે. રામચરિતમાનસમાં ગાયમાતાનો મહિ‌મા ખૂબ જ ગાવામાં આવ્યો છે. ક્યારેક ગાયમાતાને સૂરધેનુ કહે છે તો ક્યારેક કામધેનુ. કામદ, ગૌ સુરભિ જેવાં અનેક નામો આપીને આપણને ગૌમાતાનાં દર્શન તુલસીદાસજીએ કરાવ્યાં છે. મને એક વાત યાદ આવે છે કે વ્રજમાં જેટલો મહિ‌મા રેણુ અને વેણુનો છે એટલો જ મહિ‌મા ધેનુનો પણ છે.



  • ગાય તો ભગવાન કૃષ્ણને અતિપ્રિય હતી. 



  • આજે આપણું વિજ્ઞાન પણ સ્વીકાર કરે છે કે ગાયના દૂધમાંથી બનતી બધી જ વસ્તુઓ માણસ માટે ઉત્તમ ઔષધિ છે. 



  • બધા જ પ્રકારના પૂજાપાઠ એમાં આવી જશે. હમણાં જ મને એક મહાત્મા કહેતા હતા કે બાપુ રામચરિતમાનસમાં જે સૂરધેનુ શબ્દ છે એમાં પહેલો શબ્દ 'સ’ છે જે સ્વર્ગ તરફનો સંકેત કરે છે. જે વ્યક્તિને સ્વર્ગની ઇચ્છા હોય એણે ગાયની સેવા કરવી જોઇએ. બીજો શબ્દ 'ર’ છે જેનો અર્થ રક્ષક થાય છે. જે આપણા પરિવારનું આપણા સમાજનું આપણા મુલકનું રક્ષણ કરે એ ગાય છે. ગાય સમગ્ર જીવનનું રક્ષણ કરે છે. આપણે ફક્ત એને સમજવાની જરૂર છે. આજે સમગ્ર દેશમાં ગૌરક્ષા માટે થઇને મોટાં સંમેલનો કરવાં પડે છે. ગાયો માટે થઇને આંદોલનો કરવાં પડે છે. ગાયો માટે થઇને નાના માણસોએ મોટા માણસો પાછળ દોડવું પડે છે. આ તો સમગ્ર દેશનું અને આપણા સૌનું મોટું દુર્ભાગ્ય છે.




  • રામચરિતમાનસમાં સાત સોપાન છે એવી રીતે સૂરધેનુનાં ચાર આંચળ, બે આંખો અને એક પૂંછડું એ રામચરિતની રામકથારૂપી કલિકામદ ગાય છે 



(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)



Continue Reading at Sunday Bhaskar.............