Translate

Search This Blog

Thursday, September 27, 2012

રામકથા ક્યાંથી ક્યાં સુધી લઈ જઈ શકે? Kanti Bhatt


The images and links including the article are displayed here with the courtesy of Divya Bhaskar.


રામકથા ક્યાંથી ક્યાં સુધી લઈ જઈ શકે?
Kanti Bhatt







માનવીના તમામ ભૌતિક બળ કરતાં એક મોટું ધર્મનું બળ છે

કોઈ મને પૂછે કે તમે ધાર્મિક છો? તો હું વાચકો વતી જ કહી દઉં કે મારા વાચકો ધાર્મિક હોય તો હું સવાયો છું. આ જગતમાં માત્ર બે ફોર્સ છે. એક ફોર્સ તલવારનો સાથે સાથે ધનનો અને બીજો બળકટ ફોર્સ છે-આધ્યાત્મિકતાનો. ૨૦મી સદીમાં અમેરિકન પ્રમુખ જે પોતે શસ્ત્રબળમાં અતૂટ શ્રદ્ધા રાખતા તેણે કહેલું કે માનવીનાં શસ્ત્રો કરતાં માનવીની ધર્મ પરની શ્રદ્ધા વધુ બળુકી છે. તે પછી ઈસ્લામ ધર્મની હોય કે કૃષ્ણની હોય કે મોરારિબાપુના રામ કે હનુમાન ઉપરની શ્રદ્ધા હોય!

આધુનિક પ્રજાને સ્પિરિચ્યુઆલિટી કહેશું તો વધુ ગમશે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ સર સર્વ પલ્લી રાધાકૃષ્ણને કહેલું ‘મારા જીવનમાં જે કાંઈ બન્યું તેના પરથી મને ખાતરી થઈ છે કે માનવીના તમામ ભૌતિક બળ કરતાં એક મોટું ધર્મનું બળ છે. સ્પીરિચ્યુઆલિટી છે.

આ બળને કારણે તેમજ સાદી ભાષામાં રામ કે કૃષ્ણ કે પયગમ્બર ઉપરથી અટલ શ્રદ્ધાને કારણે ધમૉત્માઓ પૂજાય છે અને મોરારિબાપુની અસર આંતરરાષ્ટ્રીય બની છે. બાપુના જીવનની થોડીક અધૂરી કથા પૂરી કરું છું.

તેમની કુમારવયમાં જ મોરારિબાપુની કથાના શ્રવણ કરનારા રાત-દિવસ વધવા માંડેલા. શાપુરમાં શિક્ષક તરીકેની તાલીમ લેતા ત્યારે સૌરાષ્ટ્રની ઓઝત નદીને કાંઠે રામખળદાસજી નામના રામાયણના પ્રખર વિદ્વાન બાવા રહેતા હતા. તેને આંખુ રામાયણ કંઠસ્થ હતું. તેમને ‘ક’ અક્ષર ઉપરથી કેટલી રામાયણની ચોપાઈઓ છે તે પૂછો તો તુરંત બોલી જાય. આવા સાધુ સક્ષમ જ એક પરીક્ષાર્થ તરીકે મોરારિબાપુએ સૌપ્રથમ પોતાની રામકથા ખૂબ ભાવપૂર્વક અને તેનામાં જે છુપી સ્ટાઈલ છે તે બતાવીને સંભળાવી. આંખમાં પ્રેમનાં જળજળિયાં પણ હતાં. તે સાંભળી રામખળદાસજી ‘સાધુવાદ’ ‘સાધુવાદ’ આવો શબ્દ બોલેલા. અમારા ગામડાના બાવાઓ કંઈ જોઈ-સાંભળી ધન્ય ધન્ય કે આફરીન થાય ત્યારે બોલતા-સાધુવાદ સાધુવાદ (શાબાશ-શાબાશ).

