Translate

Search This Blog

Wednesday, November 27, 2013

કળિયુગ તો હરિનામ લેવાની મોસમ છે, માનસદર્શન, મોરારિબાપુ

કળિયુગ તો હરિનામ લેવાની મોસમ છે



  • હરિ ભજનથી માણસનું ચિત્ત શુદ્ધ બને છે. તુલસીદાસજી તો ત્યાં સુધી કહે છે કે કોઇ વ્યક્તિ કળિયુગમાં હરિનું નામ મુખથી લે છે તો સ્વયં નામ ધ્યાન બની જશે. યજ્ઞ પણ થઇ જશે. સમય મળે ત્યારે હરિનું ભજન કરો



  • રામચરિતમાનસમાં તુલસીદાસજીએ મંત્રનામનો મહિ‌મા ખૂબ જ ગાયો છે. સ્વયં ભગવાન રામ કરતાં વધારે રામનામનો મહિ‌મા છે. 



  •  હરિનું વર્ણન કરતા તુલસી રામચરિતમાનસમાં લખે છે:


બિનુ પદ ચલઇ સુનઇ બિનુ કાના
કર બિનુ કરમ કરઇ બિધિનાના
આદિ અંત કોઉ જાસુ ન પાવા
મનિ અનુમાનિ નિમગ અસ ગાવા


  • રામતત્ત્વથી કોઇ વ્યાપક નથી. હું અહીંયાં રામનું વ્યાપક અર્થમાં દર્શન કરું છું. રામને તમે કૃષ્ણ પણ કહી શકો છો. શિવ પણ કહી શકો. દુર્ગા પણ કહી શકો. અરે, મારા રામને અલ્લાહ પણ કહી શકો છો. 



  • સત્ય એટલે આપણું બચપન છે. બાળકને આપણે ઇશ્વર સ્વરૂપ માનીએ છીએ. જ્યાં સત્ય હશે ત્યાં રામ હશે. રામતત્ત્વ નિર્દોષ, પવિત્રમ્ તત્ત્વ છે પછી પ્રેમ એ આપણી જુવાની છે. માણસ યુવાન થાય એટલે પ્રેમની અભિવ્યક્તિ શરૂ થાય છે. જ્યારે કરુણા એ માણસની પ્રૌઢતા છે, પરિપક્વતા છે. કરુણા જે વ્યક્તિ પાસે હોય છે એ વ્યક્તિ આપણને પાકેલો લાગે છે. જીવનની કોઇપણ પરિસ્થિતિમાં કદાચ કોઇ એકાદ મંત્ર પકડાઇ જશે તો વ્યક્તિગત જીવનમાંથી વૈશ્વિક જીવન બની જશે. જીવનને સમજો અને જીવનને જાણીને આગળ વધો. કલિયુગમાં હરિમંત્ર પકડાઇ જાય એ સારી વાત છે. એના સિવાય આજે ઘણા મંત્રો આપણે સમજવાની જરૂર છે. બીજાને ઉપયોગી થવું એ પણ મંત્ર છે. જય સીયારામ'

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Continue reading full article at Sunday Bhaskar.


Friday, November 22, 2013

શબ્દોની કમાલ

Courtesy: 



૧     કોઈની ઉપર દયા કરી હોય તો યાદ ન કરો.

૨     શાળામાં સર છે પણ ભણવામાં રસ નથી.

૩     દરજી સરખા અંતરે જગા રાખી ગાજ કરે છે.

૪     ભલા કામ કરનારને હંમેશાં લાભ થાય છે.

૫     લોભ વૃત્તિ ધરાવનાર કદી ભલો નથી હોતો.

૬     જામ હોય તો સૌ કોઈને મજા આવી જાય.

૭    વાદ કરો તો પછી દવા ની જરુર પડે.

૮    વ્યસન તજી (ત્યજી) દેવામાં જ તમારી જીત છે.

૯    લોન એટલે ન લો.

