Translate

Search This Blog

Monday, December 30, 2013

'ઘટનાનો શોક જીવનમાંથી નીકળી જાય તે મુક્તિ, માનસદર્શન, મોરારિબાપુ


ઘટનાનો શોક જીવનમાંથી નીકળી જાય તે મુક્તિ

  • મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી ત્રણ વસ્તુ આપણા જીવતાં જ મરી જાય એ આપણા માટે મોક્ષ છે. જેમાં શોક, મોહ અને ચિંતા આ ત્રણ વસ્તુ મરવી જોઇએ. ભૂતકાળનો શોક મરી જાય અને ભવિષ્યની ચિંતા મરી જાય ત્યારે થતા મૃત્યુને મોક્ષ કહી શકાય છે.



  • કેટલીક વિચારધારાઓ પૂર્વજન્મમાં કે પુનર્જન્મમાં માનતી નથી




  • આપણા જીવતા જ જીવનમાં ત્રણ વસ્તુ મરી જાય તો સમજવાનું કે મૃત્યુ મોક્ષ છે. પ્રજ્ઞાચક્ષુ સ્વામી શરણાનંદજીનું એક નિવેદન હતું કે માણસનું મૃત્યુ થાય અને કોઇ વાસના રહી જાય તો એ મોત છે પણ માણસની વાસનાઓ મરી જાય અને માણસ જીવિત હોય તો એ જીવનમુક્તિ છે. મોક્ષવાદી લોકો મોક્ષના વિજ્ઞાનને સમજાવે છે. ફરીવાર શંકરાચાર્યને યાદ કરું 'ન મોક્ષસ્ય આકાંક્ષા’ આજે તો માણસ મૃત્યુથી મરતો નથી વધારે ભયના કારણે મરે છે. એક ઘટના છે જે સમજવા જેવી છે. ચીનમાં કન્ફ્યુશિયસ બહુ જ મોટા વિદ્વાન પુરુષ. બધી બાજુ એની કીર્તિ‌ ફેલાયેલી હતી. એક દિવસ પોતાના ઘરના આંગણામાં બેઠા હતા એવા સમયે એમને કોઇ મૃત્યુના દેવતાને જોયા. દેવતાને જોઇને એમણે પૂછ્યું કે આપ કોણ છો?







  • નરસિંહ મહેતાની આ બહુ સૂક્ષ્મ વાત છે કે જેને માગવો પડે એ મોક્ષ કહેવાય? કારણ કે માગવું એ તો મોક્ષ માટે બાધક છે. મને મોક્ષ મળે એવી ઇચ્છા કરીએ પણ ઇચ્છા જ બાધક છે. જ્યારે બધી જ ઇચ્છાઓનું નિરસન થઇ જાય ત્યારે તત્ક્ષણ મુક્તિ પ્રાપ્ત થાય છે. રામચરિતમાનસમાં તુલસીદાસ મુક્તિને તુચ્છ માને છે. તો મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી ત્રણ વસ્તુ આપણા જીવતાં જ મરી જાય એ આપણા માટે મોક્ષ છે. જેમાં શોક, મોહ અને ચિંતા આ ત્રણ વસ્તુ મરવી જોઇએ. આ ત્રણ વસ્તુમાં આખું જીવન આવી જાય છે. જીવનમાં ત્રણ વસ્તુને મિટાવો.





  • જે દિવસે ભજન ન થાય એ જ સૌથી મોટું સૂતક છે. ભજન વિના નર સૂતકી છે. હા ભજન કોઇ પણ હોઇ શકે છે એ તમારી શ્રદ્ધાને આધારે નક્કી થાય છે. તો જીવનમાં શોકને દૂર રાખજો. ખોટો મોહ રાખશો નહીં. આજે લોકો મોહ બહુ રાખતા હોય છે, પેલા વ્યક્તિ પાસે આ વસ્તુ છે તો મારી પાસે ક્યારે આવશે. આ મોહને કારણે વ્યક્તિ ચિંતામાં સરી પડે છે. અને પછી વિચારમાં જ લાગ્યો રહે છે. જેના કારણે ચિંતામાં વધારો થાય છે અને હરિનું નામ ભૂલી જવાય છે. માટે મોહ છોડો સાથે સાથે ખોટી ચિંતા પણ છોડો. જીવનમાં ચિંતાને છોડીને હરિનું ચિંતન વધારો. મોક્ષ મળી જશે. જીવન એવું જીવો કે છેલ્લી અવસ્થામાં આવનારું મૃત્યુ પણ મહોત્સવ બની જાય. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારું મૃત્યુ તો નિ‌શ્ચિ‌ત જ છે પણ અમે ભયના કારણે ન મરીએ એવી અમને શક્તિ અર્પણ કરજો અને અમારામાંથી શોક, મોહ અને ચિંતા દૂર થાય એવી કૃપા કરજો.

જય સીયારામ' (સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)



મોરારિબાપુ
rameshwardashariyani@gmail.com

Continue reading at Sunday Bhaskar..........