નવરાત્ર આવે ત્યારે રામકથા કે બીજી કથા કહેવા બાપુ જતા. કોઈને રામપારાયણ બેસાડવી હોય ત્યાં જતા. કથા કહેવા માટે શેર, શાયરી, ગઝલો અને કવિતાનો ઊંડો અભ્યાસ કરતા. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં હરીન્દ્ર દવે અને સુરેશ દલાલ તેમજ બીજા ઊંચા ગજાના સાહિત્યકારો મોરારિબાપુને ફિલોસોફિકલ સવાલો પૂછતા તેનો ઈન્સ્ટન્ટ ઉત્તર આપતા તેવી તેમની ફિલોસોફીની આપસૂઝ હતી. તે બધો મહુવાના અભ્યાસ અને માલણ નદીના પાણીનો પરતાપ છે. એમની ક્રિએટિવિટીનો કથામાં ભરપૂર લાભ શ્રોતાને મળે છે. ધાર્મિક કે બીજા સામાજિક-ઉપયોગી ટુચકા કહેતા.

સ્કૂલના શિક્ષક તરીકે નોકરી કરી તેમાં નોકરી કરતાં કથા કહેવા માટેની હક્કની રજામાં વધુ દિવસો ગાળતા. નોકરીને પકડી રાખવી પડતી. આજે જેમ મોરારિબાપુની કથાનું વેઈટિંગ લિસ્ટ લાં...બુ છે તેવું ત્યારે નહોતું. કોઈ કથા યોજે કે ન યોજે આવકને-પગારને સ્થિર રાખવા નોકરી ચાલુ રાખતા. કથાની આવક રૂ. ૨૫૦થી રૂ. ૫૦૦ની હોય પછી કથાની માંગ વધવા માંડી અને થયું કે રામાયણે ગુજરાતી અને રાજસ્થાનીનાં હૃદય જકડી લીધાં છે ત્યારે ૧૯૭૪ની ગુરુપૂર્ણિમાના દિવસે નોકરીનું રાજીનામું આપી દીધું.

મહુવાના મારા કપોળ મિત્રો મને કહેતા કે મુરારિ શિક્ષક હતા ત્યારે બીજા સાથે બહુ ઓછું બોલતા. કામ પૂરતું બોલે. નવરા પડે ત્યારે આકાશ સામે જોઈ રહેતા. તે સમયે કવિ હરીન્દ્ર દવેની ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ નામના કૃષ્ણચરિતની નવલકથા વાચેલી. સાહિત્યકારો અને મોરારિબાપુ પરસ્પરના પ્રેમી થયેલા છે. હું પત્રકાર થયા પછી ‘ઘર કી મુરઘી દાલ બરાબર’ની કહેવતના પાતળા સરદાર તરીકે કોઈ વખત ટીકા કરી લેતો પણ જ્યારે મોરારિબાપુને મનફાવે તેવી સાદી રસોઈ બનાવતા તરસરા ગામના તિલક મહારાજને મળ્યો ત્યારે તેમની સાદાઈ અને સાધુવૃત્તિનાં વખાણ સાંભળી મારી કલમને મહુવાની ઓળખાણનું મોણ દઈ દીધું.

ભાખરી, તાંદળજાની ભાજી અને લીલા મરચાં તથા ખીચડીએ તેમનું ભાવતું ભોજન. સવારે દહીં રોટલો તો ખરો. મોરારિબાપુની કથા વધવા માંડી અને ઘરના માણહ માટે દુર્લભ બન્યા ત્યારે પિતાએ મીઠો ઠપકો આપેલો કે મહિને ત્રણ કથાને બદલે બે કથા જ કર તો કેમ? તમે કલ્પના કરો કે રામાયણ અને રામકથાને ભક્તિભાવપૂર્વક ગદગદ કંઠે કહેનાર એક સાધુ સાત જ વર્ષમાં સંત-મોરારિબાપુ થઈ જતા હોય તો આપણે રામકથાનાં આદર્શ પાત્રો પ્રમાણે રામની પિતૃભક્તિ, લક્ષ્મણની ભાતૃભક્તિ સીતાની પતિભક્તિ વગેરે વગેરે પ્રમાણે જો વર્તીએ તો કેટલા ન્યાલ થઈ જઈએ?