Thursday, November 21, 2013

મનુષ્યમાં શુદ્ધિ અને પ્રેમની વૃદ્ધિ કરે સંવેદના, માનસદર્શન, મોરારિબાપુ

મનુષ્યમાં શુદ્ધિ અને પ્રેમની વૃદ્ધિ કરે સંવેદના

માનસદર્શન, મોરારિબાપુ

  • રામચરિતમાનસના સાતેય સોપાનમાં મુનિઓનાં દર્શન થાય છે. મારી દૃષ્ટિએ તો રામચરિતમાનસ મુનિમય છે. પરંતુ આ બધા જ મુનિઓમાં આપણે મહામુનિની ખોજ કરવાની છે. વર્તમાન વિશ્વમાં મારે કોઇને મહામુનિ કહેવા હોય તો હું મારી જવાબદારી એ વિનોબાજીને કહીશ. તમે સ્વીકારો ન સ્વીકારો એ તમારી જવાબદારી છે પણ મારી વ્યાસપીઠને વિનોબાજીમાં મહામુનિનું દર્શન થાય છે અને એ પણ વાત કરી દઉં કે મહામુનિપણું મળવું આસાન નથી. મને સાબરમતી આશ્રમની એક વાત યાદ આવે છે.




'તુ ઇસે ઇબાદત સમજ લે
તેરી યાદ મેં હમ કબ સે સોયે નહીં હૈ.’



'જસિ બિબાહ કે બિધિ શ્રુતિ ગાઇ’



'મહામુનિન્હ સો સબ કરવાઇ’



'ઉદાસીન નિત રહિ‌એ ગોસાઇ’



'મોજમાં રહેવું, મોજમાં રહેવું અને મોજમાં રહેવું રે...
અગમ અગોચર અલખધણીની ખોજમાં રહેવું રે...
ગોતનારાને ગોત્યો નહીં જડે એ ગહન ગોવિંદો રે
પણ હરિભક્તુને હાથવગો છે એ તો પ્રેમપરખંડો રે...’



'વિશ્વકલ્યાણ હિ‌ત વ્યગ્ર ચિત્ત સર્વદા’


'નિસદિન બરસત નૈન હમારે
સદા રહત બારીસરીતુ હમપર
જબસે શ્યામ સીધારે...’


(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


Continue reading at the Sunday Bhaskar

Wednesday, November 13, 2013

હરિકથા: જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ, માનસદર્શન, મોરારિબાપુ

હરિકથા: જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ





  • આજે તો પાડોશી-પાડોશી, ગામ-ગામ અને રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે વૃથાવાદ બહુ જ પ્રબળ બનતો જાય છે. જેના કારણે સમાજમાં અશાંતિ ઊભી થાય છે માટે ખોટો તર્ક છોડો, બને એટલો મિથ્યાવાદ છોડીને સમયનો સદુપયોગ કરો તો શાંતિ પ્રાપ્ત થશે



  • રામકથાનું શ્રવણ કરવાથી નુકસાન થતું નથી. 



  • ભગવાન રામની કથા શ્રવણ કરવાથી આપણા બધાના જીવનમાં ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય છે. 




ભવાની શંકરો વન્દે શ્રદ્ધાવિશ્વાસરૂપિણૌ
યાભ્યાં વિના ન પશ્યંતિ સિદ્ધા: સ્વાન્ત: સ્થમીશ્વરમ્


  • શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને રામકથાનું શ્રવણ કરવામાં આવે તો જીવનમાં આવેલી અશાંતિનાં કારણોનો ઉકેલ તરત જ મળી જશે. 



  • આપણા બધાના જીવનમાં અશાંતિ ઊભી થવાનાં ત્રણ કારણો છે, જે કારણો આપણા જીવનમાં પ્રવેશે કે તરત જ આપણને અશાંતિનો અનુભવ થાય છે. આ ત્રણેય કારણોથી માણસે બચવું જોઇએ. જે કારણો આ પ્રમાણે છે.



  1. મિથ્યાવાદ: હવે મિથ્યાવાદ એટલે કે નિરર્થકવાદ. 
  2. મિથ્યાગતિ: આપણા બધાના જીવનમાં મિથ્યાગતિ અશાંતિ ઊભી કરે છે. 
  3. મિથ્યાસ્મૃતિ: માણસ જ્યારે મિથ્યાસ્મૃતિ કરવા લાગે છે ત્યારે અશાંતિનો ભોગ બને છે. 

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


Continue reading full article at Sunday Bhaskar.