Monday, December 23, 2013

સત્ય લેવાય, પ્રેમ દેવાય અને કરુણામાં જિવાય એ જીવન છે, માનસદર્શન, મોરારિબાપુ

સત્ય લેવાય, પ્રેમ દેવાય અને કરુણામાં જિવાય એ જીવન છે




  • રામકથા દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો સૌપ્રથમ કથાને કપટ છોડી ગાવ



  • રામચરિતમાનસમાં ઉત્તરકાંડમાં તુલીસદાસજી લખે છે:

'મન કામના સિદ્ધિ નરપાવા
જે યહ કથા કપટ તજિ ગાવા’


  • અમારો નીતિનભાઇ વડગામો લખે છે.

પોથીને પરતાપે ક્યાં ક્યાં પૂગિયા
ભગવા રે અંકાશે જઇને ઊડિયા...




  • 'સકલ લોક જગ પાવનિ ગંગા’

કથા તો સ્વયં ગંગા છે. કદાચ ગંગાસ્નાન કરવા ન જવાય તો મનમાં ઓછું ન લાવતા. કથામાં જાવ ત્યારે થોડું જળ લેતા જજો. ગંગાજળ બનતા વાર નહીં લાગે. રામકથા તો હાલતી ચાલતી ગંગા છે. બને તો કથારૂપી ગંગામાં નિત્ય સ્નાન કરજો જીવન ધન્ય બની જશે.

જય સીયારામ'
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


  • રામકથા દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો સૌપ્રથમ કથાને કપટ છોડી ગાવ. જે વ્યક્તિ કપટ છોડીને રામાયણની ચોપાઇનું ગાન કરે છે એની મનોકામના સિદ્ધ થાય છે. રામકથા તો હાલતી ચાલતી ગંગા છે.


મોરારિબાપુ
rameshwardashariyani@gmail.com


Read full article at Sunday Bhaskar.


Saturday, December 21, 2013

GOD IS ONE




AMAZING FACTS

MANDIR=6 words
CHURCH=6 words
MASJID= 6 words
&
GEETA=5 words
BIBLE=5 words
QURAN=5 words

They All Preach The Same - "GOD IS ONE"

Sunday, December 15, 2013

મનમંદિરમાં સાત સૂત્રોનું નિત્ય સ્મરણ રહે, માનસદર્શન, મોરારિબાપુ

મનમંદિરમાં સાત સૂત્રોનું નિત્ય સ્મરણ રહે




તુલસીદાસજીએ ભિન્ન ભિન્ન સંદર્ભોમાં મંદિર શબ્દનો સદુપયોગ કર્યો છે


  • મનમંદિરમાં સાત વસ્તુઓ હોવી જોઇએ જેમાં મૂર્તિ‌, પૂજારી, શિખર, ધજા, આરતી, પ્રસાદ અને માનવતાનો સાર્વભોમ વિચાર, આવી સાત વસ્તુઓ મંદિરમાં ખૂબ જ જરૂરી છે.



  • અરણ્યકાંડમાં સ્થૂળરૂપે મંદિર ન પણ હોય. પણ મને એમ લાગે છે કે અરણ્યકાંડ સ્વયં એકમંદિર છે.



  • રામચરિતમાનસમાં કુલ અગિયાર મંદિરોના જુદા જુદા સંદર્ભે ઉલ્લેખ તુલસીદાસજીએ કર્યા છે. જેમાં મનમંદિર, મણિમંદિર, ગુણમંદિર, સુખમંદિર, ક્ષમામંદિર, હરિમંદિર, નિજમંદિર, દિલમંદિર, જનકમંદિર, નૃપમંદિર અને છેલ્લે હરમંદિરની ચર્ચા છે. 



(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)



મોરારિબાપુ


Continue reading at Sunday Bhaskar.



Tuesday, December 10, 2013

દુ:ખનું મૂળ માણસનો સ્વભાવ, માનસદર્શન, મોરારિબાપુ

દુ:ખનું મૂળ માણસનો સ્વભાવ, માનસદર્શન, મોરારિબાપુ





જેમાં તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણનો સમાવેશ થાય છે

  • રામચરિતમાનસમાં ચાર જગ્યાએ સંવાદના રૂપમાં રામકથા ચાલે છે. 
  • કૈલાસમાં ભગવાન શિવ ભવાનીને રામકથા સંભળાવે છે. 
  • ર્તીથરાજ પ્રયાગમાં પરમવિવેકી યાજ્ઞવલ્કય મહારાજ ભરદ્વાજજીને રામકથા સંભળાવે છે. 
  • બાબા ભુશુંડીજી, ખગપતિ-ગરુડજીને સંભળાવે છે 
  • અને તુલસીદાસજી પોતાના મનને કેન્દ્રમાં રાખીને આપણને બધાને કંઇક દર્શન કરાવી રહ્યા છે. 