મોરારિબાપુને મોઢે સાંભળેલી વાત છે. તેમને એક પ્રખર સંત મળેલા. તેમનો એક અંગુઠો લોહીલુહાણ હતો. તે સતત રામનું રામ રટતા. ઘવાયેલો અંગુઠો રૂઝતો નહીં. મોરારિબાપુએ સંતને પૂછ્યું ‘આ અંગૂઠો કેમ લોહિયાળ છે?’ તો સંતે કહ્યું ત્યાં જ વારંવાર ચોટ લાગે છે-ત્યારે રામને યાદ કરું છું રામને યાદ કરવા માટે સંત હાથે કરીને અંગૂઠાને ઠેસ વગાડીને અંગૂઠાને લોહીલુહાણ કરી દેતા! (મારી બાને ઠેસ લાગે અને અંગૂઠો ઘવાય તો હંમેશાં ‘હાય રામ’ બોલતી) રામ અને રામાયણનું પઠન-શ્રવણ કંઈક અદ્ભુત સ્પિરિચ્યુઅલ ફોર્સ ધરાવે છે.

મારી જાણેલી વાત એક તફાવત સમજાવવા કહું છું. તફાવત એ કે રામકથા તો અડધો ડઝન કથાકારો કરે છે પણ બધા જ કેમ સંત નથી? કંઈક ડીએનએનો કર્ફ છે? તમે જ વિચારો. એક દાખલો.

વાલ્મીકિ રામાયણ ઉપરથી ગોપાલ શર્મણ નામના વિદ્વાને અંગ્રેજીમાં નાટક લખ્યું. આ નાટક મુંબઈ, કોલકાતા, દિલ્હી અને મથુરાના મેગેઝિનોમાં પ્રગટ થયું. દરમિયાન દિલ્હીની અશોક-હોટેલના હોલમાં ભજવાયું. ખૂબ વખણાયું. જલબાલા નામની સુંદર યુવતી સીતાનો પાઠ ભજવીને લોકપ્રિય થઈ. ગોપાલ શર્મણ અને જલબાલા નાટક લઈને ઈંગ્લેંડ, અમેરિકા, યુરોપ ગયાં. ન્યૂયોર્કના બ્રોડ-વે થિયેટરમાં રામાયણ ભજવાયું ન્યૂયોર્ક ટાઈમ્સે સુંદર રિવ્યૂ લખ્યો.

જલબાલા અને ગોપાલ શર્મણ પરણીને વધુને વધુ નાટક ભજવતા ગયા. તાળીઓ પડાવતા ગયા. પણ? પણ એટલું જ કે તે બંને પ્રત્યે શ્રોતા કે પ્રેક્ષકને મોરારિબાપુ પ્રત્યે શ્રોતાઓ અને ખાસ કરીને મહિલાઓ મુગ્ધ ભાવે જોઈ રહીને કથા સાંભળે છે તેવી રામકથાના સ્પિરિચ્યુઆલિટીનો દરિયો શર્મણ કે બીજા કોઈ વહાવી શકતા નથી. મોરારિબાપુને પગે મોટા મોટા સાહિત્યકારો પડે છે. ગોપાલ શર્મણને કોઈ પગે લાગતું નથી!

પશ્ચિમના લેખક પ્રો. વિલિયમ બકએ અને બીજા બે ડઝન વિદ્વાનોએ રામાયણ ઉપર ભાષ્યો લખ્યાં છે. પ્રોફેસરે લખ્યું છે કે પશ્ચિમનાં તમામ મહાકાવ્યો (એપિક્સ) કરતાં રામાયણ-મહાભારત વધુ કંમ્પલિટ મહાકાવ્યો છે. માનવીનો સાંસ્કૃતિક રાજકીય અને સામાજિક ઉદય કેમ થયો તે માત્ર રામાયણ કહે છે. એવી રામાયણને કહેતાં કહેતાં મોરારિબાપુનો ઉચ્ચ દરજ્જાનો આધ્યાત્મિક ઉદય થયો છે તેમ હું માનું છું.

