Translate

Search This Blog

Saturday, May 14, 2011

ભજન અને સ્તુતિ સંગ્રહ

જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને
જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો….
જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે…..
જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,
નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઈ દૃષ્ટે આવે નહીં,
ભવન પર ભવન પર છત્ર દાખે….
જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,
ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે….
જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,
ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન કર્મ વચનથી આપ માની લહે,
સત્ય છે એ જ મન એમ સુઝે….
જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,
સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિ ને જ જાચું….
જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને
………નરસિંહ મહેતા
***************
ગોપી ગીત
તવ કથામૃતં તપ્તજીવન કવિભિરીડિતં કલ્મષાપહમ્ l
શ્રવણમઙગલં શ્રીમદાતતં ભૂવિ ગ્રણન્તિ તે ભૂરિદા જનાઃ ll
હે નાથ ! આપનું પરમ આનંદને આપનારું કથાનું અમૃત આ સંસારમાં બળી રહેલા લોકોનું જીવન છે. રસિક, જ્ઞાની પુરુષો અને કવિઓ પણ તેનાં વખાણ કરે છે. તેના શ્રવણ માત્રથી જ તે આનંદ આપે છે, તેમજ કલ્યાણ કરે છે. જેની શ્રી લક્ષ્મીજી પણ અપેક્ષા રાખે છે. શ્રોતા અને વક્તા એ બંનેને લક્ષ્મીની અલૌકિક સિધ્ધિ પ્રાપ્ત થાય છે. વળી આ કથામૃત જે સર્વત્ર વ્યાપીને રહેલું છે અને જેના ભગવદીય વ્યાસ, શ્રી શુકદેવજી વગેરે જગતમાં યશોગાન કરે છે, તે મહાપુરુષો ઘણા જ દાતાઓ છે. તે કથામૃતનું ગાન પૃથ્વી ઉપર જે કરે છે તે મહાજ્ઞાની છે.
* * * * *
(૧)
જયતિ તેડધિકમ્ જન્મના વ્રજઃ
શ્રયત ઇન્દિરા શશ્વદત્ર હિ
દ્યિત દશ્યતાં દિક્ષુ તાવકાસ્ત્વ્યિ
ધૃતાસવસ્ત્વાં વિચિન્વતે
(૨)
શરદુદાશયે સાધુજાતસત્સ
રસિજોદર શ્રીમુષા દશા
સુરત્નાથ તેડશુલ્કદાસિકા વરદ
નિન્ધતો નહ કિં વધઃ
(૩)
વિષજલાપ્યયાત્ વ્યાલરક્ષસાત્ -
વર્ષમારુતાત્ વૈધુતાનલાત્
વૃષમયાત્મજાતુ વિશ્વતોભયાત્ -
ઋષભ તે વયં રક્ષિતા મુહુ
(૪)
ન ખલુ ગોપિકાનન્દનો
ભવાનખિલદેહિનામન્તરાત્મદક્
વિખનસાર્થિતો વિશ્વગુત્પેય-
સખ ઉદેયિવાન્સાંત્વતાં કુલે
(૫)
* * * * *
શ્રી આધ્ય શક્તિ સ્તવન
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિધ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુધ્ધિ દૂર કરીને સદબુધ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિં લગીર કોઈ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
આ રંકને ઉગરવા નથી કોઈ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો;
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું;
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
ના શાસ્ત્રના શ્રવણનું પય પાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું,
શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
રે રે ભવાનિ બહું ભૂલ થઈ જ મારી,
આ જિંદગી થઈ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
ખાલી ન કંઈ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંઘકારી કરી દૂર સુબુધ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ તળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
શ્રી સદગુરુ શરણમાં રહીને યચું છું,
રાત્રીદિને ભવાનિ તુજને ભજું છું,
સદભક્ત સેવક તણા પરિતાપ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
અંતર વિષે અધિક ઊર્મિ થતાં ભવાનિ,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
*****
ભક્તિના ૯ પ્રકાર
શ્રવણ કીર્તન વિષ્ણો સ્મરણાં પાદસેવનમ્