'હરિના જન તો મુક્તિ ન માગે
માગે જનમ જનમ અવતાર રે...
નિત્ય સેવા નિત્ય કીર્તન-ઓચ્છન
નિરખવા નંદકુમાર રે...’


  • તો દુ:ખનાં ચાર કારણ, 
  • જેમાં પહેલું કાળ દુ:ખ આપે છે. 
  • દુ:ખનું બીજું કારણ કર્મ છે. માણસ પોતાના કર્મના આધારે દુ:ખી થાય છે. સવારથી સાંજ સુધી જેવાં કર્મ કરે એ કર્મના ફળ સ્વરૂપે સુખદુ:ખ પ્રાપ્ત થાય છે. 
  • દુ:ખનું ત્રીજું કારણ ગુણ છે. જેમાં તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણનો સમાવેશ થાય છે.
  • દુ:ખનું ચોથું કારણ સમજાવતાં તુલસીદાસજી કહેવા લાગ્યા કે માણસ પોતાના સ્વભાવના કારણે દુ:ખી થાય છે.


Continue Reading at Sunday Bhaskar......

જીવનમાં સંદેહ વ્યક્તિને પતન તરફ દોરી જાય છે, માનસદર્શન, મોરારિબાપુ


જીવનમાં સંદેહ વ્યક્તિને પતન તરફ દોરી જાય છે, માનસદર્શન, મોરારિબાપુ


  • શણગાર કરે છે. એવા સમયે દેવરાજ ઇન્દ્રનો દીકરો અચાનક જ ચિત્રકૂટમાં આવે છે. એણે ભગવાન રામ અને સીતાજીને જોયા છે. ભગવાન રામને પુષ્પની માળા સીતાજીને પહેરાવતા જોઇને મનમાં સંદેહ થયો કે આને થોડા વનવાસી કહેવાય? આ તો વિષયી છે. ઉદાસીન વ્રત લઇને ચૌદ વર્ષ સુધી વનમાં રહેવાનો આદેશ છે અને આ તો રસિક બનીને વનવાસ ભોગવે છે. હવે વિચાર કરો ઇન્દ્રના દીકરાને પણ મનમાં સંદેહ થયો છે. જીવનમાં તમે બીજી કોઇ બાબતથી સાવધાન રહો કે ન રહો એ તમારી પોતાની મરજી છે પણ કોઇ વ્યક્તિ, કોઇ પ્રસંગ, કોઇ દેશ કે ઘટના વિશે મનમાં સંદેહનો કીડો પ્રવેશ ન કરે એની સાવધાની ખૂબ જ રાખજો.



  • આજે આપણને બધાને બીજાના અંગત જીવનમાં રસ લેવામાં ખૂબ જ આનંદ આવે છે. બને ત્યાં સુધી કોઇના અંગત જીવનમાં ન પ્રવેશ કરો. દાંપત્યજીવનમાં ક્યારેય સંદેહ ન થવો જોઇએ. જ્યારે સંદેહ, શંકા શરૂ થશે ત્યારે વ્યક્તિનું પતન પણ શરૂ થઇ જાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તો સ્પષ્ટ લખ્યું છે કે 'સંશયાત્મા વિનશ્યતિ’ જે વ્યક્તિના મનમાં એકવાર સંદેહ પેદા થાય છે એનું પરિણામ વિનાશ જ હોય છે. ભગવાન મહાવીરસ્વામીનો એક પ્રસંગ છે એણે પોતાના શિષ્ય મેઘકુમારની જિજ્ઞાસાના સંદર્ભમાં ચાર વાતો કરી છે. આજના યુવાન ભાઇઓ-બહેનોએ જરા ધ્યાનથી સાંભળવી જોઇએ. જે વાતો જીવનની યાત્રામાં ખૂબ ઉપયોગી બને તેવી છે.





  • ઇન્દ્રના દીકરા જયંતને અકારણ સંદેહ પેદા થયો. કાગડાનું રૂપ લઇને સીતાજીનાં ચરણોમાં ચાંચ મારે છે. હવે વિચારો કે ઇન્દ્રપુત્ર હોવા છતાં કાગડાનું રૂપ લેવું પડયું. તુલસીદાસજી કહે છે કે બીજાના જીવનમાં, ગૃહસ્થાશ્રમમાં જે ખોટી ચાચું મારે છે એ ક્યારેય હંસ બની શકતો નથી. એ કાગડો જ બને છે. આજે સમાજમાં ઘણા જયંતો બેઠા છે. જે ચંચુપાત કરવાનું જ કામ કર્યા કરે છે. છેલ્લે એટલું જ કહીશ કે કોઇની ખુશી જોઇને દ્વેષ ન કરો, એ એના પ્રારબ્ધનો આનંદ લઇ રહ્યા હોય છે. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે દ્વેષમુક્ત જીવન જીવીને બીજાને ઉપયોગી બનીએ.


(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
માનસદર્શન
મોરારિબાપુ

Continue reading at Sunday Bhaskar.......