કાન્તિ ભટ્ટ
આસપાસ

Read full article at source link.



Monday, September 24, 2012

મોરારીબાપુ મહુવાના આધ્યાત્મિક મહામાનવ


The image and part of text including links are displayed here with the courtesy of Divya Bhaskar

મોરારીબાપુ મહુવાના આધ્યાત્મિક મહામાનવ
Kanti Bhatt



Read at epaper  page 8





એ દ્રષ્ટિએ મોરારબિાપુ તલગાજરડામાં જન્મીને વિશ્વમાનવ બની ગયા છે. બચપણમાં દાદા પાસે રામાયણની પાંચ ચોપાઈ સાંભળતા. એ ચોપાઈ તેમણે મહુવા ઉઘાડે પગે ચાલીને જાય ત્યારે ગોખીને કંઠસ્થ કરવાની રહેતી. ઘણી વખત રાત્રે માલણ નદીમાં પૂર આવ્યું હોય તો છાતીસમાણા પાણીમાં પડીને મોરારબિાપુ રાત્રે ૨ વાગ્યે તલગાજરડા પહોંચતા ત્યારે પણ ત્રભિુવન દાદાને ચોપાઈ સંભળાવીને પછી જ સૂતા. આમ ત્રણ વર્ષે મોરારબિાપુને આખું રામચરિત-માનસ પાકું થઈ ગયું. બાર તેર વર્ષની વયે તલગાજરડાના પાદરે એક પરબડી હતી તે ઝૂંપડામાં જઈને ગામના ટાબરિયાને ભેગાં કરી રામાયણની ચોપાઈ સંભળાવે અને બાળકો સાથે મોટેરા મંત્રમુગ્ધ થઈને સાંભળતા. બચપણથી જ કાવ્યોનો અને પછી ઉર્દૂ શાયરીનો શોખ જાગ્યો તે તેના વાર્તાલાપમાં આજે જણાઈ આવે છે. એક વખત ‘ઈંદિરા ગાંધી મેમોરિયલ ફાઉન્ડેશન ડે’ના પ્રવચનમાં તેમણે ગાલીબની શાયરી ટાંકેલી.

મોહબ્બત મેં દિલ આજ ગભરા રહા હૈ,,તસવ્વુર હકીકત હુઆ જા રહા હૈ
મદીના યહાં સે બહુત દુર હૈ લૈકીન,મદીના યહાં સે મજરા રહા હૈ


Read full article at Divya Bhaskar.

Saturday, September 8, 2012

અમર છે શ્રી હનુમાન, તો જાણો આ યુગમાં ક્યાં રહે છે તે


The information and images are with the courtesy of Divya Bhaskar daily.


  • અમર છે શ્રી હનુમાન, તો જાણો આ યુગમાં ક્યાં રહે છે તે

Source : Dharm Desk, Ahmedabad, Divya Bhaskar

Read full article at Divya Bhaskar.




શ્રી હનુમાનજી બળ, પરાક્રમ, ઉર્જા, બુદ્ધિ, સેવા, ભક્તિના આદર્શ દેવતા છે. શાસ્ત્રોમાં શ્રી હનુમાનજીને સકળગુણનિધાન પણ કહેવામાં આવે છે. શ્રી હનુમાનજીને ચીરંજીવી - અમર માનવાં આવે છે. શ્રીહનુમાન ચાલીસામાં ગોસ્વામી તુલસીદાસે પણ લખ્યું છે કે - 'चारो जुग परताप तुम्हारा है परसिद्ध जगत उजियारा।'

આ  ચોપાઈનો અર્થ જ કહે છે કે શ્રી હનુમાન એવા દેવતા છે, જે દરેક યુગમાં કોઈ ને કોઈ રૂપે, શક્તિ અને ગુણોની સાથે જગત માટે સંકટમોચક બનીને હાજર રહે છે. શ્રીહનુમાનજી સાથે જોડાયેલી આ વિલક્ષણ અને અદ્ભૂત વાત તેના પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા મજબૂત કરે છે.