અર્ચનં વંદનં દાસ્યં સખ્યમાત્મ નિવેદનમ્
ભક્તિના નવ પ્રકાર છે.
૧ ભગવાનના નામનું શ્રવણ
૨ કીર્તન
૩ સ્મરણ
૪ પાદસેવન
૫ અર્ચન
૬ વંદન
૭ દાસ્ય
૮ સખ્ય
૯ આત્મ નિવેદન
*****
કૈલાસકે નિવાસી નમું બારબાર હૂં
કૈલાસ કે નિવાસી નમું બારબાર હૂં
આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તૂ
ભક્તો કો કભી તુમને શિવ નિરાશ ના કિયા
માંગા જિન્હેં જો ચાહા વરદાન દે દિયા
બડા હૈ તેરા દાયજા બડા દાતાર તૂ (૨)
આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તૂ
બખાન ક્યા કરું મૈં રાખો કે ઢેર કા
ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા
હૈં ગંગાધર મુક્તિ દ્વાર ૐકાર તૂ
આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તૂ…
ક્યા ક્યા નહી દિયા હૈ, હમ ક્યા પ્રમાણ દે,
બસે ગયે ત્રિલોક શંભુ તેરે દાન સે
ઝહર પિયા જીવન દિયા, કિતના ઉદાર તૂ
આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તૂ….
તેરી કૃપા બિના નહીં એક હી અણુ,
લેતે હૈ શ્વાસ તેરી દયા સે તનુ તનુ
કહે દાદ એક બાર મુઝકો નિહાર તૂ
આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તૂ…
*****
અમી ભરેલી નજરો રાખો
અમી ભરેલી નજરો રાખો, મેવાડના શ્રીનાથજી રે
દર્શન આપો, દુઃખડા કાપો (૨) મેવાડના શ્રી નાથજી…અમી ભરેલી..
ચરણકમળમાં શીશ નમાવું વંદન કરુ શ્રીનાથજી રે
દયા કરીને ભક્તિ દેજો (૨) મેવાડના શ્રીનાથજી…અમી ભરેલી…
હું દુઃખીયારો તારે દ્વારે આવી ઊભો શ્રીનાથજી રે
આશિષ દેજો, ઉરમાં લેજો (૨) મેવાડના શ્રીનાથજી રે…અમી ભરેલી..
તારા ભરોંસે જીવન નૈયા હાંકી રહ્યો શ્રીનાથજી રે
બની સુકાની પાર ઉતારો (૨) મેવાડના શ્રીનાથજી રે…અમી ભરેલી..
ભક્તો તમારા કરે વિનંતી, સાંભળજો શ્રીનાથજી રે
મુંજ આંગણમાં વાસ તમારો (૨) મેવાડના શ્રી નાથજી રે…અમી ભરેલી..
# # # # #
ઇતની શક્તિ હમે દેના દાતા
ઇતની શક્તિ હમે દેના દાતા
મન કા વિશ્વાસ કમજોર હો ના …(૨)
હમ ચલે નેક રસ્તે પે,
હમસે ભૂલકર ભી ભૂલ હો ના… ઇતની….
દૂર અજ્ઞાન કે હો અંધેરે,
તુ હમે જ્ઞાન કી રોશની દે…(૨)
હર બુરાઇ સે બચતે રહે હમ,
જીતની ભી દે ભલી જિંદગી દે,
બેર હો ના કિસીકો કિસીસે,
ભાવના મનમેં બદલે કી હો ના…ઇતની..
હમ ન સોચે હમે ક્યા મિલા હૈ,
હમ યે સોચે હમે કિયા ક્યા હૈ અર્પણ..(૨)
ફલ ખૂશીયોં કે બાટે સભી કો,
સભકા જીવન હી બન જાયે મધુબન
અપની કરુણા ક જલ તુ બહાકર,
કર દે પાવન હરેક મન કા કોના..ઇતની…
# # # # #
ભૂતલ ભક્તિ પદારથ મોટું
ભૂતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પૂણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે, …ભૂતલ
હરીના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે,….ભૂતલ
ભરતખંડ ભૂતલમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન ધન એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે,…ભૂતલ
ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિધ્ધિ આંગણીયે ઊભી, મુક્તિ છે એમની દાસી રે, …ભૂતલ
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે,…ભૂતલ
* * * * *
ઊંચી મેડી તે મારા સંતની રે – નરસિંહ મહેતા
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..
અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મેહતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
* * * * *
એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ
એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી.
મહાનલ! એક જ દે ચિનગારી..
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી,
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી.
મહાનલ! એક જ દે ચિનગારી..
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ હું અધીક ન માગું, માગું એક ચિનગારી.
મહાનલ! એક જ દે ચિનગારી..