આ માટે અહીં જાણો, શ્રી હનુમાન ચાર યુગમાં કઈ રીતે તે શોકનાશક બને અને ખાસ કરીને કળિયુગ એટલે કે આજે તે કઈ જગ્યાએ રહે છે....




સતયુગ – શ્રી હનુમાન રૂદ્રાવતાર છે. સતયુગમાં દુઃખને દૂર કરવા રૂદ્ર અવતાર ધારણ કરવામાં આવ્યો છે, સતયુગમાં હનુમાનજી શિવ એટલે કે કલ્યાણ રૂપે પૂજાતા રહ્યા છે.






ત્રેતાયુગ – આ યુગમાં શ્રી હનુમાનને ભક્તિ, સેવા અને સમર્પણનો આદર્શ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર વિષ્ણુ અવતાર શ્રી રામ અને રુદ્ર અવતાર શ્રી હનુમાન એટલે કે પાલન અને સંહાર શક્તિઓના મિલનથી જગતની ખરાબ અને દુષ્ટ શક્તિઓનો અંત થયો.





દ્વાપર યુગ – આ યુગમાં શ્રી હનુમાન નર અને નારાયણ રૂપ ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનની સાથે ધર્મયુદ્ધમાં રથની ધ્વજામાં ઉપસ્થિત છે. આ પ્રતીકાત્મક રૂપમાં સંકેત છે કે શ્રીહનુમાન આ યુગમાં પણ ધર્મની રક્ષા માટે ઉપસ્થિત રહે છે.






કળિયુગ – પૌરાણિક માન્યતાઓમાં કળિયુગમાં શ્રી હનુમાનનું નિવાસ ગંન્ધમાદન પર્વત પર છે. કળિયુગમાં તો શ્રીહનુમાન જ્યાં-જ્યાં પોતાના ઈષ્ટ શ્રીરામનું ધ્યાન અને સ્મરણ થાય છે, ત્યાં અદ્રશ્ય રૂપે ઉપસ્થિત રહે છે. શાસ્ત્રોમાં અનેક ગુણોની સ્તુતિમાં લખવામાં આવ્યું છે કે - 'यत्र-यत्र रघुनाथकीर्तनं तत्र-तत्र कृत मस्तकांजलिं।' આ રીતે હનુમાનનું સ્મરણ દરેક યુગમાં અલગ-અલગ રૂપ અને શક્તિઓની સાથે સંકટમોચક દેવતાના રૂપમાં જગતને વિપત્તિઓથી ઉગારે છે.

Friday, September 7, 2012

રામભક્તે જ્યારે કૃષ્ણના નાથદ્વારાને ગજાવ્યું


The article by Shree Kanti Bhatt  and image are displayed here with the courtesy of its writer/author and publisher.
It is displayed here with the courtesy of Divya Bhaskar daily.




  • રામભક્તે જ્યારે કૃષ્ણના નાથદ્વારાને ગજાવ્યું

Kanti bhatt | Sep 07, 2012

Read full article at its Source Link : Divya Bhaskar



ભક્તિ; ૩૪૧ વર્ષ પહેલાં શ્રીનાથજીનાં પગલાં નાથદ્વારામાં થયાં હતાં. આજે ત્યાં જશો તો કૃષ્ણમય-પ્રેમમય બની જશો.

હેમા માલિની, રિષી કપૂર, રૂપકુમાર રાઠોડ સુનિધિ ચૌહાણ અને સુનીલ શેટ્ટી જેવા બોલિવૂડના તારકો પણ મોરારિ બાપુના ચાહકો છે તે ૧૮મીથી ૨૬ ઓગસ્ટ સુધી નાથદ્વારા મોરારિ બાપુની કથા ઉદયપુરના ધનિકોએ યોજી ત્યારે જોવા મળ્યું. ૭૦,૦૦૦ શ્રોતા માટેનો મંડપ છલકાઈ ગયો અને અઢી લાખ લોકોએ ઊભા ઊભા અવનવા ફિલ્મતારકો અને ગાયિકાઓને જોવાનો લહાવો લીધો. મોરારિ બાપુની કથા સાથે સાથે લેતા હતા. મોરારિ બાપુ પોતે સંગીતના શોખીન છે અને કથા પછી રાત્રે મુશાયરો થાય તેમાં હિ‌ન્દુસ્તાન અને પાકિસ્તાનનાં ગાયકોને સાંભળવા ખાસ આવતા.

આ કથાના આયોજકો પૈકી મિરાજ ગ્રૂપ નામની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મદન પાલીવાલ કથાની મઢેલી કંકોત્રી લઈને નવા રાષ્ટ્રપતિ પાસે પણ ગયેલા. જોકે કથામાં હાજર રહેવાનું વચન પ્રણવ મુખરજી પાળી શકેલા નહીં. નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજીબાવાના દર્શને મને એક પ્રકાશક મિત્ર બરાબર ૨પ વર્ષ પહેલાં લઈ ગયેલા. મારું મન ઉદાસ હતું. મનમાં પીડા હતી. દરેક પત્રકાર લેખક કે પત્રકારના મનમાં પીડા હંમેશાં પાછળ પડેલી હોય જ છે, પણ શ્રીનાથજીનાં દર્શન વખતે પૂજારીએ મને થોડો ઝાઝો ઊભો રહેવા દીધો ત્યારે પંકજ મલિકનું આ ગીત મનમાં ગણગણતો મારી પીડા વ્યક્ત કરી શકેલો.

તેરે મંદિર કા હું દીપક જલ રહા, આગ જીવન મેં ભરકર ચલ રહા જલ રહા.
કયા તું મેરે દર્દસે અનજાન હૈ, તેરી મેરી કયા નઈ પહચાન હૈ
આંખ સે જમુના કા પાની ઢલ રહા, ઔર જીવન મેં ભર કર ચલ રહા.

કોણ જાણે પીડા વરાળ થઈ ગઈ એટલું જ નહીં તમામ મિત્રો સંબંધીઓ અને મંદિરમાં હાજર રહેલા પ્રત્યે મારામાં પ્રેમ અને પ્રેમની ભાવના જ રહી. નાથજીના મંદિરમાં તમે પણ જશો તો એકાએક પ્રેમાળ થઈ જશો. મારો અનુભવ છે. આ મંદિરમાં સૌ પોતપોતાની માગણીઓ અને પીડાને શમાવવાની યાચના સાથે આવે છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં મુંબઈગરાના ઘરાકને ઘરે આવકવેરાના દરોડા પડયા તો તેણે ઘરાકને શ્રીનાથજીબાબાને લઈ જઈ ત્યાં ભોગ ધર્યો રૂ. ૨,પ૦૦ની થાળી ધરાવી. એ પછી આવકવેરાના દરોડા પાડનારા ઓફિસરો સાથે કેમ તોડ પાડવો તેની વિચારણા કરી રસ્તો કાઢયો આવી રીતે શ્રીનાથજી પાસેનું ''સદ્બુદ્ધિ’’ લેવા ઘણા મુંબઈ અમદાવાદના એક નંબર કે બે નંબરના વેપારી આવે છે.

આજે તો આખું વરસ લગભગ દોઢ-ડઝન જેટલી એરકન્ડિશન્ડ બસો જેમાં રૂ. ૪પ૦ આપો તો સુવાની સગવડ મળે તેવી બસો શ્રીનાથજી જાય છે પણ તે પહેલાં મુંબઈમાં ખેતવાડીથી પોણો ડઝન બસ જતી. જન્માષ્ટમી આવે તો બસમાં જગા ન હોય તો ખાલી જગામાં યાત્રિકો ઊભા કે બેસીને મુંબઈથી ઉદયપુરની કઠિન યાત્રા કરતા કેટલાય કપોળો કે કૃષ્ણભક્તો પરણીને પ્રથમ શ્રીનાથજીનાં દર્શને જાય છે. હું ગયો ત્યારે મોહમ્મદ ઝાફર પંજવાણી નામના સિંધી મુસ્લિમની બે વર્ષની પુત્રી માહેરા કાલીઘેલી ભાષામાં જયશ્રીકૃષ્ણ બોલતી હતી.