આ ભજન હું ગુજરાતી ધોરણ ૬ માં ભણતો હતો ત્યારે અમારા વર્ગ શિક્ષક શ્રી ઈબ્રાહિમ ર વહોરા સાહેબે સરસ રીતે ભણાવ્યું હતું.
* * * * *
હરિનો મારગ – પ્રિતમદાસ
ગુજરાતી શાળાના મારા અભ્યાસ કાળ દરમ્યાન પ્રાર્થનાનું એક ભજન
હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને;
પરથમ પહેલાં મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.
સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.
મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.
માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહીં સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.
રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.
# # # # #
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી
ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી
ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિ વિષય લે આકાર જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષય સંજોગ જી
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી
વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી
ગયું ધૃત-મહી-માખણ થકી, આપે થયું રે અશુધ્ધ જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
પળમાં જોગી ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી
નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગ જી
- નિષ્કુળાનંદ
# # # # #
જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત!
દીપો અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સૌ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.
- નર્મદ
઼ ઼ ઼ ઼ ઼ ઼ ઼ ઼ ઼
ગમતાનો કરીએ ગુલાલ
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.
-મકરંદ દવે
઼ ઼ ઼ ઼ ઼ ઼
મેરુ તો ડગે
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે
ભલે ભાંગી પડે ભરમાંડ રે
વિપત પડે પણ વણસે નહીં
સોહી હરિજનનાં પરમાણ રે
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે
ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રાખે ને
કરે નહીં કોઈની આશ રે
દાન દેવે પણ રહેવે અજાચી ને
રાખે વચનમાં વિશ્વાસ રે
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે
હરખ ને શોકની જેને ન આવે હેડકી ને
આઠે પહોર રહેવે આનંદ જી
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં
જેણે મેલ્યાં અંતરનાં માન રે
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે
નિત્ય રહે સતસંગમાં ને
તોડી દીધા માયા કેરા ફંદ રે
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે
શીશ તો કર્યા કુરબાન રે
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે
સંગત કરો તો તમે એવાની કરજો ને
ભજનમાં રહેજો ભરપૂર રે
ગંગા સતી એમ બોલિયાં રે
જેના નયણોમાં વરસે સાચાં નૂર રે
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે
- ગંગાસતી
઼ ઼ ઼ ઼ ઼
જ્યાં લગી આત્મા તત્વ
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.
શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી
શું થયું ઘેર રહી દાન દીધે ?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લોચન કીધે ?
શું થયું તપ ને તીરથ કીધા થકી,
શું થયું માળ ગ્રહી નામ લીધે ?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
શું થયું ગંગાજળ પાન કીધે ?
શું થયું વેદ વ્યાકરણ વાણી વદે,
શું થયું રાગ ને રંગ જાણ્યે ?
શું થયું ખટ દર્શન સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આણ્યે ?
એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
આતમારામ પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.
- નરસિંહ મહેતા
઼ ઼ ઼ ઼ ઼

No comments:

Post a Comment