કેટલાય મુસ્લિમો શ્રીનાથજીના દર્શને આવતા હતા તે ૨૦૧૨ સુધી ત્યાં પાકિસ્તાનથી ગાયકો આવીને સિલસિલો ચાલુ રાખે છે. કુંદનલાલ સાયગલે ૧૨ની ઉંમરે શ્રીનાથજીના એક પૂજારીને મીરાનું ભજન સંભળાવેલું. જો તેની પીડા પછી દારૂની બાટલીને બદલે ૧૯૪૬માં ''જબ દિલ હી તૂટ ગયા’’ (શાહજહાંન)ગાઈને શ્રીનાથજીનાં ચરણ પકડયા હોત તો દિલ, દિમાગ અને શરીરને દારૂથી તોડયું તેવું ન થાત.

નાથદ્વારા શહેરનું મહત્ત્વ શ્રીનાથજીબાવાની મૂર્તિ‌એ ૩૪૧ વર્ષ પહેલાં વધારી દીધું... એમાં વળી ઓગસ્ટના અંતમાં મોરારિ બાપુની ૬૩૮મી કથાએ તો તેને ઓર વધારી દીધું. ૩૪૧ વર્ષ પહેલા તો આ ગામનું નામ સિંહાડ હતું. એ ગામમાં શ્રીકૃષ્ણની મૂર્તિ‌ની પધરામણી થઈ ત્યારથી ગામનું નસીબ પલટાઈ ગયું. શ્રીકૃષ્ણને અનેક વહાલાં નામો મળ્યાં. ઉપેન્દ્ર, વિક્રમ, ત્રિકમ ચક્રપાણિ અને સારંગપાણિથી માંડીને છેલ્લે શ્રીનાથજી નામ કાયમ રહ્યું. પ‌શ્ચિ‌મના વિદ્વાનો શ્રીનાથજીને ક્રિષ્ના કહે છે.

જાણીતા નાટકકાર પિટર બ્રુકે મહાભારત નાટક રચ્યું અને તે જગમશહૂર થઈ ગયો. થેંક્સ ટુ ક્રિષ્ના ભગવાન વેદવ્યાસ કૃષ્ણની કથા અગર તો મહાભારતની વાતો કેમ કહે છે તે શીખવા પિટર બ્રુકના અભિનેતાઓ છેક કલકત્તા આવ્યા હતા અને ત્યાં મુસ્લિમ વાર્તાકાર હબીબ તનવીરે જે તલ્લીનતાથી કૃષ્ણની વાર્તા કહી તે સાંભળીને દંગ થઈ ગયેલા. વિખ્યાત અણુવિજ્ઞાની પણ પ્રથમ અણુબોમ્બના અખતરા પછી ભગવદગીતાના કૃષ્ણને યાદ કરતા હોય તો પછી લોહાણા ભાટિયા કે કપોળો કૃષ્ણને ભજે કે યાદ કરે તેમાં નવાઈ નથી.

જો કન્યાત જાતનો ભેદ નથી. કેન્યાના પ્રથમ રાષ્ટ્રપતિ જોમો કેન્યાટા કૃષ્ણના ભક્ત હતા હું લખી ગયો છું કે સુરૈયાએ તેના ફલેટનું નામ કૃષ્ણ મહાલ રાખેલું અને તે કૃષ્ણ ભક્ત હતી. લગભગ તેના પ્રેમનું ઉધ્ર્વી‍કરણ કરીને નિષ્ફળ પ્રેમને કૃષ્ણ પ્રેમમાં પલટાવેલો. કવિ ટી.એસ. ઈલિયટ ગીતા થકી કૃષ્ણનો ઉપદેશ સાંભળતા અને કર્મ જ તારો અધિકાર છે અને ફળ તો ઉપરવાળાના હાથમાં છે તેમાં શ્રદ્ધા રાખતા હતા.

૧પમી સદીમાં કેરળના કવિ યેરૂસેરી કૃષ્ણની કથા કહેતા ત્યારે લોકો ભૂખ્યા તરસ્યા કથા સાંભળવા બેસી રહેતા. એમના પછી કવિ પૂન્તનમે કૃષ્ણનાં બાળકાવ્યો લખેલાં, તે આજે સવાત્રણસો વર્ષ પછી કેરળના બાળકોને કંઠસ્થ કરાવાય છે. કૃષ્ણ જન્માષ્ટમી ઊજવાઈ ત્યારે એક વખત કાકા કાલેલકરને પૂછાયું કે હજારો વર્ષ પછી પણ આ કૃષ્ણભક્તિ કેમ વધુને વધુ તીવ્ર થતી જાય છે?

આપણે ઓગસ્ટ ૨૦૧૨માં જોયું કે રામભક્ત કે હનુમાન ભક્ત મોરારિ બાપુ કૃષ્ણભૂમિમાં કંઈક વધુ પ્રેમભક્તિથી કથા કહેતા જણાયા મહિ‌લાઓ જેમાં કોકિલાબેન અંબાણી કે ટીના અંબાણીને કે હેમા માલિનીને કૃષ્ણનું બાળ સ્વરૂપ ગમે છે.દરવર્ષે કુલ્લે બે લાખ યાત્રાળુ આવતા તેનો એક સરવાળો તો મોરારિ બાપુની કથામાં થઈ ગયો કાકા કાલેલકરે કહ્યું કે કૃષ્ણભક્તિ હજી યુરોપ-અમેરિકામાં ફેલાશે.

ભાટિયા કોમના મોવડી પાસેથી સાંભળ્યું કે નવ પરિણીતના પ્રથમ બાળકના વાળ ઉતરાવવા શ્રીનાથજી આવે છે. સ્ત્રીઓને સંતાન ન થતું હોય તો સ્ત્રીઓ માનતા માનીને આવે છે. એક વખત હું ગયો ત્યારે એક મહિ‌લાને ૯ બાળકો થયાં, તેને હવે ૧૦મું જોઈતું નહોતું તે પણ આવી હતી તે સંતતિ નિયમનનાં સાધનોથી અજાણ હતી. અર્થાત્ શ્રીનાથજીબાવા દરેક મનોરથો પૂરાં કરે છે, તેવી લોકોને શ્રદ્ધા છે. મારી મુલાકાતમાં આંકડો મળ્યો કે દર વર્ષે બે લાખ દર્શનાર્થી આવે છે તેમાં ૬,૦૦૦ સ્ત્રીઓ ખોળાનો ખુંદનાર માગવા આવે છે.

કૃષ્ણ તો કયાંય પણ પૂજાય છે. લંડન, ન્યુ ઓલીચન્સ, ફિઝી ટાપુ, ન્યૂઝીલેન્ડ શિકાગો કે વર્જિનિયામાં કૃષ્ણ મંદિરો છે. શિકાગો કે ન્યુયોર્ક જતા વિમાનમાં એકાદ ઉતારુનાં ખોળામાં કૃષ્ણની બાલમૂર્તિ‌ તો દેખાતી જ, અમે ન્યુયોર્ક ગયા ત્યારે બાજુમાં બેઠેલી એમ.એ. થયેલી કમળા ગઢિયાનાં ખોળામાં કૃષ્ણમૂર્તિ‌ હતી. તેને તો લગ્ન માટે નહીં પણ તેનું કુંવારાપણું અખંડ રાખવા શ્રીનાથજીબાવાની કૃપા જોઈતી હતી મને શ્રીનાથજીએ દર્શન પછી શું કહેવું? મારા પત્રકારત્વની ફરજોની પીડાઓ મારે જ ટાળવાની છે અને એ પીડાને મને આજે પણ ૮૧ની ઉંમરે એકલા રહીને સહન કરવાની શક્તિ આપી છે.